AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Locker Rules: વર્ષ 2023 થી તમારા બેંક લોકરનો આ નિયમ બદલાઈ જશે, જાણો શું થશે ફેરફાર

આરબીઆઈના નવા નિયમો અનુસાર, જો બેંકની બેદરકારીને કારણે લોકરમાં રાખવામાં આવેલી સામગ્રીને કોઈ નુકસાન થાય છે, તો બેંકે તેની ચૂકવણી કરવી પડશે. જે જગ્યામાં સેફ ડિપોઝીટ વોલ્ટ રાખવામાં આવ્યા છે તેની સુરક્ષા માટે તમામ પગલાં લેવાની જવાબદારી બેંકોની છે.

Bank Locker Rules: વર્ષ 2023 થી તમારા બેંક લોકરનો આ નિયમ બદલાઈ જશે, જાણો શું થશે ફેરફાર
Bank Locker
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 7:05 AM
Share

જો તમે પણ બેંક લોકરનો ઉપયોગ કરો છો અથવા લોકર ભાડે રાખવાનું વિચારી રહ્યા છો તો તમારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના લોકર નિયમો વિશે જાણવું જોઈએ.  1 જાન્યુઆરી, 2023 ના રોજ નવા વર્ષની શરૂઆત સાથે રિઝર્વ બેંક લોકર્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમ લાગુ થયા બાદ બેંકો લોકર અંગે ગ્રાહકો સાથે મનમાની કરી શકશે નહીં. જો લોકરમાં રાખવામાં આવેલ સામાનને નુકસાન થશે તો તેની જવાબદારી હવે બેંકની રહેશે. આ સિવાય હવે ગ્રાહકોએ 31 ડિસેમ્બર સુધી બેંક સાથે કરાર કરવા પડશે. આના દ્વારા ગ્રાહકોએ બેંકને એસએમએસ અને અન્ય માધ્યમથી લોકરના નિયમોમાં ફેરફાર વિશે જાણ કરવાની રહેશે.

રિન્યુઅલ માટે એગ્રીમેન્ટ કરવું પડશે

લોકર ધારકોએ નવા લોકર કરાર માટે પાત્રતા દર્શાવવી પડશે અને 1 જાન્યુઆરી, 2023 પહેલા રીન્યુઅલ માટે કરાર કરવો પડશે. પંજાબ નેશનલ બેંક (PNB) જેવી બેંકો પણ ગ્રાહકોને લોકર કરાર વિશે એલર્ટ SMS મોકલી રહી છે. PNB દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે ‘RBIની ગાઈડલાઈન મુજબ, નવો લોકર એગ્રીમેન્ટ 31 ડિસેમ્બર 2022 પહેલા એક્ઝિક્યુટ કરવાનો છે.’

બેંક વળતર આપશે

આરબીઆઈના નવા નિયમો અનુસાર, જો બેંકની બેદરકારીને કારણે લોકરમાં રાખવામાં આવેલી સામગ્રીને કોઈ નુકસાન થાય છે, તો બેંકે તેની ચૂકવણી કરવી પડશે. જે જગ્યામાં સેફ ડિપોઝીટ વોલ્ટ રાખવામાં આવ્યા છે તેની સુરક્ષા માટે તમામ પગલાં લેવાની જવાબદારી બેંકોની છે. જો નુકસાન બેંકના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીથી થાય છે તો બેંકની જવાબદારી લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધીની હશે.

આ પરિસ્થિતિઓમાં વળતર નહીં મળે

ગ્રાહકની ભૂલ અથવા બેદરકારીને લીધે, ભૂકંપ, પૂર, વીજળી, તોફાન વગેરે જેવી કુદરતી આફતોને કારણે લોકરની સામગ્રીને થયેલા કોઈપણ નુકસાન માટે બેંક જવાબદાર રહેશે નહીં.

લોકર કોણ લઈ શકે?

બેંક તેના ગ્રાહકોને લોકરની સુવિધા પૂરી પાડે છે. બીજી તરફ જો આરબીઆઈના નિયમોનું પાલન કરવામાં આવે તો કોઈપણ ગ્રાહક બેંકમાં ખાતું ખોલાવ્યા વિના પણ લોકરની સુવિધાનો લાભ લઈ શકે છે.  ઘણી બેંકો લોકોને લોકર ભાડા અને અન્ય ચાર્જીસ માટે સિક્યોરિટી ચાર્જીસ માંગે છે અને તેમની બેંકમાં ખાતું ખોલાવ્યા વગર લોકર આપવામાં પણ ખચકાટ અનુભવે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">