AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું હવે દર શનિવારે બેંકો બંધ ? અઠવાડિયામાં 5 દિવસ કામને લઈને જાણો શું આપી નાણા મંત્રાલયે માહિતી

સરકારી અને ખાનગી બેંકો દ્વારા અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની ઘણા સમયથી માગ કરી રહ્યા હતા. સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ સરકાર સમક્ષ ઘણી વખત આ માંગણી કરી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે કહ્યું કે ઇન્ડિયન બેંક્સ એસોસિએશને સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમા દર અઠવાડિયે પાંચ દિવસ કામ કરવાની માગ કરવામાં આવી છે.

શું હવે દર શનિવારે બેંકો બંધ ? અઠવાડિયામાં 5 દિવસ કામને લઈને જાણો શું આપી નાણા મંત્રાલયે માહિતી
banks
| Updated on: Dec 06, 2023 | 3:24 PM
Share

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશની જાહેર ક્ષેત્રની બેંકોમાં કામ કરતા કર્મચારીઓ માટે મોટા સારા સમાચાર આપી શકે છે જોકે આ સમાચાર સામાન્ય લોકો માટે માથાનો દુખાવો બની શકે છે. તમને જણાવી દઈએ કે સરકાર જાહેર ક્ષેત્રની બેંકોમાં દર શનિવારે રજા જાહેર કરવાનુ વિચારી રહી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશને સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે.

જેમાં દેશની તમામ બેંકોમાં દર શનિવારે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડના જણાવ્યા અનુસાર IBA દ્વારા આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જો સરકાર આ પ્રસ્તાવને સ્વીકારી લેશે તો દર અઠવાડિયે માત્ર પાંચ દિવસ બેંકોમાં કામકાજ ચાલુ રહશે અને શનિવાર અને રવિવારે બેંકો બંધ રહશે.

બેંક કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે

હકીકતમાં, સરકારી અને ખાનગી બેંકો દ્વારા અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની ઘણા સમયથી માગ કરી રહ્યા હતા. સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ સરકાર સમક્ષ ઘણી વખત આ માંગણી કરી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે કહ્યું કે ઇન્ડિયન બેંક્સ એસોસિએશને સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. દરખાસ્ત દર અઠવાડિયે પાંચ દિવસ કામ કરવાની માગ કરે છે. બેંકોની માગ છે કે દર શનિવાર અને રવિવારે બેંક હોલીડે જાહેર કરવામાં આવે.

બે શનિવાર બેંક બંધ રહે છે

તમને જણાવી દઈએ કે હાલમાં તમામ બેંકોમાં મહિનામાં માત્ર બે શનિવારે જ રજા હોય છે. વર્ષ 2015માં લાગુ કરાયેલા નિયમ મુજબ મહિનામાં માત્ર બે શનિવાર જ બેંકો બંધ રહેશે. સરકારનો આ આદેશ તમામ ખાનગી અને સરકારી બેંકોને લાગુ પડશે. કોઈપણ બેંક બે શનિવારથી વધુ બંધ રહેશે નહીં.

સરકાર પગાર વધારા અંગે પણ નિર્ણય લઈ શકે છે

જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે રજાની સાથે કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગાર વધારવાનો નિર્ણય પણ લઈ શકે છે. બેંક કર્મચારીઓના પગારમાં 15 થી 20 ટકાનો વધારો થઈ શકે છે. જો કે સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: ગૌતમ અદાણી અને તેના રોકાણકાર થયાં માલામાલ, એક જ દિવસમાં રૂપિયા 1.92 લાખ કરોડની કમાણી કરી, આજે કેવી રહેશે સ્થિતિ?

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">