AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એમેઝોન-ફ્યુચર ગ્રુપ વિવાદ: દિલ્હી હાઈકોર્ટે સિંગાપોર ટ્રિબ્યુનલ સમક્ષ કાર્યવાહી પર રોક લગાવી

ડિવિઝન બેન્ચે ફ્યુચર ગ્રુપની બે પેટાકંપનીઓ દ્વારા ગઈકાલે દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દેતા સિંગલ-જજના આદેશ પર પણ સ્ટે મૂક્યો હતો.

એમેઝોન-ફ્યુચર ગ્રુપ વિવાદ: દિલ્હી હાઈકોર્ટે સિંગાપોર ટ્રિબ્યુનલ સમક્ષ કાર્યવાહી પર રોક લગાવી
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 10:11 PM
Share

કિશોર બિયાણી અને તેમના ફ્યુચર ગ્રૂપને (Future Group) મોટી રાહત આપતા દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) બુધવારે સિંગાપોર ટ્રિબ્યુનલ સમક્ષ એમેઝોન સાથેના 2019ના સોદાના સંબંધમાં મધ્યસ્થતાની કાર્યવાહી પર રોક લગાવી દીધી.

ચીફ જસ્ટિસ ડીએન પટેલ (Chief Justice DN Patel) અને જસ્ટિસ જ્યોતિ સિંહની (Jyoti Singh) ડિવિઝન બેન્ચે સિંગલ જજના આદેશ પર સ્ટે આપ્યો હતો, જેણે આ મામલે દખલ કરવાનો ઈનકાર કર્યો હતો અને ફ્યુચર ગ્રૂપની બે પેટાકંપનીઓ દ્વારા ગઈકાલે દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી.

ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું કે કેસના તથ્યો અને સંજોગો તેમજ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા પસાર કરાયેલા આદેશને ધ્યાનમાં રાખીને ફ્યુચર ગ્રૂપની તરફેણમાં પ્રથમ દ્રષ્ટીએ કેસ હતો અને જો કાર્યવાહી અટકાવવામાં નહીં આવે તો તેઓને ન ભરવાપાત્ર નુકસાન થશે.

કોર્ટે એમેઝોનને પણ નોટિસ જાહેર કરી છે અને કહ્યું છે કે આર્બિટ્રેશનની કાર્યવાહી તેમજ સિંગલ-જજનો આદેશ આગામી સુનાવણીની તારીખ સુધી અમલમાં રહેશે, જે 1 ફેબ્રુઆરીએ નિર્ધારિત છે. તેમણે કહ્યું કે તે અરજકર્તાઓ દ્વારા ઉઠાવવામાં આવેલી દલીલોને ઉકેલશે, જેમાં અપીલની સ્થીરતા પર વાપસીની તારીખ પર પણ સામેલ છે.

સિંગાપોરમાં એક આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ બંને કંપનીઓ વચ્ચે 2019ના સોદા સંબંધિત ફ્યુચર ગ્રૂપ સામે એમેઝોનના કેસની સુનાવણી કરી રહી છે. આ બાબતની સુનાવણી કરતાં ટ્રિબ્યુનલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ફ્યુચર રિટેલની સંપત્તિના વેચાણ પર પ્રતિબંધ મૂકતો વચગાળાનો આદેશ પસાર કર્યો હતો.

ફ્યુચર રિટેલે ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરીને દલીલ કરી હતી કે સીસીઆઈના નિર્ણયને ધ્યાનમાં રાખીને એમેઝોન સામેની કાર્યવાહી ચાલુ રાખવી ગેરકાયદેસર છે.

ફ્યુચર ગ્રુપે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો

સીસીઆઈએ સોદાની મંજૂરીને એમ કહીને સ્થગિત કરી દીધી હતી કે એમેઝોન ફ્યુચરમાં તેના 49 ટકા હિસ્સાના સંપાદનની કેટલીક મહત્વપૂર્ણ વિગતો વિશે જણાવવામાં નિષ્ફળ રહી હતી. જે સ્પર્ધા અધિનિયમ 2002 (અધિનિયમ)ની કલમ 6(2) હેઠળ જરૂરી છે. તેથી તેણે એમેઝોન પર 202 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

અંતિમ સુનાવણી શરૂ કરતા પહેલા ટ્રિબ્યુનલે વિનંતીને સ્વીકારવાનો ઈનકાર કર્યા પછી ફ્યુચર ગ્રૂપે દિલ્હી હાઈકોર્ટનો માર્ગ પસંદ કર્યો. જો કે જસ્ટિસ અમિત બંસલે એવો કોઈ પુરાવો ન હોવાનું કહીને અરજી ફગાવી દીધી હતી. જે દર્શાવે કે ટ્રિબ્યુનલે ફ્યુચર ગ્રૂપને સમાન તક આપવાનો ઈનકાર કર્યો છે અથવા તે તેમની વિનંતીઓ માટે અનુકૂળ નથી.

જસ્ટિસ બંસલે ચુકાદો આપ્યો “ભારતના બંધારણની કલમ 227 હેઠળ આ કોર્ટ દ્વારા અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાની ખાતરી આપવા માટે અરજીઓ અથવા સુનાવણી દરમિયાન કોઈ અસાધારણ સંજોગો અથવા વિકૃતિઓ દર્શાવવામાં આવી નથી.”

ફ્યુચર ગ્રૂપની કંપનીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને સિંગલ જજ દ્વારા ફગાવી દેવામાં આવ્યા બાદ ડિવિઝન બેંચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  હવે Aadhaar સંબંધિત દરેક કામ થયું સરળ, રાશન કાર્ડને આધાર સાથે કરો લિંક, જાણો પુરી પ્રોસેસ

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">