AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એમેઝોને ફ્યુચર કૂપન્સની સાથે ડીલને સ્થગિત કરવાના નિર્ણયને પડકાર્યો, CCIના આદેશ સામે પહોંચી NCLT

એમેઝોને લગભગ બે વર્ષ પહેલા ફ્યુચર કૂપન્સ પ્રાઈવેટ લિમિટેડ સાથેની ડીલને રદ્દ કરવાના કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના આદેશ સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં અપીલ દાખલ કરી છે.

એમેઝોને ફ્યુચર કૂપન્સની સાથે ડીલને સ્થગિત કરવાના નિર્ણયને પડકાર્યો, CCIના આદેશ સામે પહોંચી NCLT
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 12:00 AM
Share

એમેઝોને લગભગ બે વર્ષ પહેલા ફ્યુચર કૂપન્સ પ્રાઈવેટ લિમિટેડ સાથેની ડીલને રદ્દ કરવાના કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના આદેશ સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં અપીલ દાખલ કરી છે. કોમ્પિટિશન કમિશને ડિસેમ્બરમાં ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનના ફ્યુચર કૂપન્સ સાથેના સોદા માટેની મંજૂરીને સ્થગિત કરી દીધી હતી. આ સાથે એમેઝોન પર 202 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો.

CCIએ નવેમ્બર 2019માં ફ્યુચર કૂપન્સમાં 49 ટકા હિસ્સો ખરીદવા Amazonના સોદાને મંજૂરી આપી હતી. NCLAT એ CCI દ્વારા પસાર કરાયેલા આદેશો માટે એપેલેટ ઓથોરિટી છે. રિપોર્ટ અનુસાર, એમેઝોને ગયા મહિને CCIના આદેશ સામે NCLATમાં અપીલ દાખલ કરી છે. આ સંબંધમાં એમેઝોન અને ફ્યુચરને મોકલવામાં આવેલા ઈ-મેઈલનો કોઈ જવાબ મળ્યો નથી. ફ્યુચર કુપન્સ લિમિટેડ (FCPL) ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL) ના પ્રમોટર છે.

એમેઝોન ઓક્ટોબર 2020માં આ મામલાને સિંગાપોર આર્બિટ્રેશન સેન્ટરમાં લઈ ગઈ હતી અને ત્યારથી બંને કંપનીઓ વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ છે. એમેઝોનનું કહેવું છે કે એફઆરએલએ રીલાયન્સ ગ્રુપની કંપની રીલાયન્સ રીટેલની સાથે 24,713 કરોડ રૂપિયાના વેચાણ કરાર કરીને 2019માં તેની સાથે થયેલા રોકાણ કરારનું ઉલ્લંઘન કર્યું છે.

શું છે સમગ્ર મામલો?

9 સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં  વૈધાનિક સંસ્થાઓ જેવી કે, NCLT, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ને ફ્યુચર ગ્રૂપ અને રિલાયન્સ રિટેલ વચ્ચેના પ્રસ્તાવિત 25,000 કરોડ રૂપિયાની ડીલના સંબંધમાં તમામ કાર્યવાહી રોકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. હવે એમેઝોન NCLTના આદેશ પર સ્ટે મૂકવાનું કહી રહી છે.

આ સાથે, કંપની સુપ્રીમ કોર્ટને ફ્યુચર રિટેલ લિમિટેડની 10 અને 11 નવેમ્બરના રોજ પ્રસ્તાવિત મીટિંગ્સ પર સ્ટે આપવાનું પણ કહી રહી છે, જેના માટે ભારતીય રિટેલ કંપનીએ 11 ઓક્ટોબરે નોટિસ જાહેર કરી હતી. કિશોર બિયાનીની માલિકીના જૂથની અરજીને મંજૂરી આપતા, ડિવિઝન બેન્ચે એમેઝોનના વકીલની મૌખિક અરજીને એક સપ્તાહ માટે ઓર્ડર પર સ્ટે મૂકવાની માંગણીને નકારી કાઢી હતી.

આ પણ વાંચો :  PNBએ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે વીડિયો કૉલની સુવિધા શરૂ કરી, 28 ફ્રેબ્રુઆરી સુધી કરી શકાશે જમા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">