AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા મુકેશ અને કાકા અનિલની જેમ ભાગલાનો ડર નથી, આકાશ ‘રામ’ જેવો ભાઈ : અનંત અંબાણી

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અનંત અંબાણીએ કહ્યું કે તેમના પિતા અને કાકા અનિલ અંબાણી વચ્ચે સંપત્તિના ભાગલાને લઈને થયેલા વિવાદથી તેમને કોઈ ડર નથી. તેમનો મોટો ભાઈ આકાશ બિલકુલ રામ જેવો છે. ભાગલાને લઈને રિલાયન્સ પરિવારની પાછલી પેઢીમાં મોટો વિવાદ થયો હતો

પિતા મુકેશ અને કાકા અનિલની જેમ ભાગલાનો ડર નથી, આકાશ 'રામ' જેવો ભાઈ : અનંત અંબાણી
Ambani Family
| Updated on: Feb 28, 2024 | 11:32 PM
Share

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના આગામી સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવાના છે. તેમના લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યા છે. આ પહેલા અનંત અંબાણીએ એક મોટું નિવેદન આપ્યું છે. અનંતે આકાશ અંબાણીને ‘રામ’ જેવો ભાઈ ગણાવ્યો છે.

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અનંત અંબાણીએ કહ્યું કે તેમના પિતા અને કાકા અનિલ અંબાણી વચ્ચે સંપત્તિના ભાગલાને લઈને થયેલા વિવાદથી તેમને કોઈ ડર નથી. તેમનો મોટો ભાઈ આકાશ બિલકુલ રામ જેવો છે.

ઉલ્લેખનીય છે કે, ભાગલાને લઈને રિલાયન્સ પરિવારની પાછલી પેઢીમાં મોટો વિવાદ થયો હતો. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચેની લડાઈમાં માતા કોકિલાબેનને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. આ પછી રિલાયન્સનો બિઝનેસ વહેંચાઈ ગયો. મુકેશ અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કમાન મળી હતી, જ્યારે અનિલ અંબાણીને રિલાયન્સ ટેલિકોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ કેપિટલ જેવા બિઝનેસ મળ્યા હતા.

‘વનતારા’ને લઈને ચર્ચામાં અનંત અંબાણી

અનંત અંબાણી લગ્ન સિવાય હાલમાં જ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘વનતારા’ને લઈને પણ ચર્ચામાં છે. ‘વનતારા’ એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સમાં બનેલું વિશ્વ કક્ષાનું પ્રાણી આશ્રય છે. તેને 3000 એકરમાં ફેલાયેલા ગ્રીન બેલ્ટમાં વિકસાવવામાં આવ્યું છે. આ વિશ્વના સૌથી મોટા પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્રોમાંનું એક છે. વિશ્વભરમાંથી ઘાયલ પ્રાણીઓને અહીં લાવવામાં આવે છે. અહીં તેમની સંભાળ લેવામાં આવે છે, તેમની સારવાર કરવામાં આવે છે અને તેમને મૃત્યુના ચુંગાલમાંથી બચાવવાની સાથે તેમના પુનર્વસનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

અહીં પ્રાણીઓને જંગલ જેવું વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી લીલીછમ જમીનની સાથે કુદરતી જળાશયોની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. હાલમાં, આ કેન્દ્રમાં લગભગ 2,000 બચાવેલા પ્રાણીઓ છે.

Follow Us
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, Watch Video
લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, Watch Video
કાજલ મહેરિયાના પતિ પર લાઈવ પ્રોગ્રામમાં જીવલેણ હુમલો, જુઓ Video
કાજલ મહેરિયાના પતિ પર લાઈવ પ્રોગ્રામમાં જીવલેણ હુમલો, જુઓ Video
ગુજરાતમાં ગરમીનો કહેર વધશે! આગામી 6 દિવસ હિટવેવની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર વધશે! આગામી 6 દિવસ હિટવેવની આગાહી
પાલનપુરમાં હનીટ્રેપ કાંડનો પર્દાફાશ! કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ પડાવ્યા
પાલનપુરમાં હનીટ્રેપ કાંડનો પર્દાફાશ! કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ પડાવ્યા
ગીરમાં બોલિવુડનો જમાવડો! આયુષ્માન-રકુલપ્રીતે માણી સિંહ સફારી
ગીરમાં બોલિવુડનો જમાવડો! આયુષ્માન-રકુલપ્રીતે માણી સિંહ સફારી
રમૂજી વર્તન ઘરમાં ખુશનુમા વાતાવરણ બનાવશે, નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
રમૂજી વર્તન ઘરમાં ખુશનુમા વાતાવરણ બનાવશે, નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
g clip-path="url(#clip0_868_265)">