એરટેલ, વોડાફોન-આઈડિયાના રિચાર્જ પ્લાન થઈ રહ્યા છે મોંઘા, જાણો તમારા મોબાઈલનો ખર્ચ કેટલો વધશે

નિષ્ણાતોના મતે વોડાફોન-આઈડિયા પણ તેના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા ટેલિકોમ ઓપરેટર દ્વારા કેટલાક સર્કલોમાં બેઝ લેવલ રિચાર્જની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

એરટેલ, વોડાફોન-આઈડિયાના રિચાર્જ પ્લાન થઈ રહ્યા છે મોંઘા, જાણો તમારા મોબાઈલનો ખર્ચ કેટલો વધશે
Airtel, vodafone (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 7:53 PM

મુખ્ય ટેલિકોમ કંપની એરટેલ (Airtel) અને વોડાફોન-આઈડિયા(Vodafone-Idea) તેમની રિચાર્જ યોજનાઓની કિંમતોમાં વધારો કરવા માટે તૈયાર છે. એરટેલે પહેલેથી જ એન્ટ્રી લેવલ માસિક પ્રીપેડ પ્લાન 49 રૂપિયાથી બંધ કરી દીધો છે. બેઝ લેવલ પ્લાન હવે એરટેલ ગ્રાહકો માટે 60 ટકા સુધીના વધારા સાથે 79 રૂપિયાથી શરૂ થાય છે. ગયા અઠવાડિયે મોટા ટેલિકોમ ઓપરેટરે તેના પોસ્ટપેડ યુઝર્સ અને કોર્પોરેટ ગ્રાહકો માટે એન્ટ્રી-લેવલની યોજનાઓના દરોમાં વધારો કર્યો. ન્યૂનતમ ટેરિફ પ્લાનમાં 30%સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

નિષ્ણાતોના મતે વોડાફોન-આઈડિયા પણ તેના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા ટેલિકોમ ઓપરેટર દ્વારા કેટલાક સર્કલોમાં બેઝ લેવલ રિચાર્જની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વીઆઈએ તેના 49 રૂપિયાના પ્લાનને અગાઉના 28 દિવસથી ઘટાડીને 14 દિવસ કરી દીધો છે. વીઆઈ ગ્રાહકોએ હવે આ રાજ્યોમાં 28-દિવસીય પ્લાન માટે 79 રૂપિયા ચૂકવવા પડશે.

એરટેલના આ પગલાને લઈ તેણે તાજેતરમાં તેના ‘બિઝનેસ પ્લસ’ પોસ્ટપેડ પ્લાન હેઠળ તેના એન્ટરપ્રાઈઝ ગ્રાહકો માટે ડેટા મર્યાદા ઘટાડી છે. વોડાફોન આઈડિયા અને એરટેલ 22 માર્ચ સુધીમાં અનુક્રમે 9,000 કરોડ રૂપિયા અને 4,100 કરોડ રૂપિયાના કરવેરાનો પ્રથમ હપ્તો ચૂકવશે. આ વધારો ટેલિકોમ જાયન્ટને સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા (ARPU) સુધારવામાં મદદ કરશે.

“ભારતી એરટેલે તેની કોર્પોરેટ યોજનાઓ માટે પોસ્ટપેઈડ ટેરિફમાં પણ વધારો કર્યો છે તેમજ તેની રિટેલ પોસ્ટપેડ અને પસંદગીના પ્રિપેઈડ પ્લાનમાં પણ બદલાવ કર્યો છે. અંદાજ મુજબ આ પ્લાનમાં આ વધારો આ વાયરલેસ EBITDAમાં 3%નો વધારો કરી શકે છે.

જોકે મોટાપાયે કંપનીમાં 2%ની વૃદ્ધિ જોવાશે. આ લાભ બાકી કંપનીઓ દ્વારા ટેરિફ વધારાની જાહેરાત કરવામાં આવશે કે નહીં તેના આધારે છે. આ મામલે ટેલિકોમ કંપનીઓમાં હજી ચર્ચા થવાની બાકી છે. મોતીલાલ ઓસવાલે એક નોટમાં જણાવ્યું હતું કે એરટેલે ગયા સપ્તાહે તેના પોસ્ટપેડ પ્લાન બદલ્યા હતા. ટેલિકોમ ઓપરેટરના ડેટા અનુસાર જૂનમાં એરટેલના કુલ ગ્રાહકોની સંખ્યા 348.29 મિલિયન હતી. 31 મે સુધી વોડાફોન આઈડિયાના 277.62 મિલિયન ગ્રાહકો છે.

આ પણ વાંચો :જો તમે બેંકને તમારા PAN ની વિગતો નથી આપી તો તમારું TDS REFUND અટકી શકે છે , જાણો વિગતવાર

આ પણ વાંચો : ભાગેડુ Vijay Mallya એ સોશિયલ મીડિયામાં ભારતીય બેંકો સામે કાઢી ભડાસ , જાણો શું કહ્યું માલ્યાએ

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">