AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group: અદાણી ગ્રુપે 8300 કરોડથી વધારેના શેર વેચ્યા, જાણો કોણે ખરીદ્યા?

Adani Group: જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશનના બોર્ડે યોગ્ય સંસ્થાકીય રોકાણકારોને શેર ઈસ્યુ કરીને $5 બિલિયન (રૂ. 21,000 કરોડ) ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી છે.

Adani Group: અદાણી ગ્રુપે 8300 કરોડથી વધારેના શેર વેચ્યા, જાણો કોણે ખરીદ્યા?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 7:35 AM
Share

Adani Group: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) વિશ્વના અમીરોની યાદીમાં ફરી સ્થાન હાંસલ કર્યુ છે. ગૌતમ અદાણીએ વિશ્વના ટોચના 20 અમીરોની યાદીમાં ફરી એન્ટ્રી લીધી છે. ત્યારે અદાણી ગ્રુપે બે કંપનીઓમાં $1 બિલિયન (રૂ. 8,372 કરોડ)ના શેર વેચ્યા છે. અદાણી ગ્રુપની આ ડીલ યુએસ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ અને કેટલાક અન્ય રોકાણકારો સાથે કરવામાં આવી છે. શેર-વેચાણમાંથી ભેગા કરાયેલ ભંડોળનો ઉપયોગ લિક્વિડિટી વધારવા અને બેલેન્સ શીટને મજબૂત કરવા માટે કરવામાં આવશે.

GQGએ અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કર્યું

છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજી વખત છે, જ્યારે GQGએ અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કર્યું છે. તમને જણાવી દઈએ કે હિંડનબર્ગ રિપોર્ટ બાદ જ્યારે અદાણી ગ્રૂપ મુશ્કેલીમાં હતું, ત્યારે પહેલીવાર આ રોકાણ કંપનીએ વિશ્વાસ દર્શાવ્યો હતો. આ રોકાણ કંપનીની સ્થાપના જૂન 2016માં કરવામાં આવી હતી. તેના સ્થાપક રાજીવ જૈન છે, જેમણે ટિમ કાર્વરથી શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: Micron Semiconductor Plant: ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે માઈક્રોને MOU પર કર્યા હસ્તાક્ષર, 20 હજાર લોકોને મળશે રોજગાર

જથ્થાબંધ શેર ખરીદનારા રોકાણકારોમાં GQG પણ સામેલ

અદાણી ગ્રુપની મૂળ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના 1.8 કરોડ શેર અથવા 1.6 ટકા હિસ્સો એક જ સોદામાં વેચવામાં આવ્યો હતો. આ સિવાય અદાણી ગ્રીન એનર્જીના 3.52 કરોડ શેર એટલે કે 2.2 ટકા હિસ્સો પણ વેચવામાં આવ્યો છે. જથ્થાબંધ શેર ખરીદનારા રોકાણકારોમાં GQG પણ સામેલ છે. તેણે માર્ચમાં 1.87 અબજ ડોલરમાં અદાણી જૂથની ચાર કંપનીઓમાં હિસ્સો પણ ખરીદ્યો હતો.

આ સિવાય મે મહિનામાં પણ તેણે ગ્રુપ કંપનીઓમાં 40-50 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. GQG વિશે વાત કરીએ તો તે હવે અદાણી ગ્રીન એનર્જીમાં 6.32%, અદાણી એન્ટરપ્રાઈઝમાં 4.96%, અદાણી પોર્ટ્સમાં 4.1% અને અદાણી ટ્રાન્સમિશનમાં 2.45% હિસ્સો ધરાવે છે.

જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશનના બોર્ડે યોગ્ય સંસ્થાકીય રોકાણકારોને શેર ઈસ્યુ કરીને $5 બિલિયન (રૂ. 21,000 કરોડ) ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">