AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group: અદાણી ગ્રુપે 8300 કરોડથી વધારેના શેર વેચ્યા, જાણો કોણે ખરીદ્યા?

Adani Group: જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશનના બોર્ડે યોગ્ય સંસ્થાકીય રોકાણકારોને શેર ઈસ્યુ કરીને $5 બિલિયન (રૂ. 21,000 કરોડ) ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી છે.

Adani Group: અદાણી ગ્રુપે 8300 કરોડથી વધારેના શેર વેચ્યા, જાણો કોણે ખરીદ્યા?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 7:35 AM
Share

Adani Group: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) વિશ્વના અમીરોની યાદીમાં ફરી સ્થાન હાંસલ કર્યુ છે. ગૌતમ અદાણીએ વિશ્વના ટોચના 20 અમીરોની યાદીમાં ફરી એન્ટ્રી લીધી છે. ત્યારે અદાણી ગ્રુપે બે કંપનીઓમાં $1 બિલિયન (રૂ. 8,372 કરોડ)ના શેર વેચ્યા છે. અદાણી ગ્રુપની આ ડીલ યુએસ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ અને કેટલાક અન્ય રોકાણકારો સાથે કરવામાં આવી છે. શેર-વેચાણમાંથી ભેગા કરાયેલ ભંડોળનો ઉપયોગ લિક્વિડિટી વધારવા અને બેલેન્સ શીટને મજબૂત કરવા માટે કરવામાં આવશે.

GQGએ અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કર્યું

છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજી વખત છે, જ્યારે GQGએ અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કર્યું છે. તમને જણાવી દઈએ કે હિંડનબર્ગ રિપોર્ટ બાદ જ્યારે અદાણી ગ્રૂપ મુશ્કેલીમાં હતું, ત્યારે પહેલીવાર આ રોકાણ કંપનીએ વિશ્વાસ દર્શાવ્યો હતો. આ રોકાણ કંપનીની સ્થાપના જૂન 2016માં કરવામાં આવી હતી. તેના સ્થાપક રાજીવ જૈન છે, જેમણે ટિમ કાર્વરથી શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: Micron Semiconductor Plant: ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે માઈક્રોને MOU પર કર્યા હસ્તાક્ષર, 20 હજાર લોકોને મળશે રોજગાર

જથ્થાબંધ શેર ખરીદનારા રોકાણકારોમાં GQG પણ સામેલ

અદાણી ગ્રુપની મૂળ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના 1.8 કરોડ શેર અથવા 1.6 ટકા હિસ્સો એક જ સોદામાં વેચવામાં આવ્યો હતો. આ સિવાય અદાણી ગ્રીન એનર્જીના 3.52 કરોડ શેર એટલે કે 2.2 ટકા હિસ્સો પણ વેચવામાં આવ્યો છે. જથ્થાબંધ શેર ખરીદનારા રોકાણકારોમાં GQG પણ સામેલ છે. તેણે માર્ચમાં 1.87 અબજ ડોલરમાં અદાણી જૂથની ચાર કંપનીઓમાં હિસ્સો પણ ખરીદ્યો હતો.

આ સિવાય મે મહિનામાં પણ તેણે ગ્રુપ કંપનીઓમાં 40-50 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. GQG વિશે વાત કરીએ તો તે હવે અદાણી ગ્રીન એનર્જીમાં 6.32%, અદાણી એન્ટરપ્રાઈઝમાં 4.96%, અદાણી પોર્ટ્સમાં 4.1% અને અદાણી ટ્રાન્સમિશનમાં 2.45% હિસ્સો ધરાવે છે.

જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશનના બોર્ડે યોગ્ય સંસ્થાકીય રોકાણકારોને શેર ઈસ્યુ કરીને $5 બિલિયન (રૂ. 21,000 કરોડ) ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">