AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani meets Pawar: સીએમ એકનાથ શિંદે અને શરદ પવારની મુલાકાત બાદ ગૌતમ અદાણી પવારના ઘરે પહોંચ્યા, મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ

Sharad Pawar Gautam Adani Meet: ગુરુવારે (1 જૂન) પહેલા શરદ પવાર સીએમ એકનાથ શિંદેને મળવા વર્ષા નિવાસ પહોંચ્યા હતા. ત્યારબાદ તરત જ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પવારને મળવા સિલ્વર ઓક પહોંચ્યા. જેને કારણે મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ તેજ બની છે.

Adani meets Pawar: સીએમ એકનાથ શિંદે અને શરદ પવારની મુલાકાત બાદ ગૌતમ અદાણી પવારના ઘરે પહોંચ્યા, મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ
Gautam Adani Meets Sharad Pawar Ncp
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 10:52 PM
Share

MUMBAI : ગુરુવાર (1 જૂન) સાંજે, શરદ પવાર મુખ્યમંત્રી એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલે પહોંચ્યા હતા. 35-40 મિનિટની ચર્ચા બાદ તેઓ પોણા આઠ વાગ્યે સીએમ આવાસની બહાર આવ્યા હતા. થોડી જ વારમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી તેમને મળવા શરદ પવારના સત્તાવાર નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ પહોંચ્યા. મોટી બેઠકોનો આ રાઉન્ડ ત્યારે થયો જ્યારે ઉદ્ધવ ઠાકરે વિદેશ પ્રવાસ પર હતા. સીએમ બન્યા બાદ શરદ પવાર પહેલીવાર એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા હતા. શરદ પવારે ગૌતમ અદાણીને મળવાનું કારણ પણ જણાવ્યું. મહારાષ્ટ્રના સમાચાર અહીં વાંચો.

શરદ પવારે કહ્યું કે સિંગાપોરનું એક પ્રતિનિધિમંડળ તેમને મળ્યું. કોઈ ટેકનિકલ કારણોસર તેમને ગૌતમ અદાણીને મળવું હતું. તેથી જ ગૌતમ અદાણી તેમને મળવા આવ્યા હતા. શરદ પવારે એ વાતને ટાળી દીધી કે તે ટેકનિકલ કારણ શું હતું. તેમણે સરળ રીતે સ્પષ્ટતા કરી કે સિંગાપોરના પ્રતિનિધિમંડળની ગૌતમ અદાણી સાથેની મુલાકાતનું કારણ ટેકનિકલ હોવાથી તેમની પાસે આ અંગે ચોક્કસ માહિતી નથી.

અદાણી-પવાર વચ્ચે અડધો કલાકથી વધુ ચર્ચા, ચર્ચામાં શું હતું ખાસ ?

ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે પવારના સિલ્વર ઓક નિવાસસ્થાને અડધા કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. એક પછી એક આ બે મોટી બેઠકોને કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સાથે ચોક્કસ કંઈક મોટું થવાનું છે.

પવાર-CM શિંદેની બેઠક બાદ આશિષ શેલાર શિંદે પહોંચ્યા હતા

સીએમ શિંદેને મળ્યા બાદ શરદ પવાર તેમના વર્ષા બંગલામાંથી બહાર આવ્યા ત્યારે એક તરફ ગૌતમ અદાણી પવારને મળવા તેમના સિલ્વર ઓક સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા તો બીજી તરફ મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલાર સીએમ શિંદેને મળવા વર્ષા બંગલે પહોંચ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી આશિષ શેલાર વર્ષા બંગલામાં હાજર છે.

એકનાથ શિંદે અને શરદ પવારની મુલાકાતનું કારણ આ રીતે સમજાવવામાં આવ્યું

સીએમ એકનાથ શિંદે અને શરદ પવારની બેઠક બાદ સીએમ એકનાથ શિંદેએ ન્યૂઝ ચેનલ TV9 મરાઠીને કહ્યું કે આ એક સદ્ભાવના સંકેત છે. શરદ પવાર તેમની પાસે મરાઠા મંદિર સંસ્થાના અમૃત મહોત્સવ સંબંધિત કાર્યક્રમ માટે આમંત્રણ આપવા આવ્યા હતા. આ કાર્યક્રમ 24 જૂને થવાનો છે. તેમજ શાળાઓ અને કલાકારોને લગતા બે મુદ્દા હતા. પરંતુ આ બેઠક પાછળ કોઈ રાજકીય કારણ નહોતું.

શરદ પવારે પણ ટ્વીટ કરીને જણાવ્યું કે સીએમ શિંદે સાથે મુલાકાત કેમ થઈ

આ પછી શરદ પવારે પણ ટ્વીટ કરીને એકનાથ શિંદેને મળવાનું કારણ જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ મરાઠા મંદિર સંસ્થાના અમૃત મહોત્સવના કાર્યક્રમના આમંત્રણ સંદર્ભે સીએમ આવાસ પહોંચ્યા હતા. આ સાથે મરાઠી સિનેમા, નાટક અને કલા ક્ષેત્રના કલાકારો અને કસબીઓની સમસ્યાઓ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ એકનાથ શિંદે સાથે સિનેમા, નાટક, લોકકલા, સિરિયલો અને મનોરંજનના અન્ય માધ્યમોથી સંબંધિત સંસ્થાઓને આમંત્રિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહ્યા છે, હંમેશા સમર્થનમાં ઉભા રહ્યા છે

જણાવી દઈએ કે એકનાથ શિંદેને મળ્યા બાદ જ્યારે શરદ પવાર રાત્રે 8.45 વાગ્યે વર્ષા બંગલામાંથી બહાર આવ્યા ત્યારે તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું અને સીધા તેમના નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ ગયા. આ પછી તરત જ ગૌતમ અદાણી તેમને મળવા સિલ્વર ઓક પહોંચ્યા. શરદ પવારના ગૌતમ અદાણી સાથે ખૂબ સારા સંબંધો છે.

પવાર-અદાણીની બેઠક 20 એપ્રિલે પણ થઈ હતી, બંધ બારણે વાતચીત થઈ હતી

પવારે તેમની રાજકીય જીવનચરિત્ર ‘લોક માજે સંગાતિ’માં ગૌતમ અદાણીની સાહસિકતાની પણ પ્રશંસા કરી છે. ઉપરાંત, જ્યારે કોંગ્રેસ વતી રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી સામે જેપીસી તપાસની માંગ કરી હતી અને ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીની આ માંગને સમર્થન આપી રહ્યા હતા, ત્યારે શરદ પવાર ગૌતમ અદાણીના સમર્થનમાં ઉભા હતા અને હિંડનબર્ગ રિપોર્ટની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા હતા.

ગુરુવારે મીટિંગ પહેલાં, 20 એપ્રિલે પણ સિલ્વર ઓક ખાતે શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે બેઠક થઈ હતી. બંધ દરવાજા પાછળ બે કલાક સુધી ચાલેલી આ ચર્ચા દરમિયાન કોઈ ત્રીજી વ્યક્તિ હાજર ન હતી. આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે આજ સુધી કોઈને ખબર નથી. અગાઉ બારામતીમાં પણ આવી જ બેઠક થઈ હતી. એટલે કે ગૌતમ અદાણી સાથે શરદ પવારની બેઠકોનો તબક્કો ચાલી રહ્યો છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">