SEBI Board Meeting: 17 નિર્ણયો મંજૂર, ફ્યૂચર એન્ડ ઓપ્સન ટ્રેડિંગ નિયમોમાં કોઈ ફેરફાર નહીં, કાલે માર્કેટ પર થશે અસર

|

Sep 30, 2024 | 11:30 PM

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરમેન માધાબી પુરી બુચ સામે અમેરિકન શોર્ટ સેલર ગ્રુપ હિંડનબર્ગ દ્વારા હિતોના સંઘર્ષના આક્ષેપો બાદ સેબીની પ્રથમ બોર્ડ મીટિંગ યોજાઈ હતી. બૂચ સામેના આક્ષેપો સંદર્ભે બેઠકમાં કોઈ ચર્ચા થઈ ન હતી. ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ પર નિયંત્રણો કડક કરવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

SEBI Board Meeting: 17 નિર્ણયો મંજૂર, ફ્યૂચર એન્ડ ઓપ્સન ટ્રેડિંગ નિયમોમાં કોઈ ફેરફાર નહીં, કાલે માર્કેટ પર થશે અસર

Follow us on

સેબીની એક મહત્વપૂર્ણ બોર્ડ મીટિંગ થઈ અને ઓપ્શન્સ ટ્રેડિંગ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. મીટિંગમાં આવા ઘણા સારા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેના કારણે આવતીકાલે એટલે કે 1લી ઑક્ટોબર 2024ના રોજ બજાર જોર પકડી શકે છે, (નોંધ;-જો global cues સાચા રહ્યા તો)

બજાર નિયામક સેબીની સોમવારે સાંજે મળેલી બેઠકમાં 17 મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. પ્રથમ નિર્ણય શેરબજાર અંગે લેવામાં આવ્યો હતો. સેબીએ નિર્ણય લીધો છે કે કોઈપણ બ્રોકરે તેના પ્લેટફોર્મ યુઝર્સ એટલે કે રોકાણકારોને ASBA જેવી સુવિધા અથવા 3-ઈન-વન એકાઉન્ટ પ્રદાન કરવું પડશે.

સેબીએ સ્ટોક બ્રોકર્સ માટે ગ્રાહકોને UPI-બ્લોક મિકેનિઝમ પ્રદાન કરવું અથવા ASBA જેવી સુવિધા પૂરી પાડવાનું ફરજિયાત બનાવ્યું છે, એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બ્લોક રકમ. નવા નિયમો 1 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવશે. થ્રી-ઇન-વન ટ્રેડિંગ એકાઉન્ટ એ સંયુક્ત ખાતું છે, જેમાં બચત ખાતું, ડીમેટ ખાતું અને ટ્રેડિંગ એકાઉન્ટનો સમાવેશ થાય છે.

વજન પ્રમાણે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ, જાણો
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
દૂધમાં ગોળ નાખીને પીવાથી જાણો શું થાય છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
સિંગરનો ફેવરિટ તહેવાર છે નવરાત્રી, ઢોલિવુડ અને બોલિવુડમાં આપ્યા છે હિટ ગીત
ધનની સમસ્યા દૂર કરવા માટે દેવરાહા બાબાએ જણાવ્યો સાબર મંત્ર, જુઓ Video

T+0 સેટલમેન્ટ ફાઇલ વધશે

સેબીએ 21 માર્ચ, 2024ના રોજ T+0 સેટલમેન્ટની એક મોટી પહેલ શરૂ કરી હતી. બોર્ડની બેઠકમાં આ પહેલને ચાલુ રાખવા અને આગળ વધારવા પર સહમતિ દર્શાવવામાં આવી છે. માર્ચમાં શરૂ થયેલી આ પહેલથી નિયુક્ત બ્રોકર્સ દ્વારા 25 કંપનીઓના શેર ખરીદનારા અને વેચનારાઓને ફાયદો થઈ રહ્યો હતો.

હવે સેબીએ નિર્ણય લીધો છે કે T+0 સેટલમેન્ટનો અવકાશ હવે માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે ટોચની 500 કંપનીઓના શેર સુધી લંબાવવામાં આવશે. આ સાથે, બધા નોંધાયેલા સ્ટોક બ્રોકર્સ તેમના રોકાણકારોને વૈકલ્પિક T+0 સેટલમેન્ટ ઓફર કરી શકશે. સ્ટોક બ્રોકર્સ આ સુવિધા માટે અલગ બ્રોકરેજ ચાર્જ લેવા માટે મુક્ત હશે.

આ ઉપરાંત, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) અને મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત મોટી સંસ્થાઓ પણ T+0 સેટલમેન્ટનો ઉપયોગ કરી શકશે.

રોકાણ સલાહકારો માટે નિયમો સરળ બનશે

દેશમાં સ્થાનિક રોકાણકારોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, સેબીએ નિર્ણય લીધો છે કે રોકાણ સલાહકારો અને સંશોધન વિશ્લેષકો સાથે સંબંધિત નિયમનકારી માળખું અને નિયમોને સરળ બનાવવામાં આવશે. આ માટે, સેબીએ પાત્રતા માપદંડોને હળવા કરવા, અનુપાલનની જરૂરિયાતોને સરળ બનાવવા અને નિયમનકારી માળખાની સમીક્ષા કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

નિયમોના ભંગને ટૂંક સમયમાં ઉકેલવામાં આવશે

સેબીએ નિર્ણય લીધો છે કે કેટલાક નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં, કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવશે. આ માટે, સેબી (ઇન્ટરમીડિયરીઝ) રેગ્યુલેશન્સ, 2008માં સુધારા માટેની જોગવાઈઓને મંજૂરી આપવામાં આવી છે. આ જોગવાઈઓ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને ઉલ્લંઘનના અમુક કિસ્સાઓમાં બજારની અખંડિતતા, પારદર્શિતા અને કાર્યક્ષમતા જાળવવાની બોર્ડની ક્ષમતાને વધારશે.

આ પણ વાંચો: Big Order: સરકારી કન્સ્ટ્રક્શન કંપનીને મળી રહ્યા છે ઓર્ડર પર ઓર્ડર, 180 પર પહોંચ્યો ભાવ, LIC પાસે છે 10 કરોડ શેર

 

Next Article