AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022 : કોરોનાકાળના બીજા બજેટમાં શેરબજારની કેવી રહેશે ચાલ? જાણો છેલ્લા 10 વર્ષના બજેટ સમયે શેરબજારનો કેવો હતો મૂડ

ચાલુ વર્ષે 5 રાજ્યમાં ચૂંટણીઓ છે. આ ચૂંટણીઓના પરિણામોની અસર આગામી લોકસભા ચૂંટણીમાં દેખાવાની છે.

Budget 2022 : કોરોનાકાળના બીજા બજેટમાં શેરબજારની કેવી રહેશે ચાલ? જાણો છેલ્લા 10 વર્ષના બજેટ સમયે શેરબજારનો કેવો હતો મૂડ
વર્ષ 2021 ના બજેટને જોરદાર ઉછાળા સાથે શેરબજારે વધાવ્યું હતું
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 8:06 AM
Share

આજે શેર માર્કેટ(Share Market) સારા બજેટની અપેક્ષાઓ સાથે ખુલશે. આજે 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણ બજેટ(Budget 2022) રજૂ કરશે. બજેટ પહેલા શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. મોટાભાગના ટ્રેડિંગ સેશનમાં બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. આજે બજેટના દિવસે માર્કેટ પરફોર્મન્સ (Share market performance budget day) કેવું રહેશે તેના પર દરેક વ્યક્તિની નજર રહેશે.

બજેટના દિવસે મોટાભાગે શેર બજારમાં નરમાશ દેખાય છે. છેલ્લા 10 વર્ષનો ટ્રેંડ જોઈએ તો પ્રણવમુખોજીથી નિર્મલા સીતારમણ સુધી નાણાં પ્રધાનના બજેટમાં 6 બજેટ બાદ માર્કેટ લાલ નિશાન તરફ ધકેલાયું છે. બજેટના દિવસે શેર બજારનું રિએક્શન ક્યારેક નરમ તો ક્યારેક આશ્ચર્યજનક રહે છે. બજેટના દિવસે છેલ્લા 10 વર્ષમાં માત્ર 4 વાર જ સેન્સેક્સમાં આગળ વધતું  જોવા મળ્યું હતું બાકી  બજાર તૂટ્યું છે.

ચૂંટણીઓના કારણે બજેટ રાહત આપનારું મળી શકે છે

ચાલુ વર્ષે ૫ રાજ્યમાં ચૂંટણીઓ છે. આ ચૂંટણીઓના પરિણામોની અસર આગામી લોકસભા ચૂંટણીમાં દેખાવાની છે. સરકાર કૃષિ અને આમ આદમીનું દિલ જીતવા એડી ચોટીનું જોર લગાડી શકે છે. આશા છે કે નાણાં મંત્રી નિર્મળ સીતારામણમાં ટેબ્લેટમાંથી આ બજેટમાં રાહતો અને અપેક્ષા મુજબની યોજનાઓનો વર્ષા થઇ શકે છે.

છેલ્લા 10 વર્ષમાં શેરબજરની બજેટના દિવસે સ્થિતિ 

બજેટ રજૂ થવાની તારીખ 

નાણાં મંત્રી 

સેન્સેક્સ 

26 ફેબ્રુઆરી  2010 પ્રણવ મુખર્જી -175
28 ફેબ્રુઆરી 2011 પ્રણવ મુખર્જી 123
16 માર્ચ 2012 પ્રણવ મુખર્જી -220
28 ફેબ્રુઆરી 2013 ચિદમ્બરમ -291
10 જુલાઈ 2014 અરુણ જેટલી -72
28 ફેબ્રુઆરી 2015 અરુણ જેટલી 141
29 ફેબ્રુઆરી 2016 અરુણ જેટલી -52
01 ફેબ્રુઆરી 2017 અરુણ જેટલી 476
01 ફેબ્રુઆરી 2018 અરુણ જેટલી -59
05 જુલાઈ 2019 સીતારામન -395
01 ફેબ્રુઆરી 2020 સીતારામન -900
01 ફેબ્રુઆરી 2021 સીતારામન 2314

મોદી સરકારમાં બજેટના દિવસોમાં બજેટની બજાર ઉપર અસર

  • બજેટ 2021ના દિવસે સેન્સેક્સમાં 5 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો
  • બજેટ 2020ના દિવસે માર્કેટમાં 2.42 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
  • બજેટ 2019 (સંપૂર્ણ) માં જ્યારે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું ત્યારે સેન્સેક્સ 2.43 ટકા ઘટ્યો હતો.
  • બજેટ 2019 (વાચવાળાના) માં પીયૂષ ગોયલે ફેબ્રુઆરી 2019માં બજેટ રજૂ કર્યું ત્યારે સેન્સેક્સ 0.59 ટકા વધ્યો હતો.
  • બજેટ 2018માં સેન્સેક્સ 0.16 ટકા ઘટ્યો હતો
  • બજેટ 2017માં સેન્સેક્સ 1.76 ટકા વધ્યો
  • બજેટ 2016ના બજેટમાં 0.66 ટકા ઘટ્યો
  • બજેટ 2015માં તે 0.48 ટકા વધ્યો

કોંગ્રેસના શાસન દરમિયાન બજેટના દિવસોમાં બજારનું પ્રદર્શન

  • બજેટ 2014માં ચિદમ્બરમે બજેટ રજૂ કર્યું ત્યારે સેન્સેક્સ 0.28 ટકા ઘટ્યો હતો
  • બજેટ 2013 સમયે સેન્સેક્સ 1.52 ટકા ઘટ્યો હતો
  • બજેટ 2012 પ્રણવ મુખર્જીએ રજૂ બજેટના દિવસે બજારમાં 1.19 ટકા ઘટ્યું હતું.
  • બજેટ 2011ના રોજ સેન્સેક્સ 0.69 ટકા વધ્યો હતો તે બજેટ પણ પ્રણવ મુખર્જીએ રજૂ કર્યું હતું.

આ પણ વાંચો : Share Market : Economic Survey જાહેર થયા બાદ બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયું, Sensex માં 813 અને Nifty માં 237 અંકનો વધારો

આ પણ વાંચો : Budget 2022 : શેરબજારની કમાણી ઉપર કેટલો ટેક્સ લાગે છે? જાણો શું છે નાણાં મંત્રી તરફ રોકાણકારોની અપેક્ષાઓ

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">