નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ‘અમૃતકાલનું આ પહેલું બજેટ’ રજુ કર્યું હતું. બજેટમાં મધ્યમ વર્ગ માટે શું થશે? કરદાતાઓને કોઈ ભેટ મળી કે નહીં? નાણામંત્રી નિર્મલા સીતારમણ ગરીબો, ખેડૂતો અને મહિલાઓ માટે શું આપ્યું, ટેક્સ સ્લેબને લઇને નાણા પ્રધાને શું જાહેરાત કરી ? છેલ્લે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્ર 2020-21માં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારો કર્યા હતા. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. કોરોના માહામારીને કારણે ગયા વર્ષે ટેક્સ સ્લેબમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સને લઈને મોટી જાહેરાત કરી છે. હવે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. હવે આ મર્યાદા 5 લાખ રૂપિયા હતી.
Personal #IncomeTax for the hardworking middle class
Currently, those with an income of Rs 5 lakhs do not pay any income tax and I proposed to increase the rebate limit to Rs 7 lakhs in the new tax regime
Finance Minister @nsitharaman
#Budget2023 #AmritKaalBudget pic.twitter.com/4PBNa3KsG5
— PIB India (@PIB_India) February 1, 2023
3 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયાની કમાણી પર 5% 6 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયાની કમાણી પર 10%
9 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયાની કમાણી પર 15% 12 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની કમાણી પર 20% 15 લાખ રૂપિયા અને તેથી વધુની કમાણી પર 30%
2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની કમાણી પર 5% 5 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયાની કમાણી પર 10% 7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની કમાણી પર 15% 10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયાની કમાણી પર 20% 12.5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની કમાણી પર 25% 15 લાખ રૂપિયા અને તેથી વધુની કમાણી પર 30%