AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: મુંબઈના બાંદ્રામાં આવેલી પાંચ માળની ઈમારત ધરાશાયી, 4 ફાયર ટેન્ડર અને 6 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai)ના ઈસ્ટ બાંદ્રા(Bandra East)માં પાંચ માળની ઈમારત ધરાશાયી(Building Collapse) થવાના સમાચાર પ્રકાશમાં આવ્યા

Maharashtra: મુંબઈના બાંદ્રામાં આવેલી પાંચ માળની ઈમારત ધરાશાયી, 4 ફાયર ટેન્ડર અને 6 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી
Mumbai Building Collpase Symboloic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:20 PM
Share

Maharashtra:મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai)ના ઈસ્ટ બાંદ્રા(Bandra East)માં પાંચ માળની ઈમારત ધરાશાયી(Building Collapse) થવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે.જ્યારે મુંબઈ ફાયર વિભાગ(Mumbai Fire Department)ની પાંચ ગાડીઓ અને 6 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે. BMCએ આ અંગે જાણકારી આપી છે.આના એક દિવસ પહેલા એટલે કે મંગળવારે પણ મુંબઈના મલાડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો હતો. જો કે આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પહેલા તાજેતરમાં જ દક્ષિણ મુંબઈમાં 20 માળની રહેણાંક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી, જે બાદ ઈમારત ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે.

BMCએ જણાવ્યું કે આ ઘટના બાંદ્રા (પૂર્વ)ના બહેરામ નગર વિસ્તારમાં બની હતી. અહીં પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં હંગામો મચી ગયો હતો. રાહત અને બચાવ માટે પાંચ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે. તે જ સમયે, એક બચાવ વાન અને છ એમ્બ્યુલન્સને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. તાજેતરમાં, દક્ષિણ મુંબઈમાં 20 માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે આ આગમાં 6 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે.

મૃતકોના પરિવારજનોને રૂ.5 લાખની સહાય

આ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી તપાસની આગેવાની કરશે. જો કે, BMC કમિશનરને 15 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે. તે જ સમયે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિજનો માટે 2 લાખની મદદની જાહેરાત કરવામાં આવી છે.

કાલબાદેવી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી થોડા મહિના પહેલા મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં એક 61 વર્ષીય વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયું હતું. જો કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ગયા વર્ષે જૂન 2021માં, મુંબઈના મલાડ પશ્ચિમમાં એક ઈમારત ધરાશાયી થતાં 11 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 7 લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો- SSC CGL Recruitment 2021-22: આવતીકાલથી SSC CGL અરજી ફોર્મમાં કરો સુધારો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

આ પણ વાંચો-બિટકોઈન બંધ કરો નહીંતર આખી આર્થિક વ્યવસ્થા નાશ પામશે, IMFની અલ સાલ્વાડોરને ચેતવણી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">