AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિટકોઈન બંધ કરો નહીંતર આખી આર્થિક વ્યવસ્થા નાશ પામશે, IMFની અલ સાલ્વાડોરને ચેતવણી

અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે, બિટકોઇનને કાનૂની ચલણનો દરજ્જો આપ્યો છે. આ સાથે યુએસ ડોલરને પણ પોતાના દેશની કરન્સીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે કે ડોલર સાથે બિટકોઈનમાં પણ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે.

બિટકોઈન બંધ કરો નહીંતર આખી આર્થિક વ્યવસ્થા નાશ પામશે, IMFની અલ સાલ્વાડોરને ચેતવણી
Shutdown Bitcoin else entire economy will be destroyed IMF cautions El Salvador
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:14 PM
Share

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ઇચ્છે છે કે અલ સાલ્વાડોર (El Salvador) બિટકોઇનને (Bitcoin) આપવામાં આવેલા કાનૂની ટેન્ડરની નોંધણીને સમાપ્ત કરે. IMFએ અલ સાલ્વાડોરને ઈલેક્ટ્રોનિક વોલેટનું કડક નિયમન કરવા કહ્યું છે, જે સમગ્ર દેશમાં વ્યવહારો માટે લાગુ કરવામાં આવ્યા છે.

અલ સાલ્વાડોર વિશ્વનો પહેલો દેશ છે જેણે બિટકોઈનને ફિયાટ કરન્સી (રૂપિયો, ડોલર, પાઉન્ડ, યુરો) જેવી સત્તાવાર ચલણ તરીકે રજીસ્ટર કરાવ્યું છે. એટલે કે અલ સાલ્વાડોરમાં સરકારી પગારથી લઇને એટીએમ દ્વારા બિટકોઈનની આપ લે કરી શકે છે. એટલું જ નહીં લોટ-કઠોળ અને સાબુ-તેલ પણ બજારમાં બિટકોઈન દ્વારા ખરીદી શકાશે.

વિશ્વની તમામ બેંકોના બોર્ડ અને IMFએ અલ સાલ્વાડોરના આ પગલાની ટીકા કરી અને તેના નુકસાન વિશે ચેતવણી આપી. IMFએ કહ્યું છે કે બિટકોઈનનો ઉપયોગ બંધ કરીને તેનો દરજ્જો નાબૂદ કરવો જોઈએ.

IMF લાંબા સમયથી બિટકોઈન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. આ સંસ્થા બિટકોઈન, ઈથર જેવી ક્રિપ્ટોકરન્સી માટે કોઈ ભવિષ્ય જોતી નથી. નાણાકીય વ્યવસ્થાની સુરક્ષા હોય કે બજારમાં જોખમ વિના વેપાર, નાણાકીય સ્થિરતા હોય કે પછી ગ્રાહકોના અધિકારોનું રક્ષણ હોય, IMFનું માનવું છે કે ક્રિપ્ટોકરન્સી ખૂબ જોખમ લાવી શકે છે.

અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ, નાયબ બુકેલે, બિટકોઇનને કાનૂની ચલણનો દરજ્જો આપ્યો છે. આ સાથે યુએસ ડોલરને પણ પોતાના દેશની કરન્સીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે કે ડોલર સાથે બિટકોઈનમાં પણ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. અલ સાલ્વાડોરમાં ગયા વર્ષે, બિટકોઈન એ મોટી છલાંગ લગાવી અને તેનું મૂલ્ય બમણું થઈ ગયું.

જોકે સૌથી મોટો ઘટાડો મંગળવારે જોવા મળ્યો હતો અને તેની કિંમત ગયા વર્ષના 9 જૂનના સ્તરે આવી ગઈ હતી. 9 જૂનના રોજ, અલ સાલ્વાડોરની કોંગ્રેસે બિટકોઈનને કાનૂની ટેન્ડર બનાવવા માટે કાયદો પસાર કર્યો હતો. જોકે, બિટકોઈનનો કાયદો સપ્ટેમ્બર 2021માં અમલમાં આવ્યો હતો.

વિશ્વમાં એવો અભિપ્રાય હતો કે સરકારી હસ્તક્ષેપ વિના કે સરકારના નિયંત્રણ વિના કોઈ પણ ડિજીટલ કરન્સી શરૂ કરવામાં આવે તો તે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થશે. દરમિયાન, અલ સાલ્વાડોરે બિટકોઈનને ચલણનો દરજ્જો આપ્યો. તેણે લાખો અલ સાલ્વાડોરના નાગરિકોને મની ટ્રાન્સફર ફીમાંથી મુક્ત કર્યા, જે અન્ય દેશોમાંથી આવતા પૈસા માટે ચૂકવવી પડતી હતી. બિટકોઈન આ બધી ઝંઝટમાંથી મુક્તિ આપે છે. અલ સાલ્વાડોરમાં ચુકવણી માટે બિટકોઈનનો વ્યાપક ઉપયોગ થાય છે.

આ પણ વાંચો –

Russia Ukraine crisis : યુરોપમાં ઉર્જા કટોકટી વધુ ઘેરી બનવાની આશંકા વચ્ચે યુએસ પ્રમુખ જો બાયડેન કતારના નેતા સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો –

Blackout: મધ્ય એશિયામાં વીજળીનું મોટું સંકટ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાન, એક સાથે ત્રણ દેશમાં અંધારપટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">