Bhakti: તમે નહીં સાંભળી હોય ધનતેરસના પ્રારંભ સાથે જોડાયેલી આ અત્યંત રસપ્રદ કથા

એક દિવસ લક્ષ્મીજીએ સ્વયં એક લક્ષ્મીપ્રતિમા બનાવી અને ખેડૂત પત્નીને તેની વિધિસર પૂજા કરવા કહ્યું. ખેડૂત પત્ની નિત્ય જ આસ્થા સાથે દેવીની પૂજા કરવા લાગી. જેના ફળ રૂપે માતાએ તેના ઘરને ધન-ધાન્યથી ભરી દીધું.

Bhakti: તમે નહીં સાંભળી હોય ધનતેરસના પ્રારંભ સાથે જોડાયેલી આ અત્યંત રસપ્રદ કથા
ધનતેરસના પૂજનથી વૃદ્ધિના આશિષ દેશે માતા મહાલક્ષ્મી
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 13, 2022 | 12:20 PM

ધનતેરસનો (dhanteras) અવસર એટલે તો ધનની દેવી માતા લક્ષ્મીને (goddess lakshmi) પ્રસન્ન કરવાનો સર્વોત્તમ અવસર. પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્રમંથન (samudra manthan) કર્યું. જેમાંથી જ દેવી લક્ષ્મી અને આરોગ્યના દાતા ધન્વંતરિનું (dhanvantri) પ્રાગટ્ય થયું. લોકવાયકા એવી છે કે જે દિવસે સમુદ્રમાંથી દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિ પ્રગટ થયા તે દિવસ આસો વદ તેરસનો હતો. અને એટલે જ આ અવસરે માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિ બંન્નેની પૂજાનું માહાત્મ્ય છે. જો કે ધનતેરસના પ્રારંભ સાથે અનેકવિધ દંતકથાઓ પણ જોડાયેલી છે. જેમાંથી એક તો ખૂબ જ રસપ્રદ છે.

દંતકથા અનુસાર એકવાર શ્રીવિષ્ણુ પૃથ્વીલોક પર ભ્રમણ માટે નીકળ્યા. તે સમયે દેવી લક્ષ્મીએ સાથે આવવાની હઠ પકડી. ત્યારે શ્રીહરિએ લક્ષ્મીજીને કહ્યું, “દેવી ! તમે સાથે આવો તેનો વાંધો નથી. પરંતુ, તમારે મારી વાતનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે.”

દેવી લક્ષ્મીએ હા પાડી દીધી અને બંને ધરતી પર આવ્યા. થોડો સમય વિત્યા બાદ શ્રીવિષ્ણુએ લક્ષ્મીજીને એક સ્થાન પર રોક્યા અને કહ્યું, “દેવી ! હું દક્ષિણ દિશા તરફ જઉં છું. હું પાછો ન આવું ત્યાં સુધી તમે અહીં જ મારી રાહ નિહાળજો. મારી પાછળ પણ ન આવતા કે આગળ પણ ન વધતા.”

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

લક્ષ્મીજીએ નારાયણને હા પાડી. પરંતુ, ખુદને શ્રીહરિની પાછળ જતા તેઓ રોકી ન શક્યા અને આગળ વધ્યા. ત્યાં એક ખેતરમાં તેમણે સુંદર પુષ્પ જોયા. દેવીએ તે પુષ્પ તોડી સ્વયંનો શ્રૃંગાર કર્યો. આગળ વધતા શેરડીના સાંઠા જોયા. દેવીએ શેરડીમાંથી રસ ચૂસ્યો. ત્યાં જ શ્રીવિષ્ણુ પ્રગટ થઈ ગયા અને દેવી લક્ષ્મી પર ક્રોધે ભરાઈને તેમણે કહ્યું, “લક્ષ્મી ! મેં તમને ના પાડી, છતાં તમે મારી પાછળ આવ્યા અને વગર મંજૂરીએ એક ખેતરમાંથી વસ્તુઓ લઈ ચોરીનો અપરાધ કરી બેઠાં ! હવે તમે 12 વર્ષ સુધી અહીં જ રહી તે ખેડૂત પરિવારની સેવા કરો.”

શ્રીહરિ તો લક્ષ્મીજીને ત્યાં જ રહેવા દઈ ક્ષીરસાગર ચાલ્યા ગયા અને દેવી લક્ષ્મી તે ગરીબ ખેડૂતના ઘરમાં રહેવા લાગ્યા. એક દિવસ લક્ષ્મીજીએ સ્વયં એક લક્ષ્મીપ્રતિમા બનાવી અને ખેડૂત પત્નીને તેની વિધિસર પૂજા કરવા કહ્યું. ખેડૂત પત્ની નિત્ય જ આસ્થા સાથે દેવીની પૂજા કરવા લાગી. જેના ફળ રૂપે માતાએ તેના ઘરને ધન-ધાન્યથી ભરી દીધું. 12 વર્ષ બાદ નારાયણ લક્ષ્મીજીને લેવા પધાર્યા. પણ, ખેડૂત પરિવારે તો લક્ષ્મીજીને મોકલવાની જ ના પાડી દીધી. વિષ્ણુજીએ સમજાવ્યું કે લક્ષ્મી તો ચંચળ છે. તે ક્યાંય ટકતા નથી. આ તો શ્રાપને લીધે તે અહીં રહ્યા. પણ, ખેડૂતે તો હઠ પકડી. કે તે દેવીને નહીં જવા દે. ત્યારે સ્વયં લક્ષ્મીજીએ કહ્યું, “હું તમારી લાગણી સમજી શકું છું. જો તમારે મને અહીં સ્થિર કરવી હોય, તો કાલે તેરસના અવસરે એક ઘીનો દીપ પ્રજ્વલિત કરજો અને વિધિસર મારી પૂજા કરજો. એક કળશમાં ધન ભરીને મૂકજો. હું તેમાં નિવાસ કરીશ. પણ, તમને દેખાઈશ નહીં !”

કહે છે કે આટલું બોલી દેવી લક્ષ્મી અને નારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. બીજા દિવસે એટલે કે ધનતેરસના અવસરે ખેડૂત પરિવારે માના નિર્દેશ અનુસાર જ પૂજા કરી. જેના લીધે તેનું ઘર ધન-ધાન્યથી પરિપૂર્ણ જ રહ્યું. દંતકથા એવી છે કે આ ઘટનાને લીધે જ દર વર્ષે ધનતેરસે લક્ષ્મી પૂજનની પરંપરા શરૂ થઈ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ એકાદશીથી લઈ દિવાળી સુધી આ રીતે કરો દીપદાન, ચોક્કસથી પ્રાપ્ત થશે કૃપા !

આ પણ વાંચોઃ શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મેળવવામાં મદદરૂપ બનશે ઓમકાર જાપ ! 

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">