બદરીનાથના દર્શન પૂર્વે શા માટે તપ્તકુંડમાં સ્નાન કરવું છે જરૂરી ? જાણો રહસ્યમય અગ્નિતીર્થનો મહિમા

હજારો ચાંદ્રાયણ વ્રતોથી (chandrayan vrat) તેમજ કરોડો કૃચ્છ્ વ્રતોથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળ તો અગ્નિતીર્થમાં સ્નાન માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે. લોકવાયકા અનુસાર બદરીધામના અગ્નિતીર્થ એટલે કે તપ્તકુંડમાં સ્વયં અગ્નિદેવનો નિવાસ છે.

બદરીનાથના દર્શન પૂર્વે શા માટે તપ્તકુંડમાં સ્નાન કરવું છે જરૂરી ? જાણો રહસ્યમય અગ્નિતીર્થનો મહિમા
Follow Us:
Avani Trivedi
| Edited By: | Updated on: Jun 02, 2023 | 9:31 AM

હિન્દુ ધર્મમાં ચાર ધામના દર્શનની યાત્રાનો સવિશેષ મહિમા છે. પણ, જો વ્યક્તિ આ મોટા ચાર ધામના દર્શન ન કરી શકે, તો પણ જીવનમાં એકવાર તે ઉત્તરાખંડના ચાર ધામના દર્શનની મનશા તો રાખતો જ હોય છે. આ ચાર ધામ એટલે ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથ. હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ચાર ધામના દર્શનનો લાભ લઈ રહ્યા છે. પણ, શું તમે જાણો છો કે તપ્તકુંડમાં સ્નાન વિના મહાધામ એવા બદરીધામની યાત્રા અપૂર્ણ મનાય છે ?

બદરીધામ મહિમા

ઉત્તરાખંડના બદરિકાશ્રમમાં શ્રીહરિનું દિવ્ય રૂપ પ્રસ્થાપિત છે. પ્રભુનું આ સ્વરૂપ બદરીનાથ તેમજ બદરીવિશાલ તરીકે પૂજાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદરીનાથના આશિષ લેવા બદરિકાશ્રમ પહોંચતા હોય છે. પણ, અહીં બદરીનાથના દર્શન પહેલાં તપ્તકુંડમાં સ્નાન કરવાની પરંપરા છે. કહે છે કે જ્યાં સુધી તમે આ તપ્તકુંડમાં સ્નાન નથી કરી લેતા, ત્યાં સુધી આપને બદરીનાથના દર્શનના પૂર્ણ ફળની પ્રાપ્તિ નથી થતી.

તપ્તકુંડ માહાત્મ્ય

જલ સ્નાનથી મનુષ્યના તનની શુદ્ધિ થાય છે. પરંતુ, જીવનમાં આ તન શુદ્ધિ કરતાં પણ વધારે મહત્વ છે મન શુદ્ધિનું તેમજ કર્મશુદ્ધિનું. અને આ તમામ શુદ્ધિ પરિપૂર્ણ થાય છે બદરિકાશ્રમના તપ્તકુંડમાં. આ તપ્તકુંડ અગ્નિતીર્થ તરીકે પણ પ્રસિદ્ધ છે. જેમાં સતત ગરમ પાણી પ્રવાહિત થતું જ રહે છે. અગ્નિતીર્થ તરીકે પ્રસિદ્ધ આ તપ્તકુંડમાં સ્નાન બાદ જ ભક્તો બદરીવિશાલના દર્શન માટે આગળ પ્રસ્થાન કરે છે. સ્કંદ પુરાણમાં આ તીર્થની મહત્તા વર્ણવતા નીચે મુજબ ઉલ્લેખ મળે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ચાંદ્રાયણ સહસ્ત્રૈસ્તુ કૃચ્છૈઃ કોટિ ભિરેવ ચ । યત્ફલં લભતે મર્ત્યસ્તત્સ્નાનાત્ વન્હિતીર્થતઃ ।।

અર્થાત્, હજારો ચાંદ્રાયણ વ્રતોથી તેમજ કરોડો કૃચ્છ્ વ્રતોથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળ તો અગ્નિતીર્થમાં સ્નાન માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે. લોકવાયકા અનુસાર બદરીધામના અગ્નિતીર્થ એટલે કે તપ્તકુંડમાં સ્વયં અગ્નિદેવનો નિવાસ છે. અને સ્કન્દ પુરાણમાં આ તીર્થના પ્રાગટ્ય સંબંધી રોચક કથાનું વર્ણન મળે છે.

તપ્તકુંડનું રહસ્ય !

સ્કન્દ પુરાણમાં ઉલ્લેખ છે તે અનુસાર મહર્ષિ ભૃગુની પત્ની પુલોમા અત્યંત સ્વરૂપવાન હતી. તેના પર કુમારાવસ્થાથી જ એક અસુર આસક્ત હતો. પહેલાં એ અસુર સાથે જ પુલોમાના લગ્નની વાત પણ ચાલી હતી. પણ, દેવી પુલોમાના લગ્ન ઋષિ ભૃગુ સાથે થયા. એકવાર ઋષિ ભૃગુની ગેરહાજરીમાં અસુર આશ્રમમાં પ્રવેશ્યો. તે સમયે આશ્રમમાં માત્ર અગ્નિહોત્રનો અગ્નિ જ પ્રજ્વલિત હતો. રાક્ષસે અગ્નિને પૂછ્યું, કે “શું આ એ જ સ્ત્રી છે ને, કે જેની સાથે મારી સગાઈની વાત થઈ હતી ?”

અગ્નિદેવને ભયંકર શ્રાપ !

સરળ સ્વભાવના અગ્નિએ હા પાડી દીધી. અને તે અસુર અગ્નિને જ સાક્ષી માની ગર્ભવતી પુલોમાને ઉપાડી ગયો. અલબત્, રસ્તામાં જ તેને પ્રસવ થઈ ગયો. અને મહર્ષિ ચ્યવનનો જન્મ થયો. મહર્ષિ ચ્યવનનું તેજ એટલું હતું કે તેમના બ્રહ્મતેજથી અસુર તત્કાલ જ ભસ્મ થઈ ગયો. પણ, બીજી તરફ ઋષિ ભૃગુને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે ક્રોધમાં અગ્નિને શ્રાપ આપી દીધો. “હે અગ્નિ ! તું એક અસુરના ખરાબ કૃત્યનો સાક્ષી બન્યો ! તું સારા-ખોટાનું ભાન પણ ભૂલી ગયો ! જા, હું તને શ્રાપ આપું છું કે તું સર્વભક્ષી થઈ જઈશ.”

કેવી રીતે થયો અગ્નિદેવનો ઉદ્ધાર ?

સ્કન્દ પુરાણમાં ઉલ્લેખ છે તે મુજબ ઋષિ ભૃગુના શ્રાપથી ભયભીત થયેલા અગ્નિદેવને વેદવ્યાસજીએ બદરિકાશ્રમમાં જવા કહ્યું. અગ્નિદેવે બદરિકાશ્રમમાં અખંડ તપ કર્યું. આખરે, શ્રીહરિએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે અગ્નિદેવે શ્રાપમુક્તિની વાત કરી. તે સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું કે, “હે અગ્નિ ! તારો સર્વભક્ષી હોવાનો શ્રાપ તો આ ક્ષેત્રના દર્શન માત્રથી જ દૂર થઈ ગયો છે. હવે તું અહીં જ નિવાસ કર અને અહીં આવનારા લોકોને પાપ મુક્ત કર.”

જ્યાં સ્વયં અગ્નિદેવને શ્રાપમાંથી મુક્તિ મળી તે સ્થાન એટલે જ તપ્તકુંડ. શ્રદ્ધાળુઓ પાપકર્મથી મુક્તિની કામના સાથે જ તપ્તકુંડમાં સ્નાન કરે છે. અને આ તન-મનની શુદ્ધિ બાદ જ બદરીવિશાલના દર્શને આગળ વધે છે. માન્યતા અનુસાર જ્યાં સુધી આપ તન-મનથી શુદ્ધ નથી થતા ત્યાં સુધી આપ બદરીનાથના આશિષના અધિકારી નથી બનતા. અને એ જ કારણ છે કે તપ્તકુંડમાં સ્નાન વિના બદરીધામની યાત્રા અપૂર્ણ મનાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">