AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ભોજન કર્યા પછી થાળીમાં ક્યારેય હાથ ન ધોવા, લાગશે વાસ્તુ દોષ

Vastu Shastra : ઘણા ઘરોમાં જોવા મળે છે કે લોકો જમ્યા પછી થાળીમાં હાથ ધોઈ લે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં ગરીબી આવે છે.

Vastu Tips: ભોજન કર્યા પછી થાળીમાં ક્યારેય હાથ ન ધોવા, લાગશે વાસ્તુ દોષ
Vastu Shastra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 5:30 PM
Share

Vastu Tips : ઘણીવાર લોકો જમ્યા પછી થાળીમાં હાથ ધોઈ લે છે. પરંતુ ભોજનની થાળીમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ. ધાર્મિક માન્યતા (Religious belief)ઓ અનુસાર ભોજનની થાળીમાં હાથ ધોવાને અશુભ માનવામાં આવે છે. થાળીમાં હાથ ધોવાથી તેમાં રહેલ ભોજનનો અનાદર થાય છે. ભોજનની થાળીમાં હાથ ધોવાથી મા લક્ષ્મી અને અન્નપૂર્ણા નારાજ થાય છે. જેના કારણે ઘરમાં ગરીબી રહે છે. શાસ્ત્રોમાં પણ અગ્નિને મુખ્ય દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે યજ્ઞમાં ચઢાવવામાં આવતી સામગ્રી દેવતાઓને અન્ન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એટલા માટે ભોજન (FOOD)નું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ સિવાય ઘણા પુરાણોમાં ભોજનનું અપમાન કરવું પણ પાપ માનવામાં આવ્યું છે.

માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે

થાળીમાં હાથ ધોવાથી તેમાં રહેલ ભોજનનો અનાદર થાય છે. તેનાથી દેવી અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મી પણ ગુસ્સે થાય છે. તેમ ન કરવા પાછળનું કારણ પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. તેથી ક્યારેય પણ ભોજનનું અપમાન ન કરવું જોઈએ.

જમતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

ભોજનની થાળી હંમેશા સાદડી, પાટ કે ચોરસા પર આદરપૂર્વક રાખો. આ સિવાય ભોજનની થાળી ક્યારેય એક હાથે ન પકડવી જોઈએ. એવું માનવામાં આવે છે કે થાળીને એક હાથથી પકડી ખોરાક ખાવાથી માણસ પ્રેત યોનીમાં જાય છે. ઉપરાંત થાળીમાં બચેલું છોડવું પણ અશુભ માનવામાં આવે છે. ભોજન પહેલાં ભગવાનનું ધ્યાન કરવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ભોજન કરતી વખતે ગુસ્સો, વાતચીત કે વિચિત્ર અવાજો ન કરવા જોઈએ.

ભોજનનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. જો ખોરાક યોગ્ય દિશામાં બનેલો હોય અને તેને યોગ્ય દિશામાં બેસીને આરોગવામાં આવે તો તેમાંથી યોગ્ય પોષણ અને સારું સ્વાસ્થ્ય મેળવી શકાય છે. ખોરાકનો સંબંધ ઊર્જા સાથે છે. જો ખોરાક ખોટી દિશામાં તૈયાર કરવામાં આવે, તો તેમાંથી નકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે, જેના કારણે સ્વાસ્થ્ય ખરાબ થાય છે. બીમારીઓ થાય છે અને માનસિક હતાશા પણ થઈ શકે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">