AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ભોજન કર્યા પછી થાળીમાં ક્યારેય હાથ ન ધોવા, લાગશે વાસ્તુ દોષ

Vastu Shastra : ઘણા ઘરોમાં જોવા મળે છે કે લોકો જમ્યા પછી થાળીમાં હાથ ધોઈ લે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં ગરીબી આવે છે.

Vastu Tips: ભોજન કર્યા પછી થાળીમાં ક્યારેય હાથ ન ધોવા, લાગશે વાસ્તુ દોષ
Vastu Shastra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 5:30 PM
Share

Vastu Tips : ઘણીવાર લોકો જમ્યા પછી થાળીમાં હાથ ધોઈ લે છે. પરંતુ ભોજનની થાળીમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ. ધાર્મિક માન્યતા (Religious belief)ઓ અનુસાર ભોજનની થાળીમાં હાથ ધોવાને અશુભ માનવામાં આવે છે. થાળીમાં હાથ ધોવાથી તેમાં રહેલ ભોજનનો અનાદર થાય છે. ભોજનની થાળીમાં હાથ ધોવાથી મા લક્ષ્મી અને અન્નપૂર્ણા નારાજ થાય છે. જેના કારણે ઘરમાં ગરીબી રહે છે. શાસ્ત્રોમાં પણ અગ્નિને મુખ્ય દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે યજ્ઞમાં ચઢાવવામાં આવતી સામગ્રી દેવતાઓને અન્ન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એટલા માટે ભોજન (FOOD)નું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ સિવાય ઘણા પુરાણોમાં ભોજનનું અપમાન કરવું પણ પાપ માનવામાં આવ્યું છે.

માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે

થાળીમાં હાથ ધોવાથી તેમાં રહેલ ભોજનનો અનાદર થાય છે. તેનાથી દેવી અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મી પણ ગુસ્સે થાય છે. તેમ ન કરવા પાછળનું કારણ પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. તેથી ક્યારેય પણ ભોજનનું અપમાન ન કરવું જોઈએ.

જમતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

ભોજનની થાળી હંમેશા સાદડી, પાટ કે ચોરસા પર આદરપૂર્વક રાખો. આ સિવાય ભોજનની થાળી ક્યારેય એક હાથે ન પકડવી જોઈએ. એવું માનવામાં આવે છે કે થાળીને એક હાથથી પકડી ખોરાક ખાવાથી માણસ પ્રેત યોનીમાં જાય છે. ઉપરાંત થાળીમાં બચેલું છોડવું પણ અશુભ માનવામાં આવે છે. ભોજન પહેલાં ભગવાનનું ધ્યાન કરવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ભોજન કરતી વખતે ગુસ્સો, વાતચીત કે વિચિત્ર અવાજો ન કરવા જોઈએ.

ભોજનનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. જો ખોરાક યોગ્ય દિશામાં બનેલો હોય અને તેને યોગ્ય દિશામાં બેસીને આરોગવામાં આવે તો તેમાંથી યોગ્ય પોષણ અને સારું સ્વાસ્થ્ય મેળવી શકાય છે. ખોરાકનો સંબંધ ઊર્જા સાથે છે. જો ખોરાક ખોટી દિશામાં તૈયાર કરવામાં આવે, તો તેમાંથી નકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે, જેના કારણે સ્વાસ્થ્ય ખરાબ થાય છે. બીમારીઓ થાય છે અને માનસિક હતાશા પણ થઈ શકે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું
રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ
રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
g clip-path="url(#clip0_868_265)">