AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંગારકી ચતુર્થીએ અજમાવી લો આ સરળ ઉપાય, શ્રીગણેશ મુશ્કેલમાં મુશ્કેલ કાર્યોને પણ કરી દેશે સિદ્ધ !

અંગારકી સંકષ્ટી ચતુર્થીના રોજ જમણી સૂંઢવાળા ગણપતિની પૂજા કરવી વિશેષ ફળદાયી મનાય છે. કહે છે કે જમણી સૂંઢવાળા ગણેશજીની પૂજામાં વિશેષ સાવધાની રાખવાની હોય છે. આ સાવધાની એટલે કે મુશ્કેલ પૂજાવિધિ શ્રીગણેશની સવિશેષ પ્રસન્નતાને પ્રાપ્ત કરાવે છે.

અંગારકી ચતુર્થીએ અજમાવી લો આ સરળ ઉપાય, શ્રીગણેશ મુશ્કેલમાં મુશ્કેલ કાર્યોને પણ કરી દેશે સિદ્ધ !
Lord Ganesh (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 17, 2022 | 9:03 AM
Share

ગજાનન શ્રીગણેશ (Ganesha) તો મંગલમૂર્તિ છે. એટલે કે ભક્તોનું સદૈવ મંગળ કરનારા દેવ. વક્રતુંડની કૃપાને પ્રાપ્ત કરવું વધારે અઘરું નથી. કેમ કે તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. પણ તેમ છતાં, તેમની કૃપા પ્રાપ્તિ માટે સંકટચોથનું વ્રત સૌથી શ્રેષ્ઠ મનાય છે. સંકટચોથનું વ્રત સંતાન અને પરિવારની સુરક્ષા માટે રાખવામાં આવે છે. દર મહિનાની વદ પક્ષની ચોથ એ સંકષ્ટી તરીકે ઓળખાય છે. પણ, આ સંકષ્ટી જો મંગળવારના રોજ આવતી હોય તો તેને અંગારકી સંકષ્ટી કહેવામાં આવે છે. જે વ્રત કરનારને સવિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ વખતે આ સંયોગ 19 એપ્રિલ, મંગળવારના રોજ સર્જાયો છે.

કહે છે કે અંગારકી સંકષ્ટી ચોથના રોજ કેટલાક સરળ ઉપાય કરવામાં આવે તો ગણેશજી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તો પર તેમની અસીમ કૃપા વરસાવે છે. આ ઉપાયો થકી વ્યક્તિની દરેક મનોકામનાની પૂર્તિ થાય છે. એટલું જ નહીં, વ્યક્તિને વિવિધ કાર્યોમાં સફળતા મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

અંગારકીએ અજમાવો સરળ ઉપાય

⦁ અંગારકી સંકષ્ટીએ તાંબાના કળશમાં ગંગાજળ ભરી તેને પૂજાઘરમાં મૂકો. ત્યારબાદ તેમાં એક સોપારી રાખી દો. આ કાર્ય કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.

⦁ સંકષ્ટીએ ગણેશજીની પૂજા કરતી વખતે લાલ વસ્ત્રમાં શ્રીયંત્ર અને સોપારી મૂકો. આ કાર્ય પછી ગણેશજી સાથે જ તેની પૂજા કરો. ત્યારબાદ સાંજના સમયે તિજોરીમાં આ વસ્તુ રાખી દો. આ કાર્ય કરવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.

⦁ કોઇ વિશેષ કાર્યમાં સફળતા મેળવવા માટે સંકટચોથના દિવસે ગણેશજી સામે બે સોપારી અને બે ઇલાયચી રાખો. ત્યારબાદ જ ગણેશજીનું પૂજન કરો. આ કાર્ય કરવાથી આપને સફળતા ચોક્કસથી પ્રાપ્ત થશે.

⦁ અંગારકીએ ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે ગણેશચાલીસાનો પાઠ અને આરતી કરો. કહે છે કે ગણેશચાલીસાના પાઠ પછી ગણેશજી પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામનાની પૂર્તિ થાય છે.

⦁ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે ગણેશજીને મોદકનો પ્રસાદ અર્પણ કરો અને ઓછામાં ઓછી 21 દૂર્વાની ગાંઠ અર્પણ કરો. આ કાર્ય કરવાથી આપને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે અને ગણેશજી પ્રસન્ન થઇને દરેક મનોકામના પૂર્ણ કરશે.

⦁ કોઇ વિશેષ કાર્યમાં સિદ્ધિ હાંસલ કરવા માટે અંગારકીએ અચૂક ગણેશજીના મંત્રોનો જાપ કરવો. તમને આવડતો હોય તે ગણેશમંત્રનો તમારે 108 વખત જાપ કરવો જોઈએ. આમ તો વિઘ્નહર્તાની કૃપાને પ્રાપ્ત કરાવતો સૌથી સરળ મંત્ર છે ।। ૐ ગં ગણપતયે નમઃ ।।

⦁ સંકટચોથના દિવસે જમણી સૂંઢવાળા ગણપતિની પૂજા કરવી. આ કાર્ય કરવાથી આપની દરેક મનોકામના પૂર્ણ થશે. કહેવાય છે કે જમણી સૂંઢવાળા ગણેશજીની પૂજામાં વિશેષ સાવધાની રાખવાની હોય છે. એટલે કે ગણેશજી મુશ્કેલ પૂજાવિધિથી વિશેષ પ્રસન્ન થાય છે. અને એટલે જ અંગારકી સંકષ્ટ ચતુર્થીના રોજ પ્રભુના આ રૂપની પૂજા વિશેષ ફળદાયી મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : હનુમાનજીને શા માટે સિંદૂર અર્પણ કરવાનો છે આટલો મહિમા ? જાણો રસપ્રદ કથા

આ પણ વાંચો : એક પ્રેમપત્ર બન્યો હતો માધવપુરના પ્રાગટ્યનું નિમિત્ત ! જાણો વિશ્વના સૌથી મોટા વિવાહોત્સવનું રહસ્ય

Follow Us
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">