AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangajal : અજમાવી લો સર્વ પાપનો નાશ કરનાર ગંગાજળનો આ સિદ્ધ ઉપાય, આપને દેવામાંથી મળશે મુક્તિ

હિન્દુ ધર્મમાં ગંગાને (Ganga) માતા કહેવામાં આવે છે. ગંગાજળનો મહિમા જેટલો કહીએ એટલો ઓછો છે. જો તમે ગંગા નદીમાં ડૂબકી નથી લગાવી શકતા તો તમે સામાન્ય જળમાં પણ ગંગાજળના ટીંપા ઉમેરીને સ્નાન કરીને ગંગામાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

Gangajal : અજમાવી લો સર્વ પાપનો નાશ કરનાર ગંગાજળનો આ સિદ્ધ ઉપાય, આપને દેવામાંથી મળશે મુક્તિ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 12:14 PM
Share

હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ ગંગાજળમાં ઘણા બધા ચમત્કારિક ગુણ હોય છે. ગંગાજળને ઘરમાં રાખવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. સાથે જ ભગવાન ભોળાનાથને નિત્ય ગંગાજળ અર્પણ કરવાથી તેમના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

ગંગાજળ વિશે એવી પણ લોક માન્યતાઓ છે કે આ પાણી ક્યારેય ખરાબ નથી થતું. તેમાં જંતુઓ પણ જોવા મળતા નથી. કહેવાય છે કે ગંગાજળમાંથી ક્યારેય ખરાબ વાસ નથી આવતી. ગંગાજળ વિશેની ઘણી વાતો આપણે સાંભળી છે.લોકો ગંગાજળને ગંગામાંથી લાવીને વર્ષો સુધી પોતાના ધરમાં સાચવીને સંરક્ષિત કરે છે છતાં પણ તે પાણી વાસી નથી થતું.

પુણ્યની પ્રાપ્તિ અર્થે

માન્યતાઓ અનુસાર ગંગા નદીમાં આસ્થા સાથે ડૂબકી લગાવવાથી મનુષ્યના દરેક પ્રકારના પાપ ધોવાઇ જાય છે. હિન્દુ ધર્મમાં ગંગાને માતા કહેવામાં આવે છે. કોઇનો જન્મ થાય કે કોઇનું મૃત્યુ થાય ત્યારે ગંગાજળ તે વ્યક્તિ કે વસ્તુને પવિત્ર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ગંગાજળનો મહિમા જેટલો કહીએ એટલો ઓછો છે. જો તમે ગંગા નદીમાં ડૂબકી નથી લગાવી શકતા તો તમે સામાન્ય જળમાં પણ ગંગાજળના ટીંપા ઉમેરીને સ્નાન કરીને ગંગામાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

દેવામાંથી મુક્તિ અર્થે

જો તમે દેવામાં ડૂબેલા હોવ તો તેમાંથી બહાર નીકળવા માટે ગંગાજળનો આ અસરકારક ઉપાય અજમાવવો જોઇએ. પિત્તળના કળશમાં ગંગાજળ લઇને તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખી દો. ખાસ એક વાત ધ્યાનમાં રાખવી કે આ કળશનું મુખ લાલ રંગના વસ્ત્રથી ઢાંકેલું હોવું જોઇએ. આ ઉપાય કરવાથી ધીરે ધીરે કરીને તમારું બધુ જ દેવું દૂર થઇ જશે.

નોકરી પ્રાપ્તિ અર્થે

એક પિત્તળના કળશમાં સાધારણ જળ ઉમેરીને તેમાં ગંગાજળના 11 ટીંપા ઉમેરો. હવે તેમાં 5 બિલીપત્ર ઉમેરી તે જળ શિવલિંગ પર અર્પણ કરો. આ ઉપાય 40 દિવસ સળંગ કરવાથી આપની નોકરીમાં આવી રહેલ અવરોધો દૂર થાય છે.

વિવાહ આડેના અવરોધ અર્થે

સ્નાન કરવાના જળમાં ગંગાજળ ઉમેરી તેમાં એક ચપટી હળદર ઉમેરી લો આ ઉપાય સળંગ 21 દિવસ સુધી અજમાવવાથી આપને વિવાહ સંબંધિ સમસ્યામાંથી મુક્તિ મળશે અને જલ્દી જ આપના વિવાહના યોગ સર્જાશે. સાથે જ ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર કરવા માટે નિત્ય ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી પણ આપને લાભની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">