AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાન જયંતીએ અજમાવી લો ઈલાયચીનો આ રસપ્રદ ઉપાય, પ્રાપ્ત થશે દેવી લક્ષ્મીની અપાર કૃપા !

ચૈત્રી પૂનમે (chaitra punam) ખાસ કાળી કીડીઓને કીડીયારું પૂરવું જોઇએ. લોટમાં ખાંડનો ભૂક્કો મિશ્રિત કરીને કીડીઓને ખવડાવવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાયથી આપના અટકેલા કે રોકાયેલા કાર્યો ઝડપથી પૂર્ણ થઈ જાય છે.

હનુમાન જયંતીએ અજમાવી લો ઈલાયચીનો આ રસપ્રદ ઉપાય, પ્રાપ્ત થશે દેવી લક્ષ્મીની અપાર કૃપા !
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 03, 2023 | 9:27 AM
Share

ચૈત્ર સુદ પૂર્ણિમાનો દિવસ એ હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. આ વખતે 6 એપ્રિલ, 2023, ગુરુવારના રોજ હનુમાન જયંતીની ઉજવણી થશે. આ દિવસની ભક્તો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. વ્રત અને ઉપવાસ પણ રાખે છે. હનુમાન જયંતી એ હનુમાન કૃપાની પ્રાપ્તિ કરાવતો દિવસ છે. માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવતા પ્રયોગોથી વ્યક્તિના ભાગ્ય આડેના તમામ વિઘ્નો દૂર થઈ જાય છે. એટલું જ નહીં, વ્યક્તિને સવિશેષ લાભની પ્રાપ્તિ પણ થાય છે. આ દિવસે માત્ર ઈલાયચીના ઉપાય દ્વારા તમે દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરી શકો છો, તો માત્ર એક ધજાના માધ્યમથી અકાળ મૃત્યુના ભયને દૂર પણ કરી શકો છો. આવો, આજે કેટલાંક આવા જ ઉપાયો વિશે જાણીએ.

આવકના સાધનોમાં વૃદ્ધિ અર્થે

આવકના સાધનોમાં વૃદ્ધિ થાય તે માટે ચૈત્રી પૂનમના દિવસે એક વિશેષ ઉપાય અજમાવો. ઘરે કે કાર્યસ્થળ પર વિધિ વિધાનથી કુબેર યંત્રની સ્થાપના કરો. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી લક્ષ્મી-કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી ધન લાભની સાથે આવકના નવા સાધનોનું સર્જન પણ થાય છે.

આર્થિક સ્થિતિ સમૃદ્ધ કરવા અર્થે

આર્થિક સ્થિતિ નબળી હોય, નાણાં પાણીની જેમ ખર્ચાતા હોય તો ચૈત્રી પૂનમની મધ્યરાત્રીએ આ પ્રયોગ અજમાવો. માતા લક્ષ્મીની સમક્ષ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરો. ત્યારબાદ 3 ઈલાયચી હાથમાં લઇને માતા લક્ષ્મીને આર્થિક સમૃદ્ધિ અર્થે તેમજ નવગ્રહોની સમસ્યામાંથી ઉકેલ લાવવા માટે પ્રાર્થના કરો. હવે આ ઈલાયચીને મુખ્ય દ્વાર પર કપૂરની સાથે પ્રજવલિત કરી દો. માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરમાં માતા લક્ષ્મી સ્થિર થાય છે અને પરિવારની આર્થિક સ્થિતિ સમૃદ્ધ બને છે. યાદ રાખો, કે ઈલાયચી પ્રજવલિત થઈને વિરામ થઈ જાય ત્યારબાદ તેને તુલસીક્યારામાં અથવા તો વહેતા પાણીમાં પ્રવાહિત કરવી અત્યંત લાભદાયી મનાય છે.

આકસ્મિક સંકટોમાંથી મુક્તિ અર્થે

ચૈત્ર પૂનમે આપણે હનુમાન જયંતીની ઉજવણી કરીએ છીએ. અને હનુમાનજી તો સંકટોને હરનારા દેવ છે. માન્યતા અનુસાર આ દિવસે ઘર કે મંદિરના ધાબા પર લાલ રંગની ધજા લગાવવાથી આકસ્મિક સંકટોથી મુક્તિ મળી જાય છે. એટલે કે, વ્યક્તિને અકસ્માતનો કે પછી અકાળ મૃત્યુનો ભય નથી સતાવતો.

દાંપત્યજીવનમાં મધુરતા અર્થે

હનુમાન જયંતીના દિવસે “ૐ રામદૂતાય નમ:” મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. કહે છે કે તેનાથી ઘરમાં અને દાંપત્યજીવનમાં સુખ-શાંતિ આવે છે. એટલું જ નહીં, પતિ-પત્નીના સંબંધોમાં રહેલ મતભેદ અને મનભેદ બંન્ને દૂર થાય છે.

અટકેલા કાર્યોની પૂર્તિ અર્થે

ચૈત્રી પૂનમે ખાસ કાળી કીડીઓને કીડીયારું પૂરવું જોઇએ. લોટમાં ખાંડનો ભૂક્કો મિશ્રિત કરીને કીડીઓને ખવડાવવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાયથી આપના અટકેલા કે રોકાયેલા કાર્યો ઝડપથી પૂર્ણ થઈ જાય છે. એટલું જ નહીં, લાંબા સમયથી ફસાયેલ ધનની પણ આપને પ્રાપ્તિ થઈ જાય છે.

ધંધામાં પ્રગતિ અર્થે

જો ઓફિસમાં આપની પ્રગતિ ન થઇ રહી હોય કે વ્યવસાયમાં મંદીનો સામનો કરવો પડી રહ્યો હોય તો હનુમાન જયંતીના દિવસે ગાયને લીલો ઘાસચારો નીરવો જોઇએ. તેમજ 7 કન્યાઓને ખીર ખવડાવવી જોઇએ. માન્યતા છે કે આ ઉપાયથી નોકરી અને ધંધામાં પ્રગતિના દ્વાર ખૂલી જાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">