માનવામાં નહીં આવે ! પણ, તમારા આ સત્કાર્યો તમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરાવી શકે છે ! હનુમાન જયંતીએ જરૂરથી કરજો આ કામ

હનુમાન જયંતીએ (hanuman jayanti) કોઇ અસ્વસ્થ વ્યક્તિની સેવા કરવાની શરૂઆત કરવી જોઇએ. જો આ કાર્ય નિત્ય ન કરી શકાય તો દર મંગળવારે જરૂરથી કરવું જોઈએ. તેનાથી આપના જીવનમાં રહેલ માનસિક તણાવની સ્થિતિ દૂર થાય છે અને હનુમાનજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે !

માનવામાં નહીં આવે ! પણ, તમારા આ સત્કાર્યો તમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરાવી શકે છે ! હનુમાન જયંતીએ જરૂરથી કરજો આ કામ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 02, 2023 | 6:36 AM

શાસ્ત્રોમાં હનુમાનજીને ભગવાન શિવનો અગિયારમો અવતાર માનવામાં આવ્યા છે. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પૂનમની તિથિએ હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 6 એપ્રિલ, ગુરુવારે હનુમાન જયંતી ઉજવવામાં આવશે. આ અવસર પર તમે પણ જો ઇચ્છો કે બજરંગબલી આપની પ્રાર્થના શીઘ્ર સાંભળે તો આપ પણ કેટલાક ખાસ ઉપાય અજમાવી શકો છો. આપને જણાવી દઈએ કે કેટલાક સત્કાર્યો કરીને પણ તમે હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરી શકો છો. ત્યારે ચાલો તેમને પ્રસન્ન કરવાના કેટલાંક આવા જ સત્કાર્યો વિશે અને સરળ ઉપાયો વિશે જાણીએ.

મંગલમૂર્તિના મંગળકારી ઉપાય !

⦁ હનુમાન જયંતીના દિવસે કોઇપણ અસ્વસ્થ વ્યક્તિની સેવા કરવાની શરૂઆત કરવી જોઇએ. જો આ કાર્ય નિત્ય ન કરી શકાય તો દર મંગળવારે આ કાર્ય જરૂરથી કરવું જોઈએ. તેનાથી આપના જીવનમાં રહેલ માનસિક તણાવની સ્થિતિ દૂર થાય છે અને હનુમાનજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.

⦁ હનુમાન જયંતીના દિવસે અને ત્યાર પછીના કોઇપણ મંગળવારે શક્ય હોય તો રક્તદાન કરવું જોઈએ. એક માન્યતા અનુસાર આ પ્રકારના રક્તદાનથી દરેક પ્રકારની દુર્ઘટનાઓથી બચી શકાય છે ! વાસ્તવમાં હનુમાનજીનો સંબંધ મંગળ ગ્રહની સાથે છે અને મંગળને રક્તનો કારક માનવામાં આવે છે. એટલે જ આ દિવસે રક્તદાનનો સવિશેષ મહિમા છે.

ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી

⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર “ૐ ક્રાં ક્રીં ક્રોં સ: ભૌમાય નમઃ” મંત્રની એક માળાનો જાપ આ દિવસે જરૂરથી કરવો જોઈએ. અને ત્યારબાદ દર મંગળવારે તે જાપ કરવો. વાસ્તવમાં આ મંગળ ગ્રહની શાંતિ માટેનો મંત્ર છે. અને હનુમાન જયંતીએ તેનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ બધું જ મંગળમય બની જાય છે.

⦁ હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને સિંદૂરી વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. કહે છે કે તેનાથી વ્યક્તિના વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય છે.

⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આકસ્મિક સંકટોમાંથી મુક્તિ માટે હનુમાન જયંતીના દિવસે હનુમાન મંદિર ઉપર લાલ રંગની ધજા લગાવવી જોઈએ. કહે છે કે તેનાથી આપને દરેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળી જાય છે.

⦁ હનુમાન જયંતીના દિવસે તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ, રામાયણ તેમજ રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો અત્યંત લાભદાયી માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">