AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tilak Benefits: દિવસ પ્રમાણે કપાળ પર લગાવો તિલક, અનેક ચમત્કારી ફાયદા થશે

માનવ શરીરમાં 7 ચક્રો છે. આજ્ઞા ચક્ર ભમરની વચ્ચે સ્થિત છે. કપાળ પર તિલક (Tilak) લગાવવાથી આપણી એકાગ્રતા શક્તિ વધે છે. તે સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. તેનાથી મન શાંત રહે છે. તે નકારાત્મક ઉર્જાને રોકે છે.

Tilak Benefits: દિવસ પ્રમાણે કપાળ પર લગાવો તિલક, અનેક ચમત્કારી ફાયદા થશે
Tilak
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 3:59 PM
Share

હિંદુ ધર્મમાં કપાળ પર તિલક (Tilak Benefits) લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. યોગશાસ્ત્ર અનુસાર કપાળ પર તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવ શરીરમાં 7 ચક્રો છે. આજ્ઞા ચક્ર ભમરની વચ્ચે સ્થિત છે. કપાળ પર તિલક લગાવવાથી આપણી એકાગ્રતા શક્તિ વધે છે. તે સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. તેનાથી મન શાંત રહે છે. તે નકારાત્મક ઉર્જાને રોકે છે. દિવસ પ્રમાણે કપાળ પર તિલક લગાવવાથી ઘણો ફાયદો થાય છે. ચાલો જાણીએ કયા દિવસે કયું તિલક લગાવવું જોઈએ.

સોમવાર

સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે સફેદ ચંદનનું તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી મન શાંત રહે છે. આ દિવસે ભસ્મનું તિલક કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના કારણે ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

મંગળવાર

મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસનો સ્વામી મંગળ છે. આ દિવસે લાલ ચંદનનું તિલક લગાવો. આ દિવસે ચમેલીના તેલમાં સિંદૂર ઓગાળીને તિલક કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તિલક લગાવવાથી શક્તિમાં વધારો થાય છે.

બુધવાર

બુધવાર ભગવાન ગણેશ અને મા દુર્ગાને સમર્પિત છે. આ દિવસનો સ્વામી ગ્રહ બુધ છે. આ દિવસે સૂકા સિંદૂરનું તિલક સ્વરૂપે લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી બૌદ્ધિક ક્ષમતા વધે છે.

ગુરુવાર

ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ગુરુ ગુરૂવારનો સ્વામી છે. આ દિવસે કેસર મિશ્રિત સફેદ ચંદનનું તિલક કરવું જોઈએ. તેનાથી મન શાંત રહે છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આર્થિક સ્થિતિમાં સુધારો થાય.

શુક્રવાર

શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે લાલ ચંદનનું તિલક કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી તણાવ દૂર થાય છે. લાલ ચંદનની જગ્યાએ તમે સિંદૂરનું તિલક પણ લગાવી શકો છો.

શનિવાર

શનિવારને ભૈરવ, શનિ અને યમરાજનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભસ્મ અથવા લાલ ચંદન લગાવવું જોઈએ. તેને લગાવવાથી ભૈરવ પ્રસન્ન થાય છે.

રવિવાર

રવિવાર ભગવાન વિષ્ણુ અને સૂર્યને સમર્પિત છે. આ દિવસનો સ્વામી સૂર્ય છે. આ દિવસે લાલ ચંદનનું તિલક કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી સમાજમાં માન-સન્માન વધે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">