AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tilak Benefits: દિવસ પ્રમાણે કપાળ પર લગાવો તિલક, અનેક ચમત્કારી ફાયદા થશે

માનવ શરીરમાં 7 ચક્રો છે. આજ્ઞા ચક્ર ભમરની વચ્ચે સ્થિત છે. કપાળ પર તિલક (Tilak) લગાવવાથી આપણી એકાગ્રતા શક્તિ વધે છે. તે સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. તેનાથી મન શાંત રહે છે. તે નકારાત્મક ઉર્જાને રોકે છે.

Tilak Benefits: દિવસ પ્રમાણે કપાળ પર લગાવો તિલક, અનેક ચમત્કારી ફાયદા થશે
Tilak
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 3:59 PM
Share

હિંદુ ધર્મમાં કપાળ પર તિલક (Tilak Benefits) લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. યોગશાસ્ત્ર અનુસાર કપાળ પર તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવ શરીરમાં 7 ચક્રો છે. આજ્ઞા ચક્ર ભમરની વચ્ચે સ્થિત છે. કપાળ પર તિલક લગાવવાથી આપણી એકાગ્રતા શક્તિ વધે છે. તે સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. તેનાથી મન શાંત રહે છે. તે નકારાત્મક ઉર્જાને રોકે છે. દિવસ પ્રમાણે કપાળ પર તિલક લગાવવાથી ઘણો ફાયદો થાય છે. ચાલો જાણીએ કયા દિવસે કયું તિલક લગાવવું જોઈએ.

સોમવાર

સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે સફેદ ચંદનનું તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી મન શાંત રહે છે. આ દિવસે ભસ્મનું તિલક કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના કારણે ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

મંગળવાર

મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસનો સ્વામી મંગળ છે. આ દિવસે લાલ ચંદનનું તિલક લગાવો. આ દિવસે ચમેલીના તેલમાં સિંદૂર ઓગાળીને તિલક કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તિલક લગાવવાથી શક્તિમાં વધારો થાય છે.

બુધવાર

બુધવાર ભગવાન ગણેશ અને મા દુર્ગાને સમર્પિત છે. આ દિવસનો સ્વામી ગ્રહ બુધ છે. આ દિવસે સૂકા સિંદૂરનું તિલક સ્વરૂપે લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી બૌદ્ધિક ક્ષમતા વધે છે.

ગુરુવાર

ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ગુરુ ગુરૂવારનો સ્વામી છે. આ દિવસે કેસર મિશ્રિત સફેદ ચંદનનું તિલક કરવું જોઈએ. તેનાથી મન શાંત રહે છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આર્થિક સ્થિતિમાં સુધારો થાય.

શુક્રવાર

શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે લાલ ચંદનનું તિલક કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી તણાવ દૂર થાય છે. લાલ ચંદનની જગ્યાએ તમે સિંદૂરનું તિલક પણ લગાવી શકો છો.

શનિવાર

શનિવારને ભૈરવ, શનિ અને યમરાજનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભસ્મ અથવા લાલ ચંદન લગાવવું જોઈએ. તેને લગાવવાથી ભૈરવ પ્રસન્ન થાય છે.

રવિવાર

રવિવાર ભગવાન વિષ્ણુ અને સૂર્યને સમર્પિત છે. આ દિવસનો સ્વામી સૂર્ય છે. આ દિવસે લાલ ચંદનનું તિલક કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી સમાજમાં માન-સન્માન વધે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">