AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Tritiya 2022: અખાત્રીજના દિવસે કરવામાં આવતું ચંદનનું એક તિલક આપની પ્રગતિના દ્વાર ખોલી દેશે

ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ અનુસાર અખાત્રીજનો દિવસ નવો ધંધો, નવો વ્યવસાય શરૂ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. પરિવારમાં સુખ,સમૃદ્ધિ અને ભાગ્ય લાવનાર કોઇપણ વસ્તુની ખરીદી માટેનો ઉત્તમ દિવસ છે અખાત્રીજ.

Akshay Tritiya 2022: અખાત્રીજના દિવસે કરવામાં આવતું ચંદનનું એક તિલક આપની પ્રગતિના દ્વાર ખોલી દેશે
Chandan (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: May 03, 2022 | 7:05 AM
Share

અખાત્રીજે કરો ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા અને મેળવો અઢળક આશિષ.અખાત્રીજ(Akshay Tritiya)નો દિવસ હિન્દુ ધર્મમાં ખુબ શુભ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ અનુસાર અખાત્રીજનો દિવસ નવો ધંધો, વ્યવસાય શરૂ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. પરિવારમાં સુખ,સમૃદ્ધિ અને ભાગ્ય લાવનાર કોઇપણ વસ્તુની ખરીદી માટેનો ઉત્તમ દિવસ છે અખાત્રીજ. ઘણા પરિવારો આજના દિવસે સોના, ચાંદી તેમજ અન્ય કિંમતી સાધનો ખરીદતા હોય છે. ધન, ધાન્ય અને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરવા અખાત્રીજના દિવસે કરવાના સરળ એવા ઉપાયો આપને જણાવીએ.

કારકિર્દી અર્થે

જો આપ કારકિર્દીમાં સફળતાના શિખર પર પહોંચવા માંગતા હોવ તો અખાત્રીજના દિવસે આપે ભગવાન વિષ્ણુને ચંદનનો એક ટુકડો અર્પણ કરવો તેનાથી વિષ્ણુજી પ્રસન્ન થઇ તેમના આશીર્વાદ આપની પર વરસાવશે. આ કાર્ય કરવાથી આપ કારકિર્દીમાં સફળતાના શિખરો પર પહોંચો છો.

વૈવાહિક જીવન અર્થે

જો આપના વૈવાહિક જીવનમાં પ્રેમને અક્ષય બનાવવા માંગતા હોવ તો આજના દિવસે ચોખ્ખા પાણીમાં ગંગાજળ અને ચંદનનું અત્તર ઉમેરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવું જોઇએ. આ ઉપાયથી વૈવાહિક જીવનમાં અક્ષયરૂપે પ્રેમ રહેશે.

વિદ્યાક્ષેત્રે પ્રગતિ અર્થે

જો તમે વિદ્યા ક્ષેત્રે પ્રગતિ મેળવવા ઇચ્છુક હોવ તો આજના દિવસે ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક કરવું. ત્યારબાદ સ્વયં પોતે પણ મસ્તક પર ચંદનનું તિલક કરવું જોઇએ. પરંતુ ધ્યાન એ રાખવું કે ભગવાનને તિલક લગાવતી વખતે જમણા હાથની અનામિકા એટલે ત્રીજી આંગળીનો ઉપયોગ કરવો અને સ્વયંને તિલક લગાવતી વખતે મધ્યમા આંગળી એટલે બીજી આંગળીનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપાય કરવાથી વિદ્યાક્ષેત્રે પ્રગતિના દ્વાર ખુલી જશે.

સુખ-સમૃદ્ધિની કામના અર્થે

જો આપ ઘરમાં સુખ સમૃદ્ધિની કામના ઇચ્છતા હોવ અથવા તે અક્ષય રાખવા ઇચ્છતા હોવ તો આજના દિવસે વિષ્ણુ મંદિરમાં જઇને ચંદનની સુગંધવાળી ધૂપસળીનું દાન કરવું જોઇએ અને આ પેકેટમાંથી એક ધૂપસળી નિકાળીને ત્યાં ભગવાન સમક્ષ પ્રગટાવવી જોઇએ. સાથે જ હાથ જોડીને પ્રાર્થના અને પ્રણામ કરવા જોઇએ. આ કાર્ય કરવાથી આપના ઘરમાં સુખ-સમૃદ્ધિ અક્ષય બની રહેશે.

પિતૃશાંતિ અર્થે

શુભ કાર્યો કે દાન-પુણ્ય સિવાય પણ આ દિવસ પિતૃઓના તર્પણ અને પીંડદાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓ માટે જળથી ભરેલ માટીનું વાસણ દાન કરવાનું મહત્વ છે. ગરમીના સમયમાં આ વાસણમાં જળ ભરીને દાન કરવાથી પિતૃઓને શીતળતા પ્રદાન થાય છે અને તેમના આશીર્વાદ આપને મળે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ કરો આ 5 વસ્તુઓનું દાન, અક્ષયતૃતીયા પ્રાપ્ત કરાવશે અખૂટ આશીર્વાદ!

આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ વિદ્યમાન થયા છે શ્રીવેંકટેશ્વર ! તિરુમાલાના તિરુપતિ બાલાજી જેવો અહીંનો મહિમા

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">