AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો આજે પણ એક રહસ્ય ! જાણો શું છે દરવાજાનું રહસ્ય !

શ્રી વિષ્ણુનું પદ્મનાભ મંદિર 18 મી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ બનાવ્યું હતું. ત્રાવણકોરના રાજાઓએ તેમની સંપત્તિ પદ્મનાભ મંદિરને સોંપી હતી અને તે પછી સમગ્ર રાજવી પરિવારે પોતાને ભગવાન પદ્મનાભને સમર્પિત કર્યા હતા.

પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો આજે પણ એક રહસ્ય ! જાણો શું છે દરવાજાનું રહસ્ય !
પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 12:47 PM
Share

ભારતના મુખ્ય મંદિરોમાંનું એક પદ્મનાભસ્વામી મંદિર (Padmanabh Swami Temple) લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મુખ્ય મંદિર ભગવાન વિષ્ણુને (Lord Vishnu) સમર્પિત છે. કેરળના તિરુવનંતપુરમ સ્થિત આ અદ્ભુત મંદિરની મુલાકાત લેવા દેશ -વિદેશથી લોકો આવે છે. મંદિરની વિશાળતા અને તેની સુંદરતા લોકોને આકર્ષે છે.

ભગવાન વિષ્ણુની વિશાળ મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે. જેમાં શેષનાગ પર શયન મુદ્રામાં ભગવાન વિષ્ણુ સ્થાપિત છે. શ્રી વિષ્ણુનું રહસ્યમય મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે. આ મંદિરની સંપત્તિ લગભગ 1,32,000 કરોડ રૂપિયા છે.

મંદિરના રહસ્યો અને સંપત્તિ

મંદિરની રહસ્યમય વાર્તાઓ પાછળ ઘણા મોટા રહસ્યો છુપાયેલા છે, જે જાણીને દરેકને આશ્ચર્ય થાય છે. મંદિરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ આવે છે. શ્રી વિષ્ણુનું પદ્મનાભ મંદિર 18 મી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ બનાવ્યું હતું. ત્રાવણકોરના રાજાઓએ તેમની સંપત્તિ પદ્મનાભ મંદિરને સોંપી હતી અને તે પછી સમગ્ર રાજવી પરિવારે પોતાને ભગવાન પદ્મનાભને સમર્પિત કર્યા હતા.

હાલમાં, પદ્મનાભ મંદિરની સંભાળ રાજવી પરિવારના ખાનગી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. પરંતુ ભારતના આ પ્રખ્યાત મંદિરની સંપત્તિ અને રહસ્યને જોતા, ઘણી વખત લોકોએ મંદિરના દરવાજા ખોલવાની વાત કરી છે અને તેના દરવાજા પણ સુપ્રીમ કોર્ટના આદેશ પર ખોલવામાં આવ્યા છે.

અત્યાર સુધી મંદિરના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાં લગભગ 1,32,000 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી છે. પરંતુ મંદિરનો સાતમો દરવાજો હજુ સુધી રહસ્ય છે. આખી દુનિયાની નજર આ દ્વાર પર છે. કારણ કે મંદિરનો દરવાજો ખૂબ જ રહસ્યમય છે. જ્યારે પણ પદ્મનાભ મંદિરનો સાતમો દરવાજો ખોલવાની અને તેની તિજોરી ખોલવાની વાત થાય છે, ત્યારે ભય અને અશુભ પરિસ્થિતિની વાત સામે આવે છે.

મંદિરના સાતમા દરવાજા પર કોઈ તાળું નથી, ન તો કોઈ કળી છે. તેના દ્વાર પરની સાપની આકૃતિ જ આ દરવાજાનું રક્ષણ કરે છે. આ દરવાજો ખોલવા માટે કોઈ ચાવીની જરૂર નથી, તે માત્ર મંત્રની મદદથી ખોલી શકાય છે. આ એક ગુપ્ત ગૃહ છે, જેના દરવાજા ખોલવા માટે 16 મી સદીના સિદ્ધ પુરુષ, યોગી અથવા કોઈ તપસ્વીની જરૂર છે.

આ દરવાજો ગરુડ મંત્રની મદદથી જ ખોલી શકાય છે. કારણ કે નિયમો અનુસાર, માત્ર સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગરુડ મંત્રના જાપ દ્વારા જ આ દ્વાર ખોલી શકાય છે. જો તે મંત્રનું યોગ્ય રીતે ઉચ્ચારવામાં ન આવે તો તે વ્યક્તિનું મૃત્યું થઈ શકે છે.

મંદિરનો સાતમો દરવાજો ખોલવાથી પ્રલય આવી શકે છે

90 વર્ષ જૂના ત્રાવણકોર રાજવી પરિવારના વડા મંદિર વિશે કહે છે કે મંદિરનો સાતમો દરવાજો ખોલવાનો અર્થ દેશમાં પ્રલય છે. અમે તેને રહસ્યમય રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. આ મંદિરમાંથી મળેલી સંપત્તિને જોઈને અનુમાન લગાવી શકાય છે કે તે એક ખૂબ જ રહસ્યમય મંદિર છે. ઘણા લોકો માને છે કે તમામ સંપત્તિનો ઉપયોગ પ્રજાના ભલા માટે થવો જોઈએ, જે સાચું છે.

આ પણ વાંચો : મંગળવારે હનુમાનજીની પૂજામાં દીપ દાન કરો, બધા દુ:ખ દૂર થશે અને મનોકામના પૂર્ણ થશે

આ પણ વાંચો : Iskcon: શ્રીલ પ્રભુપાદે કેવી રીતે સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યા શ્રીકૃષ્ણના ઉપદેશ ? જાણો ઇસ્કોનના ઉત્થાનની કથા

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">