પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો આજે પણ એક રહસ્ય ! જાણો શું છે દરવાજાનું રહસ્ય !

શ્રી વિષ્ણુનું પદ્મનાભ મંદિર 18 મી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ બનાવ્યું હતું. ત્રાવણકોરના રાજાઓએ તેમની સંપત્તિ પદ્મનાભ મંદિરને સોંપી હતી અને તે પછી સમગ્ર રાજવી પરિવારે પોતાને ભગવાન પદ્મનાભને સમર્પિત કર્યા હતા.

પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો આજે પણ એક રહસ્ય ! જાણો શું છે દરવાજાનું રહસ્ય !
પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 12:47 PM

ભારતના મુખ્ય મંદિરોમાંનું એક પદ્મનાભસ્વામી મંદિર (Padmanabh Swami Temple) લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મુખ્ય મંદિર ભગવાન વિષ્ણુને (Lord Vishnu) સમર્પિત છે. કેરળના તિરુવનંતપુરમ સ્થિત આ અદ્ભુત મંદિરની મુલાકાત લેવા દેશ -વિદેશથી લોકો આવે છે. મંદિરની વિશાળતા અને તેની સુંદરતા લોકોને આકર્ષે છે.

ભગવાન વિષ્ણુની વિશાળ મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે. જેમાં શેષનાગ પર શયન મુદ્રામાં ભગવાન વિષ્ણુ સ્થાપિત છે. શ્રી વિષ્ણુનું રહસ્યમય મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે. આ મંદિરની સંપત્તિ લગભગ 1,32,000 કરોડ રૂપિયા છે.

મંદિરના રહસ્યો અને સંપત્તિ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મંદિરની રહસ્યમય વાર્તાઓ પાછળ ઘણા મોટા રહસ્યો છુપાયેલા છે, જે જાણીને દરેકને આશ્ચર્ય થાય છે. મંદિરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ આવે છે. શ્રી વિષ્ણુનું પદ્મનાભ મંદિર 18 મી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ બનાવ્યું હતું. ત્રાવણકોરના રાજાઓએ તેમની સંપત્તિ પદ્મનાભ મંદિરને સોંપી હતી અને તે પછી સમગ્ર રાજવી પરિવારે પોતાને ભગવાન પદ્મનાભને સમર્પિત કર્યા હતા.

હાલમાં, પદ્મનાભ મંદિરની સંભાળ રાજવી પરિવારના ખાનગી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. પરંતુ ભારતના આ પ્રખ્યાત મંદિરની સંપત્તિ અને રહસ્યને જોતા, ઘણી વખત લોકોએ મંદિરના દરવાજા ખોલવાની વાત કરી છે અને તેના દરવાજા પણ સુપ્રીમ કોર્ટના આદેશ પર ખોલવામાં આવ્યા છે.

અત્યાર સુધી મંદિરના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાં લગભગ 1,32,000 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી છે. પરંતુ મંદિરનો સાતમો દરવાજો હજુ સુધી રહસ્ય છે. આખી દુનિયાની નજર આ દ્વાર પર છે. કારણ કે મંદિરનો દરવાજો ખૂબ જ રહસ્યમય છે. જ્યારે પણ પદ્મનાભ મંદિરનો સાતમો દરવાજો ખોલવાની અને તેની તિજોરી ખોલવાની વાત થાય છે, ત્યારે ભય અને અશુભ પરિસ્થિતિની વાત સામે આવે છે.

મંદિરના સાતમા દરવાજા પર કોઈ તાળું નથી, ન તો કોઈ કળી છે. તેના દ્વાર પરની સાપની આકૃતિ જ આ દરવાજાનું રક્ષણ કરે છે. આ દરવાજો ખોલવા માટે કોઈ ચાવીની જરૂર નથી, તે માત્ર મંત્રની મદદથી ખોલી શકાય છે. આ એક ગુપ્ત ગૃહ છે, જેના દરવાજા ખોલવા માટે 16 મી સદીના સિદ્ધ પુરુષ, યોગી અથવા કોઈ તપસ્વીની જરૂર છે.

આ દરવાજો ગરુડ મંત્રની મદદથી જ ખોલી શકાય છે. કારણ કે નિયમો અનુસાર, માત્ર સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગરુડ મંત્રના જાપ દ્વારા જ આ દ્વાર ખોલી શકાય છે. જો તે મંત્રનું યોગ્ય રીતે ઉચ્ચારવામાં ન આવે તો તે વ્યક્તિનું મૃત્યું થઈ શકે છે.

મંદિરનો સાતમો દરવાજો ખોલવાથી પ્રલય આવી શકે છે

90 વર્ષ જૂના ત્રાવણકોર રાજવી પરિવારના વડા મંદિર વિશે કહે છે કે મંદિરનો સાતમો દરવાજો ખોલવાનો અર્થ દેશમાં પ્રલય છે. અમે તેને રહસ્યમય રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. આ મંદિરમાંથી મળેલી સંપત્તિને જોઈને અનુમાન લગાવી શકાય છે કે તે એક ખૂબ જ રહસ્યમય મંદિર છે. ઘણા લોકો માને છે કે તમામ સંપત્તિનો ઉપયોગ પ્રજાના ભલા માટે થવો જોઈએ, જે સાચું છે.

આ પણ વાંચો : મંગળવારે હનુમાનજીની પૂજામાં દીપ દાન કરો, બધા દુ:ખ દૂર થશે અને મનોકામના પૂર્ણ થશે

આ પણ વાંચો : Iskcon: શ્રીલ પ્રભુપાદે કેવી રીતે સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યા શ્રીકૃષ્ણના ઉપદેશ ? જાણો ઇસ્કોનના ઉત્થાનની કથા

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">