AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna mantra : અષ્ટાક્ષર મંત્રના જાપથી પ્રાપ્ત થશે પ્રભુ શ્રીકૃષ્ણના અલભ્ય આશિષ !

અષ્ટાક્ષર મંત્ર ‘શ્રીકૃષ્ણ: શરણં મમ:’ના જાપથી પ્રાપ્ત થશે પ્રભુ શ્રી કૃષ્ણનું સાનિધ્ય. અખૂટ ધનની પ્રાપ્તિ કરવાશે આ મંત્ર. સમસ્ત સંકટોનું શમન કરનારો છે અષ્ટાક્ષર મંત્ર.

Krishna mantra : અષ્ટાક્ષર મંત્રના જાપથી પ્રાપ્ત થશે પ્રભુ શ્રીકૃષ્ણના અલભ્ય આશિષ !
Chanting Mantra (Symbolic Image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 30, 2021 | 9:46 AM
Share

શ્રીકૃષ્ણ (SHREE KRISHN) એ આખાય જગતનો આધાર છે. વિશ્વના પાલનહાર છે શ્રીકૃષ્ણ. એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણના નામના જાપ માત્રથી પ્રભુની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું અષ્ટાક્ષર મંત્ર ‘શ્રીકૃષ્ણ: શરણં મમ:’ ના જાપનો મહિમા. કહેવાય છે કે જેમને મેળવવા અત્યંત દુર્લભ છે, જેમના સાનિધ્યને મેળવવું ખુબ અઘરું છે તેવા અલભ્ય આશિષને પ્રાપ્ત કરાવનાર છે અષ્ટાક્ષર મંત્ર. ‘શ્રીકૃષ્ણ: શરણં મમ:’ અર્થાત પ્રભુ શ્રીકૃષ્ણ મને આપના શરણે લો, મારું સર્વસ્વ શ્રીકૃષ્ણ જ છે અને મને આશ્રય શ્રીકૃષ્ણનો છે, મારું તન, મન, ધન બધું જ શ્રીકૃષ્ણને સમર્પિત છે. અષ્ટાક્ષર મંત્રના જાપના માહાત્મ્ય પહેલાં સમજી લઈએ ‘કૃષ્ણ’ શબ્દનો અર્થ. ‘કૃષ્ણ’ શબ્દનો શાસ્ત્રોમાં અર્થ બતાવાયો છે જે મુજબ, ‘કૃષ્’ એટલે આકર્ષવું અને ‘ણ’ એટલે આનંદ. જે પોતાના લૌકિક આનંદ સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે તે છે શ્રીકૃષ્ણ. દરેક મંત્રને એક બીજ મંત્ર હોય છે. જેમ બીજમાં પરોક્ષ રીતે આખું વૃક્ષ છુપાયેલું હોય છે, તેમ બીજમંત્રમાં આખો મંત્ર પરોક્ષ રીતે રહેલો હોય છે. અષ્ટાક્ષર મંત્રમાં ‘શ્રી’ અક્ષર બીજમંત્ર છે. અષ્ટાક્ષર મંત્રના જાપનો મહિમા: 1. કહેવાય છે કે માત્ર ‘શ્રી’નું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને છે. અલબત અહીં વાત શ્રીકૃષ્ણ રૂપી અવિનાશી ધનની વાત થાય છે. શ્રીકૃષ્ણ રૂપી ધન જ તેના ભક્તોના હૃદયમાં બિરાજે છે, જે મંત્રનો જાપ મનુષ્યને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે. 2. આ સિદ્ધિદાયક મંત્રના પ્રભાવથી ભૂત, પ્રેત, પિશાચ આદિનો ભય રહેતો નથી. જીવનમાં રહેલા ભય દૂર થાય છે. 3. જાપ કરનાર વ્યક્તિને કોઈ સંકટ આવતું નથી, આવેલા સંકટ દૂર થાય છે. 4. અષ્ટાક્ષર મત્રના જાપ માત્રથી વ્યક્તિ પર મેલી વિદ્યાનો પ્રભાવ થતો નથી. જીવનમાં સકારાત્મકતા આવે છે.

5. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલ ગ્રહપીડા નાશ પામે છે, હૃદયની મલિનતાઓ દૂર થાય છે. 5. આ મંત્રના ઉચ્ચારણથી શ્રીકૃષ્ણ પ્રભુ સાથેનું આપણું સાનિધ્ય વધુ મજબૂત બને છે. પ્રભુ શ્રીકૃષ્ણની શરણમાં સ્થાન મળે છે. (નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા આ પણ વાંચો : સુખી અને સમૃદ્ધ દામ્પત્ય જીવન માટે આ વાસ્તુ ટિપ્સ અપનાવો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">