AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Signature Vastu Shastra: હસ્તાક્ષરથી જાણી શકાય છે લોકોનું વ્યક્તિત્વ, જાણો તમારી પર્સનાલીટી

Signature Vastu Shastra: વાસ્તુ નિષ્ણાત જય મદન પાસેથી જાણીએ હસ્તાક્ષરનો અર્થ અને હસ્તાક્ષર પરથી શું જાણી શકાય.

Signature Vastu Shastra: હસ્તાક્ષરથી જાણી શકાય છે લોકોનું વ્યક્તિત્વ, જાણો તમારી પર્સનાલીટી
Signature Vastu
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 4:15 PM
Share

Signature Vastu : વ્યક્તિનું કેવું વ્યક્તિત્વ છે, તે તેના બોલવા, લખવા અને વર્તનના વિવિધ પાસાઓ પરથી જાણી શકાય છે, વાસ્તુ એવું કહે છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાના તથાસ્તુ નામના એકાઉન્ટ પર વાસ્તુ નિષ્ણાત જય મદાન સિગ્નેચરનો અર્થ જણાવી રહ્યા છે. વાસ્તુ(Vastu) એક્સપર્ટના મતે તમારા હસ્તાક્ષર (Signature) તમારા વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહી જાય છે. જો તમે સહી કરો છો, તેમે સહી કરેલી હોય અને તેની પર લીટી મારો અથવા તેની નીચે એક લીટી કરો છો અથવા ખૂબ મોટી કે નાની સહી કરો છો, તો તેનો પણ કંઈક અર્થ નિકળી આવે છે. આવો, જાણીએ કે વાસ્તુ નિષ્ણાત સિગ્નેચર વિશે શું જણાવે છે.

વાસ્તુ અનુસાર હસ્તાક્ષરનો અર્થ

ઉતાવળે હસ્તાક્ષર કરવા

વાસ્તુ નિષ્ણાતોના મતે, જે લોકો ઉતાવળમાં અને ખૂબ જ ઝડપથી હસ્તાક્ષર કરે છે, તો એ લોકો ખૂબ જ મહત્વકાંક્ષી અને મહેનતુ હોય છે. પરંતુ, આ લોકોના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. વળી, વાસ્તુ નિષ્ણાતો કહે છે કે આ લોકોના હસ્તાક્ષર દર્શાવે છે કે તેઓ રાજકારણમાં સારા છે, એટલે કે તેઓ રાજકીય પ્રતિભાથી સમૃદ્ધ છે.

સહીં કાપવા વાળા લોકો

આ લોકોને વાસ્તુ નિષ્ણાતો કહે છે કે આ લોકોનું વ્યક્તિત્વ એવું હોય છે કે આ લોકો સંતુષ્ટ રહેતા નથી. તેઓ એક સેકન્ડમાં પરેશાન થઈ જાય છે અને બીજી જ ક્ષણે ખુશ થઈ જાય છે. આ લોકો વિશે એક વાત જાણવા જેવી છે કે તેમને પોતાના પ્રેમને વ્યક્ત કરવામાં મુશ્કેલી પડે છે. આ લોકો પોતાની નજીકના લોકો સાથે પણ પ્રેમ વ્યક્ત કરી શકતા નથી અને સાથે જ તેમને દરેક બાબતમાં ખામી શોધવાની આદત હોય છે.

ડાબા અને જમણા બંને હાથથી સહી કરવી

ડાબા અને જમણા બંને હાથથી હસ્તાક્ષર કરનારા લોકો વિશે વાસ્તુ નિષ્ણાતો કહે છે કે આ લોકો ખૂબ જ પ્રતિભાશાળી હોય છે. તેમની પાસે અદ્ભુત પ્રતિભા છે કારણ કે તેઓ બંને હાથ વડે સહી કરી શકે છે. તેઓ જે વિસ્તારમાં જશે ત્યાં ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે. તેમની સાથે એક જ સમસ્યા એ છે કે તેઓ ખૂબ જ બેદરકાર છે. જો બેદરકારી દૂર કરવામાં આવે તો તે તેમના માટે સારું રહેશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">