Shravan 2021 : શાંતિ અને સંતતિની પ્રાપ્તિ માટે શ્રાવણમાં અચૂક વાવો આ વૃક્ષ !

વૃક્ષથી વરસશે શિવકૃપાનો વરસાદ અને વૃક્ષ જ દુર કરશે આપના ઘરનો કલેશ ! શ્રાવણમાં માત્ર વૃક્ષ વાવાથી મળશે સંતાન પ્રાપ્તિના આશિષ ! શું તમે વાવ્યું આ વૃક્ષ ?

Shravan 2021 : શાંતિ અને સંતતિની પ્રાપ્તિ માટે શ્રાવણમાં અચૂક વાવો આ વૃક્ષ !
વૃક્ષથી વરસશે મહાદેવની કૃપા !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 6:58 AM

શ્રાવણ (SHRAVAN) એટલે તો એ પવિત્ર માસ કે જેની શિવભક્તો આતુરતાથી રાહ જોતાં હોય શ્રાવણ. એટલે તો એ માસ કે જેમાં સૌ કોઈ શિવજીને પ્રસન્ન કરવાના ઉપાય કરે, મહાદેવની આરાધના કરે. પણ આ તો મહામારીનો સમય છે, શિવલાયો માં જઈને શિવભક્તિ કરવી હોય તો પણ સાવચેતી રાખવી પડે. પણ જો કઈં એવું હોય કે જે ઘરે બેઠા કરી શકાય અને શિવકૃપા પણ પ્રાપ્ત થાય તો ?

માત્ર વૃક્ષ વાવવાથી પ્રાપ્ત થશે દેવાધિદેવની કૃપા. આજે આપને એ જણાવીશું કે કયું ઝાડ વાવવાથી પૂરી થશે આપના મનોકામના ? આવો સૌથી પહેલાં તો એ જાણીએ કે કયું વૃક્ષ અપાવશે શિવ કૃપા.

બિલ્વવૃક્ષ

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

સૌથી પહેલાં આજે શિવજીને અત્યંત પસંદ એવાં બિલીપત્રના વૃક્ષની વાત કરીએ. શિવ પુરાણમાં પણ બિલીના વૃક્ષને વાવવાનો મહિમા જણાવાયો છે. એવું કહેવાય છે કે બિલીના વૃક્ષમાં સ્વયં શિવનો વાસ છે. ત્યારે બિલીપત્રનું વૃક્ષ લગાવવું ખૂબ જ શુકનિયાળ માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે બિલ્વવૃક્ષવે કાપવાથી કાપવાથી વંશવેલો નાશ થાય છે. તો શ્રાવણ મહિનામાં બીલીના વૃક્ષનું જતન કરવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે.

જો કોઈ નિસંતાન દંપતી છે તો તેઓ એ શ્રાવણના સોમવારે બિલ્વના છોડને વાવવું જોઈએ. તેનું નિયમિત જતન કરવું, સવાર સાંજ ઘીનો દીવો કરવો અને તેની સામે બેસી શિવ નામનો જાપ કરવો. આવું કરવાથી માત્ર એક વર્ષમાં જ મનોકામના પૂરી થતી હોવાની માન્યતા છે. એવું કહેવાય છે કે બીલીના ઝાડની નીચે શિવલિંગની સ્થાપના કરવી અને 40 દિવસ સુધી જળાભિષેક કરવામાં આવે તો પણ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

બીલીના ઝાડની સાથે સફેદ આંકડો લગાવવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી હોવાના પણ માન્યતા છે. જો કઈં જ ન થઈ શકે તો શિવલિંગને બિલીપત્ર અર્પણ કરો. માત્ર બિલીપત્ર અર્પણ કરવાથી પણ અનંત ગણું ફળ મળે છે અને બિલ્વ વૃક્ષ માટે તો એવું કહેવાય છે કે જો અજાણતાં પણ બિલીના વૃક્ષની માત્ર છાયાં મળી જાય તો પણ મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

શમીનું વૃક્ષ

એવું કહેવાય છે કે શમીમાં પણ શિવનો વાસ હોય છે. જો શ્રાવણના અંતિમ સપ્તાહમાં ઘરની પશ્ચિમ દિશામાં શમીનું વૃક્ષ વાવવામાં આવે તો ઘરમાં શાંતિ બની રહેતી હોવાની માન્યતા છે. શમીના પાંદડા ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવે તો પણ ઘરનો કલેશ દુર થાય છે.

કોઈ પણ અગત્યના કામ પહેલાં શમીના વૃક્ષના જો દર્શ થઈ જાય તો પણ કામ સફળતા પૂર્વક પાર પડતું હોવાની માન્ય તા છે અને શનિનો પ્રકોપ પણ દૂર થાય છે. સાડાસાતી અને પનોતીમાં પણ રાહત મળે છે. તો શમીના વૃક્ષનું લાકડું ત્વચા સંબંધી રોગમાંથી પણ મુક્તિ આપે છે.

આ પણ વાંચો: શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પ્રથા ?

આ પણ વાંચો: 12 jyotirlinga: દર્શન માત્રથી કામનાઓને પૂર્ણ કરનાર મનાય છે આ ‘કામના લીંગ’ ! જાણો, વૈદ્યનાથ જ્યોતિર્લિંગનો મહિમા

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">