AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનિદોષનું શમન કરશે સંકટમોચન હનુમાનના ઉપાયો ! આજે જ અજમાવો આ સરળ અને સચોટ ઉપાય

વૈદિક ગ્રંથોમાં મંગળવારનો દિવસ ખૂબ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. આ દિવસે રામભક્ત હનુમાન (hanuman) તેમના ભક્તોની સહાય માટે તત્પર રહે છે. જો આપને લાગે કે સફળતા આપના હાથમાંથી નીકળી રહી છે અને આપને ક્યાંય પણ સફળતા નથી મળી રહી તો મંગળવારના કેટલાક ઉપાયો અજમાવો અને આપના બંધ નસીબના તાળા ખોલો.

શનિદોષનું શમન કરશે સંકટમોચન હનુમાનના ઉપાયો ! આજે જ અજમાવો આ સરળ અને સચોટ ઉપાય
TV9 Bhakti
| Edited By: | Updated on: May 02, 2023 | 6:14 AM
Share

હનુમાનજી માત્ર એવા ભગવાન છે કે કોઈ ભક્ત તેમને સાચી શ્રધ્ધાથી થોડા સમય માટે પણ તેમને યાદ કરી લે તો હનુમાનજી તેમના દુઃખો દૂર કરી જીવનમાં ખુશીઓ લાવી દે છે. હનુમાનજીને અંજની પુત્ર, બજરંગબલી તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી બધા પાપ નાશ થાય છે અને બધી મુશ્કેલીઓ દૂર થાય છે. કળિયુગમાં પણ હનુમાનજી પૃથ્વી પર વસે છે. ભગવાન હનુમાન ભગવાન રામના મહાન ભક્ત માનવામાં આવે છે.

મંગળવારના દિવસે રામભક્ત હનુમાનજીની સાચા મનથી આરાધના કરવાથી જાતકનું ભાગ્ય ખૂલી જાય છે અને જીવનમાં કોઇપણ વસ્તુની અછત નથી રહેતી.માન્યતા અનુસાર મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે તેમજ મંગળવારને હનુમાનજીનો વાર પણ કહેવાય છે. એટલું જ નહીં મંગળને ઊર્જાનો કારક માનવમાં આવે છે. સંકટ કે સમસ્યાના સમયમાં મનુષ્યની ઊર્જાની હાનિ થાય છે.

માન્યતા અનુસાર જો સંકટગ્રસ્ત મનુષ્ય મંગળવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો કરે છે તો તેની સમસ્યા થોડા જ સમયમાં દૂર થાય છે તેમજ તેને નસીબનો સાથ પણ મળે છે. વૈદિક ગ્રંથોમાં મંગળવારનો દિવસ ખૂબ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. આ દિવસે રામભક્ત હનુમાન તેમના ભક્તોની સહાય માટે તત્પર રહે છે. જો આપને લાગે કે સફળતા આપના હાથમાંથી નીકળી રહી છે અને આપને ક્યાંય પણ સફળતા નથી મળી રહી તો મંગળવારના કેટલાક ઉપાયો કરો. આપને નિશ્ચિતરૂપે લાભ મળશે અને બંધ નસીબના તાળા ખૂલી જશે.

મંગળવારના ઉપાય

⦁ મંગળવાર કે શનિવારના દિવસે સવારે એક દોરામાં ચાર મરચાં નીચે અને 3 મરચાં ઉપર અને વચ્ચે લીંબુ લગાવીને ઘર અને વ્યવસાયના દ્વાર પર લગાવી દો. તેનાથી નકારાત્મકતા સમાપ્ત થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે.

⦁ કાળા તલ, જવનો લોટ અને તેલ મિક્સ કરીને કણક તૈયાર કરો. આ કણકની રોટલી બનાવી તેની પર તેલ અને ગોળ લગાવી દો. હવે જેને નજર લાગી છે તેની ઉપરથી 7 વાર વાળી લઇને આ રોટલી ભેંસને ખવડાવી દો. આ ઉપાય મંગળવાર કે શનિવારના દિવસે કરવો જોઇએ.

⦁ નાનું બાળક જો વધુ પડતું રડી રહ્યું હોય તો મંગળવાર કે રવિવારના દિવસે મોરપીંછ લાવીને જે પલંગ પર બાળક સૂતુ હોય તેમાં લગાવી દો તેનાથી બાળકનું રડવાનું તુરંત જ બંધ થઇ જાય છે.

⦁ નાના બાળકોને સૂતા સમયે ડર લાગતો હોય તો મંગળવાર અથવા રવિવારના દિવસે ફટકડીનો એક ટુકડો બાળકના મસ્તકની નીચે રાખી દો.

⦁ શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જવું અને તેમના શ્રીરૂપના ખભા પરથી સિંદૂર લાવીને નજર લાગી હોય તે વ્યક્તિના મસ્તક પર લગાવવાથી નજરનો પ્રભાવ સમાપ્ત થઇ જાય છે.

⦁ મંગળવારની સાંજે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા અર્પણ કરવી. હનુમાનજીને ખુશ કરવાનો આ સૌથી સરળ અને સચોટ ઉપાય છે.

⦁ જીવનની તમામ સમસ્યાઓના નિવારણ માટે હનુમાનજીના મંદિરમાં જવું અને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો.

⦁ મંગળવારની સાંજે હનુમાન મંદિરમાં જવું અને એક સરસવના તેલનો અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરવો. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ.

⦁ જો આપ શનિદોષથી પીડિત હોવ તો આ દિવસે કાળા અડદ અને કોલસાની એક પોટલી બનાવી લો. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખો. ત્યારબાદ આ પોટલીને પોતાના માથા પરથી ઉતારીને કોઇ નદીમાં પ્રવાહિત કરી દો અને પછી કોઇ હનુમાન મંદિરમાં જઇને રામનામનો જાપ કરો તેનાથી શનિદોષનો પ્રભાવ ઓછા થાય છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાના આ અચૂક ઉપાય છે જે ખાસ કરીને આપની દરેક સમસ્યાનું સમાધાન લાવીને આપની તમામ મનોકામનાની પૂર્તિ કરશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">