ક્યારે છે સંકટ ચતુર્થી ? જાણો શુભ સમય અને પૂજાની વિધિ
હિંદુ કેલેન્ડર મુજબ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથનું શાશ્વત ફળ આપનાર વ્રત રાખવામાં આવે છે.સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. સંકટ ચોથને સંકષ્ટી ચતુર્થી, વક્રતુંડી ચતુર્થી, લંબોદર સંકષ્ટી ચતુર્થી, તિલકુટ ચોથ પણ કહેવામાં આવે છે.

હિંદુ ધર્મમાં એવા અનેક ઉપવાસ અને તહેવારો છે, જેનું વિશેષ મહત્વ રહેલુ છે. આ ઉપવાસ અને તહેવારો પણ ખાસ ઉજવવામાં આવે છે. તે આમાંથી એક છે સંકટ ચતુર્થી. હિંદુ કેલેન્ડર મુજબ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથનું શાશ્વત ફળ આપનાર વ્રત રાખવામાં આવે છે. આ વખતે સંકટ ચતુર્થીનું વ્રત 29 જાન્યુઆરી સોમવારના રોજ છે.
સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. સંકટ ચોથને સંકષ્ટી ચતુર્થી, વક્રતુંડી ચતુર્થી, લંબોદર સંકષ્ટી ચતુર્થી, તિલકુટ ચોથ પણ કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે બાળકો માટે વ્રત રાખવામાં આવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરે છે. આ દિવસને સંકટના અંતનો દિવસ કહેવાય છે.
આ ઉપરાંત આ દિવસ સંતાન પ્રાપ્તિ સાથે પણ સંબંધિત છે અને આ દિવસે સંતાન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે.માન્યતા અનુસાર આ વ્રત ખાસ કરીને મહિલાઓ બાળકોની રક્ષા અને પરિવારની સમૃદ્ધિ માટે રાખે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી શાશ્વત ફળ મળે છે.
સંકટ ચોથનું શુભ મુહૂર્ત
આ દિવસે મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 29 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 6:10 વાગ્યાથી શરૂ થશે. 30 જાન્યુઆરીએ સવારે 8:54 વાગ્યે તે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર સંકટ ચતુર્થી 29 જાન્યુઆરીએ જ ઉજવવામાં આવશે. તેમજ આ દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 9.10 કલાકનો રહેશે.
કેવી રીતે કરવી ગણેશજીની પૂજા ?
સૌ પ્રથમ આ દિવસે સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો. તે પછી ભગવાન ગણેશને તિલક કરો, દુર્વા, જળ, ચોખા અને પવિત્ર દોરો ચઢાવો. ત્યારબાદ ભગવાન ગણેશને મોદક અથવા લાડુ અર્પણ કરવા. સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશને તલમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આ પછી, ધૂપ અને દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરો.
ભગવાન ગણેશના 12 નામનો જાપ કરવો
આ દિવસે સંકટ ચોથ કથા વાંચવી અને ગણેશજીના જાપ પણ કરવા જોઈએ. ભગવાન ગણેશના 12 નામનો જાપ પણ કરવો જોઈએ. સાંજના સમયે પણ આ જ રીતે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરતી વખતે તલ પણ વાસણમાં રાખવા જોઈએ. ગાયની પણ સેવા કરવી જોઈએ. સાંજે ચંદ્ર જોઈને વ્રત તોડવું પડે છે.
શું છે સંકટ ચતુર્થીની કથા ?
ભગવાન ગણેશ આ દિવસે તેમના જીવનના સૌથી મોટા સંકટમાંથી બહાર આવ્યા હતા. એટલા માટે તેને સંકટ ચોથ કહેવાય છે. એકવાર માતા પાર્વતી સ્નાન કરવા ગયા ત્યારે તેમણે ગણેશજીને દરબારમાં ઊભા કર્યા અને કોઈને અંદર ન જવા દેવા કહ્યું. ભગવાન શિવ આવ્યા ત્યારે ગણપતિએ તેમને અંદર આવતા રોક્યા હતા. ભગવાન શિવ ક્રોધિત થયા અને તેમના ત્રિશૂળથી ગણેશનું માથું કાપી નાખ્યું હતુ. પોતાના પુત્રની આ હાલત જોઈને માતા પાર્વતી શોક કરવા લાગી અને પુત્રને પાછો જીવિત કરવાનો આગ્રહ કર્યો હતો.
જ્યારે માતા પાર્વતીએ શિવને ખૂબ વિનંતી કરી,ત્યારે ભગવાન ગણેશને હાથીના માથા સાથે બીજું જીવન આપવામાં આવ્યું અને ગણેશ ગજાનન તરીકે ઓળખાયા. આ દિવસથી ભગવાન ગણપતિને પણ પ્રથમ પૂજક બનવાનું સન્માન મળ્યું. સાકત ચોથના દિવસે જ ભગવાન ગણેશને 33 કરોડ દેવી-દેવતાઓના આશીર્વાદ મળ્યા હતા. ત્યારથી આ તિથિ ગણપતિ પૂજાની તિથિ બની ગઈ. કહેવાય છે કે આ દિવસે ગણપતિ કોઈને ખાલી હાથે જવા દેતા નથી.
