Ramnavmi 2021: 21 Aprilએ છે રામનવમી, જાણો પુજા વિધિ, મુહૂર્ત અને મહત્વ

Ramnavmi 2021: રામનવમીનો તહેવાર ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં આ તારીખનું વિશેષ મહત્વ જણાવ્યું છે. આ દિવસે ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ રામ નવમી સાથે થાય છે.

Ramnavmi 2021: 21 Aprilએ છે રામનવમી, જાણો પુજા વિધિ, મુહૂર્ત અને મહત્વ
Ramnavmi 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 20, 2021 | 8:56 PM

Ramnavmi 2021: રામનવમીનો તહેવાર ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં આ તારીખનું વિશેષ મહત્વ જણાવ્યું છે. આ દિવસે ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ રામ નવમી સાથે થાય છે. આ વખતે રામનવમી 21 એપ્રિલ 2021ને બુધવારે આવે છે. ભગવાન રામ શ્રી હરિ વિષ્ણુના સાતમા અવતાર હતા. વિષ્ણુનો જન્મ દુષ્ટતાનો નાશ કરવા અને ધર્મ સ્થાપિત કરવા માટે રાજા દશરથના પુત્ર તરીકે થયો હતો.

ભગવાન રામનો જન્મ થયો તે દિવસે ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથી હતી. આ દિવસ ભગવાન શ્રી રામની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે તેમના જીવન દરમ્યાન ધર્મનું પાલન કર્યું અને તેમનું આખું જીવન માનવ કલ્યાણ માટે સમર્પિત કર્યું, તેથી તેમને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે. રામનવમીના દિવસે લોકો ભગવાન રામની જન્મજયંતિની ઉજવણી પૂરા વિધિ વિધાનથી હર્ષોલ્લાસથી કરે છે. આ દિવસે ભગવાન રામની પૂરી શ્રધ્ધા સાથે પૂજા કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને ભગવાન રામનો આશીર્વાદ મળે છે તો ચાલો જાણીએ રામનવમીની પૂજા મુહૂર્ત અને પૂજા વિધી અને મહત્વ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રામ નવમીનું મહત્વ આ દિવસે ભગવાન રામનો જન્મ બપોરે અભિજિત નક્ષત્રમાં થયો હતો. ભગવાન રામનો જન્મ થયો ત્યારે તે સમયે, પાંચ ગ્રહો ઉચ્ચ પદ પર હતા. તે જ દિવસે રામનવમી પર ગોસ્વામી તુલસીદાસે અયોધ્યામાં રામચરિતમાનસની રચના શરૂ કરી. કેટલાક જ્યોતિષવિદ્યા અનુસાર, રામનવમી પર કોઈ શુભ કાર્ય વિચાર્યા વિના કરી શકાય છે. આ તિથિ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે.

રામનવમી પૂજા માટે શુભ સમય રામ નવમી પૂજા મુહૂર્ત- 21 એપ્રિલ 2021ને બુધવારે સવારે 11:02 AMથી બપોરે 13:38 PM સુધી નવમી તિથી શરૂ થાય છે – 20 એપ્રિલ 2021ના ​​મધ્યરાત્રિએ 12:43 મિનિટે નવમી તિથી સમાપ્ત થાય છે – 22 એપ્રિલ 2021ની મધ્યરાત્રિ 12:30 વાગ્યે.

આ રીતે રામ નવમીની પૂજા કરો 1. રામનવમીના દિવસે વહેલી સવારે જાગ્યા પછી પીળા રંગના સાફ વસ્ત્રો ધારણ કરો અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરો. 2. હવે લાકડાનો બાજોઠ લો અને તેના ઉપર એક લાલ લાલ રંગનું કાપડ નાખો. 3. બાજોઠ પર રામ દરબાર અથવા રામજીની પ્રતિમા સ્થાપિત કરો. જો તમારી પાસે રામ સીતા અને લક્ષ્મણ સહિતની મૂર્તિઓ છે તો વધુ શુભ ગણાશે. 4. હવે ગંગાજળ છાંટો, તિલક કરો અને ચોખાથી અષ્ટદલ બનાવો. 5. હવે અષ્ટદલ ઉપર એક તાંબાના વાસણ મૂકો અને તેના પર એક ચોમુખી દીવો પ્રગટાવો. 6. ધૂપ કરીને ફૂલો અર્પણ કરો, ભગવાન રામની ઉપાસનામાં કમળનું ફૂલ અને તુલસીનો ઉપયોગ કરો. 7. હવે તે જ આસન પર બેસો અને વિષ્ણુ સહસ્ત્રનામ અથવા રામ સ્તોત્રનો પાઠ કરો. 8. પાઠ પૂર્ણ થયા બાદ ખીર, ફળ અને મીઠાઈ વગેરે અર્પણ કરો અને રામલલાની આરતી કરો. 9. આ પછી ભજન કીર્તન કરી દિવસ પસાર કરો. સાંજે ઘીનો દીવો પ્રગટાવો અને રામ કથા સાંભળો.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">