AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Navami 2022: રામ નવમીના રોજ થયો હતો રામજીનો જન્મ, જાણો શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ

દરેક તહેવારનું વિશેષ મહત્વ હોય છે. વર્ષમાં ચાર વખત આવતી માતાની નવરાત્રિ પૈકી ચૈત્ર માસની નવરાત્રિ ખૂબ જ વિશેષ હોય છે. આ નવરાત્રિ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે.

Ram Navami 2022: રામ નવમીના રોજ થયો હતો રામજીનો જન્મ, જાણો શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ
ram_navami (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 8:08 PM
Share

હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું વિશેષ મહત્વ છે. વર્ષમાં ચાર વખત આવતી માતાની નવરાત્રિ પૈકી ચૈત્ર માસની નવરાત્રિ ખૂબ જ વિશેષ હોય છે. આ નવરાત્રિ ચૈત્ર (Chaitra Navratri) માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ દિવસોમાં માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ 9 દિવસોમાં વ્રત, પૂજાની સાથે-સાથે વિવિધ ઉપાયો પણ કરવામાં આવે છે, જેથી માતાની કૃપા પ્રાપ્ત કરી શકાય. તેમજ નવરાત્રીના છેલ્લા દિવસે રામ નવમી (Ram Navami 2022)નો તહેવાર ઉજવવામાં આવે છે.

રામ નવમીનો તહેવાર નવરાત્રીનો છેલ્લો દિવસ છે. આ દિવસે નાની છોકરીઓને ઘરે બોલાવીને જમાડે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે રામજીનો જન્મ થયો હતો, તેથી આ દિવસે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામ અને માતા સીતાની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. રામ નવમીની તિથિ, શુભ સમય અને પૂજાની પદ્ધતિ વિશે જાણો. રામ નવમી 2022ના શુભ મુહૂર્ત

રામ નવમી તારીખ – 10 એપ્રિલ 2022, રવિવાર

નવમી તિથિ શરૂ થાય છે – 10મી એપ્રિલે મોડી રાત્રે 1:32 મિનિટથી શરૂ થાય છે

નવમી તિથિ સમાપ્ત થાય છે – 11મી એપ્રિલે સવારે 03:15 સુધી

પૂજાનું મુહૂર્ત – 10 એપ્રિલ સવારે 11:10 થી 01:32 મિનિટ સુધી

રામ નવમી પૂજા પદ્ધતિ

– રામ નવમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી સ્વચ્છ કપડાં પહેરો. ત્યારપછી પરિવારના તમામ સભ્યો ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાની વિધિથી પૂજા કરે છે. લાલ કપડું પાથરો ભગવાનની મુર્તિ અથવા ફોટો પૂજા કરતા પહેલા તેમને કુમકુમ, સિંદૂર, રોલી, ચંદન વગેરેથી તિલક કરો.ચોખા અને તુલસી અર્પણ કરો.

રામ નવમીના દિવસે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામને તુલસી અર્પણ કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. પૂજામાં દેવી-દેવતાઓને ફૂલ ચઢાવો અને મીઠાઈઓ ચઢાવો.

ત્યારબાદ ઘીનો દીવો અને અગરબત્તી પ્રગટાવ્યા પછી શ્રી રામચરિત માનસ, રામ રક્ષા સ્તોત્ર અથવા રામાયણનો પાઠ કરો.

– શ્રી રામ, લક્ષ્મણજી અને માતા સીતાને ઝુલાવ્યા બાદ તેમની આરતી કરો અને લોકોમાં પ્રસાદ વહેંચો.

આ પણ વાંચો :OMG ! પત્ની સાથે ઝઘડો થયો તો ઘર છોડી દીધું, 14 વર્ષથી એરપોર્ટ પર આવી રીતે જીવન ગુજારી રહ્યો છે આ વ્યક્તિ

આ પણ વાંચો :દેશની પ્રથમ રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવા ગુરુવારથી સુરત રેલવે સ્ટેશનથી શરૂ થશે, આજથી બુકિંગ શરૂ

g clip-path="url(#clip0_868_265)">