AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મંત્ર: રામ લલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે આ મંત્રનો ઉદ્ઘઘોષથી પુરાશે પ્રાણ

રામલલ્લાના જીવન અભિષેક માટેનો શુભ સમય 12:29 મિનિટ 08 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ સમય માત્ર 84 સેકન્ડનો રહેશે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કાશીના પ્રખ્યાત વૈદિક આચાર્ય ગણેશ્વર દ્રવિડ અને આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નિર્દેશનમાં 121 વૈદિક આચાર્યો દ્વારા કરવામાં આવશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મંત્ર: રામ લલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે આ મંત્રનો ઉદ્ઘઘોષથી પુરાશે પ્રાણ
ભગવાન રામજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠામાં આ મંત્રનો થશે ઉપયોગ
| Updated on: Jan 22, 2024 | 11:31 AM
Share

અયોધ્યામા રામ મંદિરને લઈ દેશ દુનિયામાં જોરદાર માહોલ બન્યો છે. દેશમાં ભક્તિસભર વાતાવરણ વચ્ચે જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો પણ અયોધ્યા પોહચીને રામ લલ્લાની એ એતિહાસિક પૂજામાં ભાગીદાર બની રહ્યા છે ત્યારે ઘણા બધાને એ જાણવાની પણ ઉત્કંઠા હશે કે રામજીની પ્રતિમામાં પ્રાણ કઈ રીતે પુરાશે? એ મંત્રોક્ત વિધિ ક્યા વેદમાંથી હશે અને કયો મંત્ર વાપરવામાં આવશે. આ તમામ વિગતો આપને અમે અહીં જણાવવા માટે જઈ રહ્યા છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ એક ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે, જેમાં દેશભરમાંથી અનેક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ અને સહભાગીઓ સામેલ થશે. રામલલાના અભિષેક સમારોહમાં કાશીના ડોમરાજાના પરિવાર સહિત વિવિધ વર્ગ અને ક્ષેત્રના 14 યુગલને આમંત્રિત કરવામાં આવ્યા છે.

રામ મંદિરની આજની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો પુજામાં બેસવાના છે. જો કે વરિષ્ઠ કર્મકાંડી બ્રાહ્મણો પાસેથી જાણવા મળતી માહિતિ મુજબ આ પ્રકારની પ્રાણપ્રતિષ્ઠામાં મુખ્ય યજમાન પદે બ્રાહ્મણને બેસાડવામાં આવે છે. આ વિધિમાં ખાસ કરીને વેદોક્ત મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કઈ રીતે કરવામાં આવે છે તે પણ આપને આ લેખમાંજ વાંચવા મળશે.

પ્રાણ પ્રતિષ્ઠા માટેની વિધિ

મૂર્તિને સુંદર વસ્ત્રો પહેરાવીને ભગવાનની પ્રતિમાને સ્વચ્છ જગ્યાએ મૂકવામાં આવે છે. આ પછી, પ્રતિમાને ફૂલો, ચંદન વગેરેથી શણગારવામાં આવે છે અને તેમને અત્તર ચઢાવવામાં આવે છે. આ પછી અગરબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરે છે. આ પ્રસંગે બીજ મંત્રોના ઉચ્ચાર સાથે પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને બપોરે 12:20 કલાકેથી શરૂ કરી  12:40 કલાકે.24 મિનિટ પહેલા શુભ અભિજીત મુહૂર્ત સાથે સમાપ્ત કરાશે.

પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગનો વેદોક્ત મંત્ર

अस्यै प्राणा: प्रतिष्ठन्तु अस्यै प्राणा: क्षरन्तु च अस्यै, देवत्य मर्चायै माम् हेति च कश्चन।। ऊं श्रीमन्महागणाधिपतये नम: सुप्रतिष्ठितो भव, प्रसन्नो भव, वरदा भव।’ આ મંત્રને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આ મંત્રના ઉદ્ઘોષ સાથે પ્રાોણ પ્રતિષ્ઠા પ્રસંગે પુજા કરવામાં આવશે. આ સાથે રામજી માટેનો એ ખાસ મંત્ર પણ ભણવામાં આવશે श्री रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः।। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्। कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥ आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्।

84 સેકન્ડ પ્રાણ પ્રતિષ્ઠા માટેનો શુભ સમય છે

રામલલ્લાના જીવન અભિષેક માટેનો શુભ સમય 12:29 મિનિટ 08 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ સમય માત્ર 84 સેકન્ડનો રહેશે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કાશીના પ્રખ્યાત વૈદિક આચાર્ય ગણેશ્વર દ્રવિડ અને આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નિર્દેશનમાં 121 વૈદિક આચાર્યો દ્વારા કરવામાં આવશે. 150 થી વધુ પરંપરાગત સંતો અને ધાર્મિક પંડિતો અને 50 થી વધુ આદિવાસી, દરિયાકાંઠાના રહેવાસીઓ, ટાપુવાસીઓ, આદિવાસીઓ અને આદિવાસીઓ પણ ઉપસ્થિત રહેશે.

Follow Us
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
g clip-path="url(#clip0_868_265)">