AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pradosh Vrat 2021: ક્યારે છે કારતક માસના ભૌમ પ્રદોષ વ્રતની તિથિ ? જાણો કર્જમાંથી મુક્તિ મેળવવા આ દિવસે ક્યા કરશો ઉપાય ?

એવું કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તોએ આ વ્રત કરવું જોઈએ. આ દિવસે ભગવાન શિવ સાથે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે.

Pradosh Vrat 2021: ક્યારે છે કારતક માસના ભૌમ પ્રદોષ વ્રતની તિથિ ? જાણો કર્જમાંથી મુક્તિ મેળવવા આ દિવસે ક્યા કરશો ઉપાય ?
Bhaum Pradosh Vrat 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 3:28 PM
Share

Pradosh Vrat 2021: પ્રદોષ વ્રત ભગવાન શિવની પૂજા કરવાથી અખૂટ ફળ મળે છે. પ્રદોષ વ્રત દર મહિનાની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દરેક મહિનામાં બે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને બીજો શુક્લ પક્ષમાં.

કારતક માસનું બીજું પ્રદોષ વ્રત શુક્લ પક્ષની ત્રયોદશીના રોજ રાખવામાં આવશે. 16 નવેમ્બરના દિવસે શિવભક્તો આ પ્રદોષ વ્રત રાખશે. એવું કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તોએ આ વ્રત કરવું જોઈએ. જો કે, આ પ્રદોષ વ્રત, જે ઘણા ફળ આપે છે, આ વખતે મંગળવારે, તેને ભૌમ પ્રદોષ વ્રત (Bhaum Pradosh Vrat 2021) કહેવામાં આવશે.

કહેવાય છે કે ભૌમ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ તેમજ હનુમાનજીની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પણ મેળવી શકાય છે. માન્યતાઓ અનુસાર ભૌમ પ્રદોષ વ્રત અપાર ફળ આપે છે. જો કોઈ પણ ભક્ત આ વ્રત કરે છે તો ભગવાન શિવ જલ્દી જ તેનાથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આટલું જ નહીં, ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરીને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આજે આ દિવસે વ્રત રાખવાની સાથે કેટલાક ઉપાયો કરવાથી આપણે સરળતાથી ઋણમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ.

ભૌમ પ્રદોષ વ્રતનો શુભ સમય (Bhaum Pradosh Vrat Shubh Muhurat 2021) શરૂ – 16 નવેમ્બર 2021 સવારે 10.31 વાગ્યે થશે. સમાપ્ત – 17 નવેમ્બર, 2021 બપોરે 12.20 વાગ્યે થશે.

જાણો પૂજાનો શુભ સમય પૂજાનો શુભ સમય: સાંજે 6.55 થી 8.57 સુધી

જો કે, અમે તમને જણાવી દઈએ કે પ્રદોષ વ્રતની પૂજા હંમેશા પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્તના સમયે જ કરવામાં આવે છે. જો તમારે પ્રદોષ કાળ પહેલા પૂજા કરવી હોય તો તમને પૂર્ણ ફળ નહીં મળે.

દેવાથી છુટકારો મેળવો જો તમારા પર કોઈ પ્રકારનું ઋણ (કરજ, દેવુ) છે અને તમે તેનાથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો ઋણમાંથી મુક્તિ મેળવવા માટે ભૌમ પ્રદોષ વ્રતના દિવસે હનુમાન ચાલીસા (Hanuman Chalisa) નો પાઠ કરવો જોઈએ. જો તમે આમ કરશો તો જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.

આ સાથે જ આ ખાન દિવસે મંગલદેવના 21 કે 108 નામનો પાઠ કરવાથી જલ્દીથી કર્જમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન શિવ સાથે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ કુંડળીમાં હાજર મંગલ દોષને શાંત કરે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Video : ભારે કરી ! યુવતી ફોટો પડાવવામાં હતી વ્યસ્ત, મિત્રએ એવુ પ્રેન્ક કર્યુ કે………..

આ પણ વાંચો: OMG ! આ મહિલાએ રિક્ષાવાળાના નામે કરી 1 કરોડની પ્રોપર્ટી, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">