AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવ દિવાળીએ તમે દીપદાન કરો છો કે નહીં ? દીપદાનથી પૂર્ણ થશે આપની મનોકામના

દેવ દિવાળીએ (DEV DIWALI) પવિત્ર નદીઓમાં સ્નાન અને દીપદાનનું વિશેષ મહત્વ છે. શ્રીહરિ સમક્ષ પ્રગટાવેલો એક દીપ આપને અપાવશે નોકરીમાં બઢતી.

દેવ દિવાળીએ તમે દીપદાન કરો છો કે નહીં ? દીપદાનથી પૂર્ણ થશે આપની મનોકામના
Deepdan
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 07, 2022 | 6:15 AM
Share

દેવ દિવાળી હિન્દુ ધર્મનો વિશેષ તહેવાર છે. તેનું મહત્વ પણ ખૂબ છે. આ દિવસે ગંગાઘાટ પર સ્વર્ગમાંથી ધરતીલોક પર સ્નાન કરવા દેવી અને દેવતાઓ અવતરિત થાય છે. એટલા માટે આ દિવસે ગંગાઘાટને વિશેષ સ્વરૂપે દીવાઓથી સજાવવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું આગવું મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે નદીમાં સ્નાન કરીને દીપદાન  કરવું જોઇએ. માન્યતા તો એવી છે કે આપની મનોકામના અનુસાર ચોક્કસ સ્થાન પર દીપદાન કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને ઇચ્છા અનુસાર આપને ફળની પ્રાપ્તિ કરાવે છે. દેવદિવાળીના દિવસે આપ શ્રદ્ધાપૂર્વક એ સ્થાન પર દીપદાન કરશો તો આપની તમામ મનોકામનાની પૂર્તિ થશે.

વિદ્યા-બુદ્ધિની પ્રાપ્તિ અર્થે

જો ભણવામાં મન ન લાગતું હોય અથવા તો મહેનત અનુસાર ફળ ન મળતું હોય તો આ સ્થિતિમાં માતા સરસ્વતી સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો સાથે માતાની સમક્ષ વિદ્યા-બુદ્ધિ અને સફળતાની પ્રાર્થના કરવી.

નોકરીમાં બઢતી અર્થે

નોકરીમાં બઢતી મેળવવા માટે દેવ દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુ સમક્ષ દીવો પ્રજવલિત કરવો. માન્યતા તો એવી છે કે આ ઉપાય કરવાથી આપને નોકરીમાં બઢતીની અવશ્ય પ્રાપ્તિ થશે અને જો નોકરી નથી તો તેને નોકરીની તકો પણ પ્રાપ્ત થશે.

આવકમાં વૃદ્ધિ અર્થે

જો આપને આપની આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ કરવી હોય તો દેવદિવાળીના દિવસે માતા લક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી આપની આવકમાં વૃદ્ધિ કરશે સાથે જ આવકની પ્રાપ્તિ માટે નવા સ્ત્રોત પણ પ્રાપ્ત કરાવશે.

દુર્ઘટનાથી મુક્તિ અર્થે

જો તમે કોઇને કોઇ પ્રકારની દુર્ઘટનાનો શિકાર બનતા હોવ તો દેવ-દિવાળીના દિવસે બજરંગ બલી હનુમાનજી સમક્ષ દીવો પ્રજવલિત કરવો. આ ઉપાય કરવાથી આપને આકસ્મિક દુર્ઘટનાઓથી મુક્તિ મળશે તેમજ તમારા શત્રુઓ પરાસ્ત થશે.

માંદગીમાંથી મુક્તિ અર્થે

જો પરિવારનું કોઇ સભ્ય બિમાર હોય કે લાંબાગાળાથી માંદગીમાં સપડાયેલું હોય તો દેવદિવાળીના દિવસે સૂર્ય દેવની સમક્ષ સૂર્યયંત્રની સ્થાપના કરવી અને તેમની સમક્ષ દીપ પ્રજવલિત કરવો. સાથે જ મનોમન પ્રાર્થના પણ કરવી આ માંદગીથી મુક્તિ મળે તે માટેની.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">