AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year 2022 Vastu Tips: નવા વર્ષે ઘરમાં રાખો આ શુભ વસ્તુઓ, નહીં આવે આખું વર્ષ સુખ-સમૃદ્ધિની કમી

વાસ્તુશાસ્ત્ર અનુસાર આવનારા નવા વર્ષની શરૂઆત પહેલા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ લાવો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

New Year 2022 Vastu Tips: નવા વર્ષે ઘરમાં રાખો આ શુભ વસ્તુઓ, નહીં આવે આખું વર્ષ સુખ-સમૃદ્ધિની કમી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 10:51 PM
Share

New Year 2022 Vastu tips: જ્યોતિષ (Jyotish)માં શુભ અને અશુભ બંને વસ્તુઓનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આમાંથી કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે તો સંપત્તિ ઝડપથી વધવા લાગે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે (Things to keep at home according to Vastu).

હવે 2021ને અલવિદા કહેવા માટે થોડા જ કલાકો બાકી છે. દરેકને હવે એક જ આશા છે કે 2022માં જીવનમાં બધું જ શુભ થઈ જશે. જ્યાં નવા વર્ષ 2022ના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યાં લોકોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો તમે પણ ઈચ્છો છો કે 2022માં બધું સારું થાય તો કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવવી પડશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર આવનારા નવા વર્ષની શરૂઆત પહેલા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ લાવો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને નકારાત્મકને બદલે સકારાત્મકતા આવે છે.

મોર પીંછા ભગવાન કૃષ્ણને પીંછા ખૂબ પ્રિય છે, જો ઘરમાં મોરનું પીંછ રાખવામાં આવે તો ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. જો તમે તમારા નવા વર્ષમાં તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો ઘરમાં મોરનું પીંછ રાખો.

તુલસીનો છોડ તુલસીના છોડને સનાતન ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો લીલો છોડ હોય છે, ત્યાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહેતી અને ઘરમાં પૈસા અને અનાજ ભરેલું રહે છે. જો તમારા ઘરમાં તુલસી નથી અથવા તે સુકાઈ ગઈ છે તો આ વર્ષે ઘરમાં તુલસીનો છોડ લાવો.

ચાંદીનો હાથી નવા વર્ષની શરૂઆત પહેલાં તમે ઘરે ચાંદીનો હાથી લઈ આવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદીના હાથીનો ચમત્કારિક પ્રભાવ હોય છે. આને રાખવાથી રાહુ અને કેતુની ખરાબ અસર સમાપ્ત થાય છે અને વેપાર અને નોકરીમાં પ્રગતિ થાય છે.

મેટલ ટર્ટલ નવા વર્ષ પહેલા તમારા ઘરમાં મેટલ ટર્ટલ (કાચબો) લાવો. ઘણીવાર લોકો માટી અથવા લાકડાનો નાનો કાચબો લાવે છે અને તેને ઘરમાં ગમે ત્યાં રાખે છે જે સારું નથી. જો તમે ઘરમાં ચાંદી, પિત્તળ અથવા કાંસાની ધાતુથી બનેલો કાચબો રાખો તો તે શુભ છે. તેને ઉત્તર દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

લાફિંગ બુદ્ધા નવા વર્ષના શુભ અવસર પર તમે ઘરમાં લાફિંગ બુદ્ધા પણ લાવી શકો છો. લાફિંગ બુદ્ધા લાવતા સમયે તેને હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. આને ઘરમાં રાખવાથી ક્યારેય ધનની કમી આવતી નથી.

નાનું નાળિયેર તમે નાનું નારિયેળ ઘરે લાવો અને તેને કપડામાં લપેટીને તિજોરીમાં રાખો અને પછી દિવાળીના બીજા દિવસે તેને બહાર કાઢીને નદી કે તળાવમાં વિસર્જન કરી દો. જો તમે આ કરો છો તો મા લક્ષ્મી તમારા ઘરમાં લાંબા સમય સુધી વાસ કરશે. વિસર્જન કર્યા પછી બીજું નારિયેળ તિજોરીમાં રાખી શકાય.

નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Krishna mantra : અષ્ટાક્ષર મંત્રના જાપથી પ્રાપ્ત થશે પ્રભુ શ્રીકૃષ્ણના અલભ્ય આશિષ !

આ પણ વાંચો: Shree Krishna : શું તમે જાણો છો શ્રીકૃષ્ણનો કયો એ સરળ મંત્ર છે જેનાથી દૂર થશે તમારા આર્થિક પ્રશ્ન ? તો અત્યારે જ જાણી લો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">