શુક્રવારના દિવસે લક્ષ્મી માતાની કૃપા મેળવવા ભૂલથી પણ આ કાર્યો ક્યારેય ન કરવા, આર્થિક સ્થિતિ નબળી પડી શકે !

શુક્રવારના દિવસે અનેક શુભ કાર્યો કરવા ઉપરાંત કેટલાક એવા કામ પણ છે જે ભૂલથી પણ કોઈએ ન કરવા જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી મા લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. ચાલો જાણીએ કે શુક્રવારના દિવસે ક્યા કામ ન કરવા જોઈએ.

શુક્રવારના દિવસે લક્ષ્મી માતાની કૃપા મેળવવા ભૂલથી પણ આ કાર્યો ક્યારેય ન કરવા, આર્થિક સ્થિતિ નબળી પડી શકે !
Laxmi Mata
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 2:41 PM

શુક્રવાર દેવી લક્ષ્મીને (Laxmi Mata) સમર્પિત છે. આ દિવસે મા ભગવતીને પ્રસન્ન કરવા સૌથી સરળ છે. ધાર્મિક માન્યતાઓમાં આ દિવસનું શરૂઆતથી જ વિશેષ મહત્વ છે. શુક્રવારે જો તમે દેવી લક્ષ્મીની પૂજા કરો છો અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો છો, તો તમારા ઘરમાં ધન, વૈભવ અને સમૃદ્ધિ આવે છે. એવું કહેવાય છે કે શુક્રવારે તમે કોઈપણ શુભ કાર્ય શરૂ કરી શકો છો. જો શુક્રવારના દિવસે માતાની પૂજા સંપૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે તો તે ઘરમાં માતાનો વાસ રહે છે.

તમને જણાવી દઈએ કે શુક્રવારના દિવસે અનેક શુભ કાર્યો કરવા ઉપરાંત કેટલાક એવા કામ પણ છે જે ભૂલથી પણ કોઈએ ન કરવા જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી મા લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. ચાલો જાણીએ કે શુક્રવારના દિવસે ક્યા કામ ન કરવા જોઈએ.

ઘરમાંથી મૂર્તિ કે ચિત્ર પ્રતિમા હટાવવી નહીં શુક્રવાર એ મા લક્ષ્મીને ઘરે લાવવાનો દિવસ છે, તેથી આ દિવસે તેમને વિસર્જીત ન કરવા જોઈએ. જો તમે આ દિવસે માતાની કોઈપણ જૂની અથવા તુટેલી મૂર્તિનું વિસર્જન કરો છો, તો તે એક અશુભ શુકન છે કારણ કે મૂર્તિનું વિસર્જન દેવીની વિદાય માનવામાં આવે છે. શુક્રવારના દિવસે ક્યારેય જૂની મૂર્તિને ઘરની બહાર ન કાઢો. તમે શુક્રવારે ઘરમાં નવી મૂર્તિ લાવી શકો છો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઘરનો મુખ્ય દ્વાર ખુલ્લો રાખવો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુખ્ય દ્વાર સાંજના સમયે થોડા સમય માટે ખોલવું જોઈએ. કહેવાય છે કે સાંજના સમયે દેવી લક્ષ્મી ભ્રમણ કરવા નીકળે છે, જ્યાં ઘરના દરવાજા બંધ હોય છે, માતા બહારથી પરત આવે છે, તેથી સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા ખોલવા જોઈએ. પૂજા સ્થાનમાં દીવો પ્રગટાવો, તેનાથી જીવનમાં માતાની કૃપા હંમેશા બની રહે છે.

ન તો ઉધાર આપો કે ન ઉધાર લો શુક્રવારના દિવસે હંમેશા ધ્યાન રાખો કે તમારે ન તો કોઈને ઉધાર આપવું જોઈએ અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ. જો તમે આવું કરશો તો ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે. શુક્રવારના દિવસે કોઈ ઉધાર માંગે તો તેની મદદ કરો પરંતુ ઉધાર ન આપો. આ દિવસે ઉધાર આપવાથી તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે.

સ્ત્રી કે મહિલાઓનું અપમાન ન કરો શુક્રવારના દિવસે કેટલાક લોકો દેવી લક્ષ્મીનું વ્રત રાખે છે અને આ કારણથી તેઓ કન્યાઓને ભોજન પણ કરાવે છે. તેથી આ દિવસે ભૂલથી પણ છોકરીઓનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. તેના બદલે તમે તેમનો આદર કરો. એવું કહેવાય છે કે આ સિવાય ઘરની લક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓને પણ શુક્રવારે કોઈ અપશબ્દો ન બોલવા અને તેમનું અપમાન ન કરવું જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Surya Grahan 2021: જાણો ગ્રહણ દરમિયાન ખાવા-પીવામાં કેમ નાખવામાં આવે છે તુલસીના પાન !

આ પણ વાંચો : Shani Amavasya 2021: શનિશ્ચરી અમાવસ્યાએ સાડા સાતી પનોતી અને ઢૈયાના કષ્ટોથી મળશે મુક્તિ, આ રીતે કરો શનિદેવની પૂજા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">