Navratri 2023: હિંદુ ધર્મમાં તમામ તહેવારોમાં ચમક જોવા મળે છે. 15મી ઓક્ટોબર 2023થી શારદીય નવરાત્રીનો (Navratri Festival 2023) પ્રારંભ થવા જઈ રહ્યો છે. શારદીય નવરાત્રી અથવા મહાપર્વ એ હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે. નવરાત્રીના આ 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર પૂરા 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે, પરંતુ બંગાળ સમુદાયના લોકો નવરાત્રીને પૂરા 9 દિવસ ઉજવતા નથી અને માત્ર પાંચ દિવસ સુધી દુર્ગાની પૂજા કરે છે.
સનાતન ધર્મમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે. ભારતના તમામ રાજ્યોમાં અલગ અલગ રીતે નવરાત્રીનો તહેવારઉજવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ગરબા રમાય છે અને અન્ય સ્થળોએ દુર્ગા પૂજા થાય છે. નવરાત્રીના છેલ્લા પશ્ચિમ બંગાળમાં 4 દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ચાર દિવસોમાં બંગાળની મહિલાઓ પણ પરંપરાગત સાડી પહેરે છે. તેમજ ઢાકની ધૂન પર એક પ્રકારનું નૃત્ય કરવામાં આવે છે જેને ધુનુચી કહે છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ ભવ્ય પંડાલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દેવી દુર્ગાને વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવે છે અને અન્ય ઘણા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અહીં મોટા પંડાલો શણગારવામાં આવે છે અને મા દુર્ગાની પૂજા-આરતી સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે. બંગાળની દુર્ગા પૂજા જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. બંગાળમાં દુર્ગા પૂજા પર અનેક પ્રકારના ભોગ બનાવવામાં આવે છે. દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળમાં નવરાત્રીના છઠ્ઠા દિવસથી શરૂ થાય છે અને નવરાત્રીના દસમા દિવસ સુધી ચાલુ રહે છે. બંગાળી હિંદુઓ માટે દુર્ગા અને કાલીની પૂજા સૌથી મોટો તહેવાર છે. પશ્ચિમ બંગાળના દશેરા પણ બધા કરતા અલગ છે.
હાલમાં પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને તેની પૂર્ણ થતાં જ શારદીય નવરાત્રી શરૂ થાય છે. દુર્ગા દેવીના બંગાળી ભક્તો નવરાત્રિની ષષ્ઠી તિથિથી દુર્ગા પૂજા શરૂ કરે છે અને તે વિજયાદશમી એટલે કે દશેરા પર પૂર્ણ થાય છે. આ વર્ષે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા 20 ઓક્ટોબર 2023થી શરૂ થશે અને 24 ઓક્ટોબર 2023 સુધી ચાલશે. બંગાળીઓ માટે આ પાંચ દિવસીય તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. બંગાળી લોકો પ્રતિપદા તિથિથી પંચમી તિથિ સુધી દુર્ગાની પૂજા માટે દેવી દુર્ગાની મૂર્તિને શણગારે છે અને તૈયાર કરે છે, ત્યારબાદ છઠ્ઠા દિવસથી શક્તિની પૂજા કરવાની માન્યતા છે.
પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને નવરાત્રીની પંચમી તિથિથી દશમી સુધી દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળમાં કેટલીક વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે જે નીચે મુજબ છે-
આ પણ વાંચો: Navratri 2023: ઘરે કેવી રીતે કરવી નવરાત્રીની પૂજા ? જાણો સમગ્ર વિધિ
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:11 pm, Tue, 3 October 23