Navratri 2023: ઘરે કેવી રીતે કરવી નવરાત્રીની પૂજા ? જાણો સમગ્ર વિધિ

Navratri 2023: મા અંબેના કોઈપણ ભક્ત માટે નવરાત્રી (Navratri) ચોક્કસપણે ખૂબ જ ખાસ છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત આ પવિત્ર નવ દિવસોમાં સાચા મનથી માતાની પૂજા કરે છે, તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન અંબે માના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચોક્કસ તમે પણ કળશ સ્થાપિત કરીને માતા દેવીને તમારા ઘરે આમંત્રિત કરવા માંગો છો.

Navratri 2023: ઘરે કેવી રીતે કરવી નવરાત્રીની પૂજા ? જાણો સમગ્ર વિધિ
Navratri Puja
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2023 | 12:16 PM

Navratri 2023: ભારતમાં ઘણા શુભ ધાર્મિક તહેવારો છે. નવરાત્રી એ સૌથી વધુ લોકપ્રિય તહેવારોમાંનો એક છે. તે ખૂબ જ ઉત્સાહ અને ઉર્જા સાથે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં નવરાત્રિની પૂજા ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. નવરાત્રી એટલે કે નવ શુભ રાત્રિઓ, એક ધાર્મિક તહેવાર છે જે દેવી દુર્ગાને માન આપવા અને પ્રાર્થના કરવા માટે ઉજવવામાં આવે છે. નવરાત્રીને કોલકાતામાં દુર્ગા પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં તે ચાર દિવસ માટે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

આ પૂજાના દિવસોમાં લોકો ઉપવાસ રાખે છે અને આધ્યાત્મિક અનુષ્ઠાન કરવામાં આવે છે. જો કોઈ ઘરમાં નવરાત્રી પૂજા કરવા ઈચ્છે છે તો તે યોગ્ય પદ્ધતિ અપનાવીને સરળતાથી કરી શકે છે. ઘરમાં નવરાત્રી પૂજા માટે જરૂરી તમામ રીત-રિવાજો, વિધિઓ અને નવરાત્રી પૂજા સામગ્રીને જાણવી જરૂરી છે. અહીં તમને જોઈતી તમામ આવશ્યક વસ્તુઓની યાદી આપી છે.

નવરાત્રીની પૂજા માટે જરૂરી વસ્તુઓ

  • દેવી દુર્ગાની મૂર્તિ અથવા ફોટો
  • દેવી દુર્ગાને અર્પણ કરવા માટે સાડી અથવા લાલ દુપટ્ટો
  • પંજિકા અથવા પવિત્ર હિંદુ પુસ્તક
  • નાળિયેર
  • ચંદન
  • ફળ
  • પાન
  • સોપારી
  • ગંગા જળ
  • કંકુ
  • એલચી
  • અગરબત્તિ
  • લવિંગ
  • મીઠાઈ
  • તાજા ફૂલો
  • ગુલાલ
  • સિંદૂર
  • કાચા ચોખા
  • એક લાલ પવિત્ર દોરો

આ બધી નવરાત્રી પૂજા સામગ્રી છે જેની તમારે ઘરે પૂજા કરવા માટે જરૂર પડશે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

ઘરે નવરાત્રીની પૂજા કરવાની સરળ રીત?

દેવીનું સ્થાપન કરવું

સૌ પ્રથમ તમારે મા દુર્ગાની મૂર્તિને એક બાજઠ પર સ્થાપિત કરવાની છે. આ ઘટસ્થાપન એ સમગ્ર પૂજાની શરૂઆત છે.

કળશની સ્થાપ્ના કરો

ત્યારબાદ ગંગાજળ નાખી અને તેના પર ફૂલો, પાંદડા અને સિક્કા મૂકવા પડશે. તેને ઢાંકણ વડે બંધ કરો અને પછી ઉપર કાચા ચોખા મૂકો. લાલ કપડામાં લપેટી નાળિયેર રાખો.

દેવી દુર્ગાની પૂજા કરો

દુર્ગા પૂજાની પ્રક્રિયા દીવો પ્રગટાવવાથી શરૂ થાય છે. કળશની પંચોપચાર સાથે પૂજા કરો. પંચોપચાર એટલે પાંચ વસ્તુઓ વડે ભગવાનનું પૂજન કરવું, આ છે – સુગંધ, ફૂલ, દીવો, ધૂપ અને નૈવેદ્ય.

નવરાત્રી પૂજા

નવરાત્રીની પૂજા દરમિયાન મા દુર્ગાની પ્રાર્થના કરવી અને આહ્વાન કરવું શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે મા દુર્ગા તમારા ઘરે આવે છે અને તમારા ઘરને પ્રકાશિત કરે છે અને તમારા પરિવારને આશીર્વાદ આપે છે. નવરાત્રીમાં અનુષ્ઠાન કરવા માટે તમારે ફૂલ, નૈવેદ્ય, દિવો, ફળ વગેરે અર્પણ કરવાના છે.

આરતી

આરતી દરમિયાન નવરાત્રીની સજાવટની તમામ વસ્તુઓ સાથે થાળી સજાવો. આરતી ગીતો ગાઓ, ઘંટડી વગાડો અને મા દુર્ગા પાસેથી આશીર્વાદ લો.

દેવી-દેવતાઓને આમંત્રણ આપવું અને ભોજન અર્પણ કરવું

નવરાત્રીના છેલ્લા દિવસે અથવા નવમા દિવસે લગભગ 5 થી 12 વર્ષની નવ છોકરીઓને આમંત્રિત કરો અને તેમના માટે ભોજન બનાવો. તેમને દેવી કહેવામાં આવે છે અને ધાર્મિક પ્રક્રિયાને કન્યા પૂજા કહેવામાં આવે છે.

આ પૂજા તમે ઘરે કરી શકો છો અને તમારા ઘર અને તમારા પરિવારમાં શાંતિ અને આશીર્વાદ મેળવવા માટે અનુસરી શકો છો.

આ પણ વાંચો: સપનામાં કાળો સાપ જોવો શુભ છે કે અશુભ? જાણો તે જીવનની કઈ ઘટના સૂચવે છે

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
g clip-path="url(#clip0_868_265)">