AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahavir Jayanti 2021: અહિંસાના પ્રભાવથી વિશ્વને ભય મુક્ત બનાવી શકાય છે

Mahavir Jayanti 2021: જૈન ધર્મમાં મહાવીર સ્વામીએ આશરે 2,500 વર્ષ પહેલા જે અહિંસાનો સિદ્ધાંત આપ્યો છે તેનો અમલ કરે તો દુનિયામાં સ્વર્ગની સ્થાપના થઈ શકે છે.

Mahavir Jayanti 2021: અહિંસાના પ્રભાવથી વિશ્વને ભય મુક્ત બનાવી શકાય છે
ભગવાન મહાવીર સ્વામી
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 25, 2021 | 6:56 PM
Share

Mahavir Jayanti 2021: જૈન ધર્મમાં મહાવીર સ્વામીએ આશરે 2,500 વર્ષ પહેલા જે અહિંસાનો સિદ્ધાંત આપ્યો છે તેનો અમલ કરે તો દુનિયામાં સ્વર્ગની સ્થાપના થઈ શકે છે. ભગવાન મહાવીર સ્વામીએ દરેક આત્માને એક સમાન ગણી કોઈ પણ જીવની સ્થૂળ કે સુક્ષ્મ હિંસા ન થાય તેની જાગૃતિ રાખવી તેને અહિંસા ગણી છે. લોકોના સ્વભાવમાં રહેલો લોભ, પરિગ્રહ વૃત્તિએ પાપનું મૂળ છે અને જેમ જરૂરિયાતો ઓછી હોય તેમ હિંસા પણ ઓછી થતી જાય છે. ડૉ. જગદીશચંદ્ર બોઝે જે સમયે સાબિત કર્યુ કે વનસ્પતિમાં જીવ છે તેના ઘણાં વર્ષો પહેલા વનસ્પતિમાં જીવ છે એ જૈન ધર્મમાં સિધ્ધાંતિક રીતે સાબિત થયેલ છે.

કર્મના સિદ્ધાંત પ્રમાણે જેવુ વાવો તેવુ જ લણો છો એટલે કે આપણા કર્મો આપણી સામે ફળ રૂપે આવતા હોય ત્યારે કર્મ કરતા પહેલા કર્મના ફળને જોઈ શકાય છે અને સારા ફળ ચાખવા હોય તો સારા કર્મો અનિવાર્ય છે. આજે આપણે જોઈ રહ્યા છે કે કોરોના વાઈરસ ચાઈનાના વુહાનમાંથી હાલતા ચાલતા દરેક જીવને ખાઈ જવાની વૃત્તિમાંથી પેદા થયેલુ છે તે જ રીતે આપણે જ્યારે વનસ્પતિઓને કાપીએ છીએ, ત્યારે તેમાં વસતાં હજારો, લાખો, કરોડો વાઈરસો હવામાં ભળી જાય છે, પરિણામે વનસ્પતિ અને પ્રાણીઓ માટે ખતરો બનતા માણસો માટે વાયરસ પોતે ખતરા રૂપ બને છે.

પૃથ્વીની રચનાએ રીતે થયેલ છે કે દરેક જીવ આપણને ભલે બિનઉપયોગી લાગતો હોય, પરંતુએ આપણા અસ્તિત્વને ટકાવવામાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. દરેક જીવ પોતે જીવવા ઈચ્છે છે તે હાલની પરિસ્થિતી જોતા ખ્યાલ આવે છે કે માણસની અંદર મૃત્યુનો કેટલો બધો ભય રહેલો છે. અહિંસાનો સિદ્ધાંતએ એક એવો સિદ્ધાંત છે કે તે દરેક જીવને અભયનું દાન આપે છે.

જૈન ધર્મના અનુયાયીઓએ શક્ય હોય તેટલો ભગવાન મહાવીરમાં અહિંસાના સિદ્ધાંતને શિક્ષણ દ્વારા લોકો સુધી પહોંચાડવો જોઈએ, જેથી કરીને જીવ હિંસાને અટકાવી શકાય. દરેક વ્યક્તિમાં બીજા જીવ પ્રત્યે પ્રેમ, કરૂણા અને અનુકંપા હોય તો અહિંસાના સિદ્ધાંતનું સહેલાઈથી પાલન કરી શકાય તેમ છે. કોઈ પણ પ્રકારની હિંસા સૌથી પહેલા માણસના વિચારમાં જન્મે છે એટલે જો તમારા વિચાર સકારાત્મક હોય અને દરેક જીવ પ્રત્યે પ્રેમની ભાવના હોય તો વિચારમાં આવેલી હિંસા પ્રત્યે તે વ્યક્તિ સંવેદનશીલ બનશે અને નકારાત્મક વિચારોને અમલમાં મુકશે નહીં, જેથી કરીને વિચારોનું શુદ્ધિકરણ અતિઆવશ્યક છે.

Follow Us
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">