AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivratri 2022: મહાદેવની પૂજામાં વર્જિત છે આ વસ્તુઓ, અર્પણ કરવાથી ભોલેનાથ થાય છે ક્રોધિત

આ વખતે મહા શિવરાત્રી (Maha Shivratri 2022)નો તહેવાર 1 માર્ચ 2022ના રોજ છે. આ અવસર પર જો તમે પણ મહાદેવની વિશેષ પૂજા કરવા જઈ રહ્યા છો તો તમે તેમાં કેટલીક વસ્તુઓ સામેલ ના કરતા. આ વસ્તુઓથી મહાદેવ ગુસ્સે થાય છે.

Maha Shivratri 2022: મહાદેવની પૂજામાં વર્જિત છે આ વસ્તુઓ, અર્પણ કરવાથી ભોલેનાથ થાય છે ક્રોધિત
Maha-Shivratri (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 11:49 AM
Share

મહાદેવને દેવોના દેવ કહેવામાં આવે છે. મહાશિવરાત્રી તેમની વિશેષ પૂજા-અર્ચનાનો દિવસ છે. આ દિવસે સવારથી જ મંદિરોમાં મહાદેવના ભક્તોની કતારો જોવા મળે છે. મહાશિવરાત્રીને ઉજવણીનો દિવસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસ શિવ અને માતા પાર્વતીના લગ્નનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં તેમના ભક્તો વિવિધ પ્રયત્નો કરીને તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે. આ વખતે મહા શિવરાત્રી (Maha Shivratri 2022)નો તહેવાર 1 માર્ચ 2022ના રોજ છે. આ અવસર પર જો તમે પણ મહાદેવની વિશેષ પૂજા કરવા જઈ રહ્યા છો તો તમે તેમાં કેટલીક વસ્તુઓ સામેલ ના કરતા. આ વસ્તુઓથી મહાદેવ ગુસ્સે થાય છે.

શંખ

અજાણતા પણ મહાદેવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરો. ન તો મહાદેવને શંખથી અભિષેક કરવામાં આવે છે અને ન તો મહાદેવની પૂજામાં શંખ ​​વગાડવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાદેવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારથી, શંખ એ અસુરનું પ્રતીક માનવામાં આવે છે. શંખચૂર્ણ નારાયણના ભક્ત હોવાથી નારાયણની પૂજામાં શંખ ​​ચોક્કસપણે વગાડવામાં આવે છે, પરંતુ મહાદેવની પૂજામાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે.

કેતકીના ફૂલ

મહાદેવની પૂજામાં કેતકીનું ફૂલ ક્યારેય ન ચઢાવવું જોઈએ. મહાદેવે કેતકી ફૂલને શ્રાપ આપ્યો હતો કે તેમની પૂજામાં કેતકીનું ફૂલ ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં. આ ફૂલ ચઢાવવાથી મહાદેવ ક્રોધિત થઈ જાય છે. આ સિવાય મહાદેવને લાલ રંગના ફૂલ પણ ન ચઢાવવા જોઈએ.

તુલસી

તુલસી તેના આગલા જન્મમાં વૃંદા હતી. તેમના પતિનું નામ જલંધર હતું. જ્યારે જલંધરને શિવ દ્વારા મારવામાં આવ્યો હતો, ત્યારે તુલસીએ પોતાને મહાદેવની પૂજામાં સામેલ કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારથી આજ સુધી મહાદેવની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.

નાળિયેર પાણી

મહાદેવને નારિયેળ અર્પણ કરવામાં આવે છે, પરંતુ નારિયેળ જળ ક્યારેય ચડાવવામાં આવતું નથી. આ ઉપરાંત મહાદેવની પૂજામાં ચોખાના ફાડા ચઢાવવાની પણ મનાઈ છે.

હળદર અને કંકુ

હળદર અને કંકુનો પણ મહાદેવની પૂજામાં ઉપયોગ થતો નથી. મહાદેવ એકાંતિક છે અને તેઓ તેમના કપાળ પર ભસ્મ લગાવે છે. આ સિવાય કંકુ લાલ રંગની હોય છે. લાલ રંગને ઉત્તેજક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં મહાદેવને સંહારક કહ્યા હોવાથી તેમની પૂજામાં કંકુનો ઉપયોગ પ્રતિબંધિત છે.

આ પણ વાંચો :Russia Ukraine Crisis: યુક્રેનથી બુકારેસ્ટ થઈને દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા ભારતીય નાગરિકો સાથે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી વાતચીત

આ પણ વાંચો :Saturday Night પાર્ટી કરવા પહોંચ્યા અનન્યા પાંડે, શનાયા અને સુહાના ખાન, જુઓ ગ્લેમરસ અંદાજ

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">