AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivratri 2022: મહાદેવની પૂજામાં વર્જિત છે આ વસ્તુઓ, અર્પણ કરવાથી ભોલેનાથ થાય છે ક્રોધિત

આ વખતે મહા શિવરાત્રી (Maha Shivratri 2022)નો તહેવાર 1 માર્ચ 2022ના રોજ છે. આ અવસર પર જો તમે પણ મહાદેવની વિશેષ પૂજા કરવા જઈ રહ્યા છો તો તમે તેમાં કેટલીક વસ્તુઓ સામેલ ના કરતા. આ વસ્તુઓથી મહાદેવ ગુસ્સે થાય છે.

Maha Shivratri 2022: મહાદેવની પૂજામાં વર્જિત છે આ વસ્તુઓ, અર્પણ કરવાથી ભોલેનાથ થાય છે ક્રોધિત
Maha-Shivratri (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 11:49 AM
Share

મહાદેવને દેવોના દેવ કહેવામાં આવે છે. મહાશિવરાત્રી તેમની વિશેષ પૂજા-અર્ચનાનો દિવસ છે. આ દિવસે સવારથી જ મંદિરોમાં મહાદેવના ભક્તોની કતારો જોવા મળે છે. મહાશિવરાત્રીને ઉજવણીનો દિવસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસ શિવ અને માતા પાર્વતીના લગ્નનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં તેમના ભક્તો વિવિધ પ્રયત્નો કરીને તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે. આ વખતે મહા શિવરાત્રી (Maha Shivratri 2022)નો તહેવાર 1 માર્ચ 2022ના રોજ છે. આ અવસર પર જો તમે પણ મહાદેવની વિશેષ પૂજા કરવા જઈ રહ્યા છો તો તમે તેમાં કેટલીક વસ્તુઓ સામેલ ના કરતા. આ વસ્તુઓથી મહાદેવ ગુસ્સે થાય છે.

શંખ

અજાણતા પણ મહાદેવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરો. ન તો મહાદેવને શંખથી અભિષેક કરવામાં આવે છે અને ન તો મહાદેવની પૂજામાં શંખ ​​વગાડવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાદેવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારથી, શંખ એ અસુરનું પ્રતીક માનવામાં આવે છે. શંખચૂર્ણ નારાયણના ભક્ત હોવાથી નારાયણની પૂજામાં શંખ ​​ચોક્કસપણે વગાડવામાં આવે છે, પરંતુ મહાદેવની પૂજામાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે.

કેતકીના ફૂલ

મહાદેવની પૂજામાં કેતકીનું ફૂલ ક્યારેય ન ચઢાવવું જોઈએ. મહાદેવે કેતકી ફૂલને શ્રાપ આપ્યો હતો કે તેમની પૂજામાં કેતકીનું ફૂલ ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં. આ ફૂલ ચઢાવવાથી મહાદેવ ક્રોધિત થઈ જાય છે. આ સિવાય મહાદેવને લાલ રંગના ફૂલ પણ ન ચઢાવવા જોઈએ.

તુલસી

તુલસી તેના આગલા જન્મમાં વૃંદા હતી. તેમના પતિનું નામ જલંધર હતું. જ્યારે જલંધરને શિવ દ્વારા મારવામાં આવ્યો હતો, ત્યારે તુલસીએ પોતાને મહાદેવની પૂજામાં સામેલ કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારથી આજ સુધી મહાદેવની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.

નાળિયેર પાણી

મહાદેવને નારિયેળ અર્પણ કરવામાં આવે છે, પરંતુ નારિયેળ જળ ક્યારેય ચડાવવામાં આવતું નથી. આ ઉપરાંત મહાદેવની પૂજામાં ચોખાના ફાડા ચઢાવવાની પણ મનાઈ છે.

હળદર અને કંકુ

હળદર અને કંકુનો પણ મહાદેવની પૂજામાં ઉપયોગ થતો નથી. મહાદેવ એકાંતિક છે અને તેઓ તેમના કપાળ પર ભસ્મ લગાવે છે. આ સિવાય કંકુ લાલ રંગની હોય છે. લાલ રંગને ઉત્તેજક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં મહાદેવને સંહારક કહ્યા હોવાથી તેમની પૂજામાં કંકુનો ઉપયોગ પ્રતિબંધિત છે.

આ પણ વાંચો :Russia Ukraine Crisis: યુક્રેનથી બુકારેસ્ટ થઈને દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા ભારતીય નાગરિકો સાથે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી વાતચીત

આ પણ વાંચો :Saturday Night પાર્ટી કરવા પહોંચ્યા અનન્યા પાંડે, શનાયા અને સુહાના ખાન, જુઓ ગ્લેમરસ અંદાજ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">