Maha Shivratri 2022: મહાદેવની પૂજામાં વર્જિત છે આ વસ્તુઓ, અર્પણ કરવાથી ભોલેનાથ થાય છે ક્રોધિત

આ વખતે મહા શિવરાત્રી (Maha Shivratri 2022)નો તહેવાર 1 માર્ચ 2022ના રોજ છે. આ અવસર પર જો તમે પણ મહાદેવની વિશેષ પૂજા કરવા જઈ રહ્યા છો તો તમે તેમાં કેટલીક વસ્તુઓ સામેલ ના કરતા. આ વસ્તુઓથી મહાદેવ ગુસ્સે થાય છે.

Maha Shivratri 2022: મહાદેવની પૂજામાં વર્જિત છે આ વસ્તુઓ, અર્પણ કરવાથી ભોલેનાથ થાય છે ક્રોધિત
Maha-Shivratri (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 11:49 AM

મહાદેવને દેવોના દેવ કહેવામાં આવે છે. મહાશિવરાત્રી તેમની વિશેષ પૂજા-અર્ચનાનો દિવસ છે. આ દિવસે સવારથી જ મંદિરોમાં મહાદેવના ભક્તોની કતારો જોવા મળે છે. મહાશિવરાત્રીને ઉજવણીનો દિવસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસ શિવ અને માતા પાર્વતીના લગ્નનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં તેમના ભક્તો વિવિધ પ્રયત્નો કરીને તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે. આ વખતે મહા શિવરાત્રી (Maha Shivratri 2022)નો તહેવાર 1 માર્ચ 2022ના રોજ છે. આ અવસર પર જો તમે પણ મહાદેવની વિશેષ પૂજા કરવા જઈ રહ્યા છો તો તમે તેમાં કેટલીક વસ્તુઓ સામેલ ના કરતા. આ વસ્તુઓથી મહાદેવ ગુસ્સે થાય છે.

શંખ

અજાણતા પણ મહાદેવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરો. ન તો મહાદેવને શંખથી અભિષેક કરવામાં આવે છે અને ન તો મહાદેવની પૂજામાં શંખ ​​વગાડવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાદેવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારથી, શંખ એ અસુરનું પ્રતીક માનવામાં આવે છે. શંખચૂર્ણ નારાયણના ભક્ત હોવાથી નારાયણની પૂજામાં શંખ ​​ચોક્કસપણે વગાડવામાં આવે છે, પરંતુ મહાદેવની પૂજામાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે.

કેતકીના ફૂલ

મહાદેવની પૂજામાં કેતકીનું ફૂલ ક્યારેય ન ચઢાવવું જોઈએ. મહાદેવે કેતકી ફૂલને શ્રાપ આપ્યો હતો કે તેમની પૂજામાં કેતકીનું ફૂલ ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં. આ ફૂલ ચઢાવવાથી મહાદેવ ક્રોધિત થઈ જાય છે. આ સિવાય મહાદેવને લાલ રંગના ફૂલ પણ ન ચઢાવવા જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

તુલસી

તુલસી તેના આગલા જન્મમાં વૃંદા હતી. તેમના પતિનું નામ જલંધર હતું. જ્યારે જલંધરને શિવ દ્વારા મારવામાં આવ્યો હતો, ત્યારે તુલસીએ પોતાને મહાદેવની પૂજામાં સામેલ કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારથી આજ સુધી મહાદેવની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.

નાળિયેર પાણી

મહાદેવને નારિયેળ અર્પણ કરવામાં આવે છે, પરંતુ નારિયેળ જળ ક્યારેય ચડાવવામાં આવતું નથી. આ ઉપરાંત મહાદેવની પૂજામાં ચોખાના ફાડા ચઢાવવાની પણ મનાઈ છે.

હળદર અને કંકુ

હળદર અને કંકુનો પણ મહાદેવની પૂજામાં ઉપયોગ થતો નથી. મહાદેવ એકાંતિક છે અને તેઓ તેમના કપાળ પર ભસ્મ લગાવે છે. આ સિવાય કંકુ લાલ રંગની હોય છે. લાલ રંગને ઉત્તેજક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં મહાદેવને સંહારક કહ્યા હોવાથી તેમની પૂજામાં કંકુનો ઉપયોગ પ્રતિબંધિત છે.

આ પણ વાંચો :Russia Ukraine Crisis: યુક્રેનથી બુકારેસ્ટ થઈને દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા ભારતીય નાગરિકો સાથે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી વાતચીત

આ પણ વાંચો :Saturday Night પાર્ટી કરવા પહોંચ્યા અનન્યા પાંડે, શનાયા અને સુહાના ખાન, જુઓ ગ્લેમરસ અંદાજ

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">