AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો કયા ગ્રહની ખરાબ અસરથી તમે છો પરેશાન ? સરળ ઉપાયથી મળશે સમાધાન !

જે લોકો ગુરુની અશુભ અસરથી પીડિત છે, તેમણે ખાસ કરીને પીપળાના વૃક્ષની સેવા પૂજાને તેમના નિત્યકર્મમાં સામેલ કરી દેવી જોઈએ. આ ઉપાય (Upay) ચોક્કસપણે લાભદાયી સાબિત થશે.

જાણો કયા ગ્રહની ખરાબ અસરથી તમે છો પરેશાન ? સરળ ઉપાયથી મળશે સમાધાન !
Kundali
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 11, 2023 | 6:13 AM
Share

અશુભ ગુરુના લક્ષણ

જો તમારી જન્મ કુંડળીમાં બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ અસ્ત હોય, અશુભ હોય , ખરાબ અસર અથવા તો પાપગ્રહની સાથે હોય તો દીનચર્યામાં અનેક મુસીબતો આવશે. તમે બીજાને શિસ્તબદ્ધ જીવન જીવવાની પ્રેરણા તો આપશો, પરંતુ, તમારું પોતાનું જ રુટીન સરખું નહીં હોય ! આ સંજોગોમાં ગુરુ ગ્રહની દશાને સુધારવા માટે નાના-નાના પ્રયોગોનો અમલ અત્યંત જરૂરી બની જાય છે.

ગુરુ દોષ નિવારણના ઉપાય

⦁ જે લોકો ગુરુની અશુભ અસરથી પીડિત છે, તેમણે ખાસ કરીને પીપળાના વૃક્ષની સેવા પૂજાને તેમના નિત્યકર્મમાં સામેલ કરી દેવી જોઈએ. આ ઉપાય ચોક્કસપણે લાભદાયી સાબિત થશે.

⦁ દરરોજ સવારે ઉઠતા જ બંને પગને સાથે જ જમીન પર મૂકવા જોઈએ.

⦁ પોતાના ઓશીકા અને ચાદરને સવારે ઉઠો એટલે વ્યવસ્થિત વાળીને મૂકવા.

⦁ સવારે ઊઠો એટલે તમારા ઘરમંદિર તરફ થોડીવાર સુધી જોયા કરવું.

⦁ નિત્ય સવારે પરિવારના વડીલોને વંદન કરવા.

⦁ આ દરેક ઉપાયને તમારા નિત્યકર્મમાં સામેલ કરી દેશો તો ગુરુ ગ્રહની સારી અસર તમારા જીવન ઉપર ચોક્કસથી જોવા મળશે.

અશુભ ચંદ્રના લક્ષણ 

જો તમારી કુંડળીમાં ચંદ્રમા નબળો હોય તો તમે હંમેશા તમારી માતા સાથે કોઇને કોઇ વાતે વિવાદ કરતા હશો ! બાથરૂમ-ટોઇલેટમાં પાણીનો બગાડ કરશો. ચંદ્રની અશુભ અસર જેમના પર છે, તેવી વ્યક્તિઓ પાણીનો પુષ્કળ બગાડ કરતી હોય છે. તેમજ, દિવસ દરમિયાન ખૂબ જ ઓછું પાણી પીતી હોય છે. જે પાણીની બરબાદી કરે છે, તે દરિદ્ર જ રહે છે ! એટલે કે હંમેશા જ અભાવગ્રસ્ત રહે છે !

ચંદ્ર દોષ નિવારણના ઉપાય

પાણીનો બગાડ બિલકુલ ન કરો.

જમતી વખતે પાણી પીવાનું ટાળો. શક્ય હોય તો બિલકુલ જ ન પીવો !

રાત્રે દૂધ ન પીવું જોઇએ. અને જો પીવું પડે તેમ હોય તો દૂધ પીવાના 2 કલાક પછી જ ઊંઘવું જોઈએ.

અશુભ સૂર્યના લક્ષણ 

⦁ શહેરોમાં મોડા ઉઠવું એક રુટીન બની ગયુ છે. મોટાભાગના લોકો ઉગતા સૂર્યને જોતા જ નથી ! પણ, જેમની કુંડળીમાં સૂર્ય અશુભ છે તેમનું તો આ પ્રમુખ લક્ષણ બની જાય છે !

⦁ આવી વ્યક્તિઓના તેમના પિતા સાથેના સંબંધો પણ સારા નથી હોતા !

⦁ અશુભ સૂર્ય ધરાવતી વ્યક્તિને જો જીવનમાં સફળતા મળી જાય અથવા તે પૈસાવાળી બની જાય, તો પણ, કેટલાંક કર્મો અને વિચારોના કારણે રોગ તેમનો પીછો નથી છોડતા !

⦁ આવી વ્યક્તિને આંખો સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે !

⦁ તેમને સરકાર તરફથી પણ સમસ્યાઓ વધી શકે છે. આ સ્થિતિમાં વ્યક્તિએ કેટલાક પરિવર્તન કરવા ખૂબ જ જરૂરી બની જાય છે.

સૂર્ય દોષ નિવારણના ઉપાય

⦁ રાત્રે વહેલા સૂઇ જવું અને સવારે વહેલા ઉઠવું જોઈએ. સવારે આંખ ખુલ્યા બાદ તરત જ પથારી ન છોડવી. થોડા સમય માટે પથારી પર જ બેસવું અને ત્યારબાદ ઉગતા સૂર્યને નિહાળવો.

⦁ નિત્ય પિતાના આશીર્વાદ લઇને જ ઘરેથી નીકળવું જોઈએ.

⦁ ઉપરોક્ત ઉપાયો કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલ સૂર્ય ગ્રહ સારી અસર આપશે. તેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

⦁ સૂર્યના વૈદિક મંત્રની ઓછામાં ઓછી 10 માળા 31 દિવસ સુધી કરવાથી વ્યક્તિના ચહેરાનું આભામંડળ બદલાઇ જાય છે. અને તેને સૂર્યના શુભ ફળની પ્રાપ્તિ થવા લાગે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">