Vastu tips for kitchen: ઘરના આ ભાગ સાથે જોડાયેલી છે આપની ખુશીઓ, જાણો રસોડાની સાચી દિશા અને તેનું મહત્વ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસોડા માટે અગ્નિ ખૂણો શ્રેષ્ઠ દિશાને માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત દરેક માટે આવું કરવું શક્ય નથી હોતું.

Vastu tips for kitchen: ઘરના આ ભાગ સાથે જોડાયેલી છે આપની ખુશીઓ, જાણો રસોડાની સાચી દિશા અને તેનું મહત્વ
Vastu tips for kitchen
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 11:23 AM

Vastu tips for kitchen: કોઈપણ ઘર બનાવતી વખતે, રસોડાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે તે માત્ર તમારી પેટ પૂજા સાથે જ નહીં પરંતુ તમારી ખુશીઓ  સાથે પણ સંબંધિત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસોડા માટે અગ્નિ ખૂણો શ્રેષ્ઠ દિશાને  માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત દરેક માટે આવું કરવું શક્ય નથી હોતું. ખાસ કરીને જ્યારે આપણે ફ્લેટ કલ્ચરમાં જીવીએ છીએ ત્યારે. તો ચાલો જાણીએ કે રસોડાનું જુદી જુદી દિશામાં હોવું તે ઘરમાં રહેતા લોકો પર શું અસર કરે છે ?

અગ્નિ ખૂણો: સૌ પ્રથમ વાત કરીએ રસોડા માટે વાસ્તુ દ્વારા નિર્ધારિત અગ્નિ ખૂણાની, આ દિશામાં રસોડું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આ જગ્યાએ રસોડું હોય છે, તે જગ્યાની મહિલાઓ હંમેશા ખુશ રહે છે.

પૂર્વ દિશા – જ્યાં પૂર્વ દિશામાં રસોડું હોય છે તે ઘરનો માલિક સારી કમાણી કરતો  હશે પરંતુ તે ઘરની અસલી કમાન તેની પત્નીના હાથમાં હોય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પશ્ચિમ દિશા – જે ઘરમાં રસોડું પશ્ચિમ દિશામાં બને છે, તે ઘરનું તમામ કામ પણ તે ઘરની મુખ્ય મહિલા સભ્ય સંભાળે છે. તેને તેના પરિવારના સભ્યો તરફથી ઘણો સ્નેહ મળે છે, પરંતુ આ જગ્યાએ બનેલું રસોડું ઘણી વખત અન્નના બગાડનું કારણ બને છે.

ઉત્તર દિશા – ઘરની મહિલાઓ જ્યાં રસોડું ઉત્તર દિશામાં હોય છે તે બુદ્ધિશાળી હોય છે અને ઉમદા વિચારો ધરાવે છે. આવા ઘરના માલિક પણ પોતાનો વ્યવસાય સારી રીતે ચલાવે છે.

દક્ષિણ દિશા- રસોડું દક્ષિણ દિશામાં બનેલા હોવાને કારણે, તે પરિવારમાં અશાંતિનું વાતાવરણ રહે છે. ઘરના માલિકને વાતમાં ગુસ્સો આવે છે અને ઘણીવાર તેની તબિયત એક યા બીજા કારણસર ખરાબ રહે છે.

ઈશાન ખૂણો – ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં જ્યાં રસોડું છે, તે પરિવારના સભ્યોને તેમની કારકિર્દી અને વ્યવસાયમાં સામાન્ય સફળતા મળે છે. આવા ઘરમાં અવારનવાર વિવાદ થાય છે.

વાયવ્ય ખૂણો – જે ઘર આ ખૂણામાં રસોડું બનેલું છે, તે ઘરનો માલિક રોમેન્ટીક હોય છે અને તેની ઘણી સ્ત્રી મિત્રો હોય છે. તેને શુભ માનવામાં આવતું નથી.

નૈઋત્ય ખૂણો – જે ઘરમાં રસોડું દક્ષિણ -પૂર્વ ખૂણામાં બને છે, તે ઘરની અગ્રણી મહિલા સભ્ય હંમેશા ઉર્જા અને સ્નેહથી ભરેલી હોય છે.

આ પણ વાંચો: Rudrakhs: કયા ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કયો રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી ? વાંચો અને ધારણ કરો રૂદ્રાક્ષ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ મીન- 02 ઓગસ્ટ: ધીરજ અને શાંતિ રાખવાનો છે આ સમય, નોકરિયાતને સત્તાવાર મુસાફરી માટે મળી શકે ઓર્ડર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">