AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવી-દેવતાઓને સમર્પિત છે સપ્તાહનો દરેક દિવસ, જાણો ક્યા દિવસે કયું કાર્ય કરવું રહેશે શુભ ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક દિવસનું પોતાનું મહત્વ છે. શુભ-અશુભતાના દૃષ્ટિકોણથી, દરેક દિવસમાં વિવિધ કાર્યો કરવાનું કહેવામાં આવ્યું છે.

દેવી-દેવતાઓને સમર્પિત છે સપ્તાહનો દરેક દિવસ, જાણો ક્યા દિવસે કયું કાર્ય કરવું રહેશે શુભ ?
અઠવાડિયાના સાત દિવસ ફક્ત નવ ગ્રહો સાથે જ નહીં પણ વિવિધ દેવી-દેવતાઓ સાથે પણ સબંધ ધરાવે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 7:06 AM
Share

અઠવાડિયાના સાત દિવસ ફક્ત નવ ગ્રહો સાથે જ નહીં પણ વિવિધ દેવી-દેવતાઓ સાથે પણ સબંધ ધરાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક દિવસનું પોતાનું મહત્વ છે. શુભ-અશુભતાના દૃષ્ટિકોણથી, દરેક દિવસમાં વિવિધ કાર્યો કરવાનું કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર શુભ અને માંગલિક કાર્યો માટે અત્યંત શુભ હોવાનું માનવામાં આવે છે. રવિવાર, મંગળવાર અને શનિવારને ક્રૂર વાર ગણાવ્યા છે. ચાલો આપણે જાણીએ કે કયા દિવસે, કયા કાર્ય પર, શુભ પરિણામ ટૂંક સમયમાં પ્રાપ્ત થાય છે.

રવિવારના કાર્યો ક્રૂર પ્રવૃત્તિઓ માટે રવિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમ કે શસ્ત્રોનો ઉપયોગ, યુદ્ધ, અગ્નિથી સંબંધિત કામ વગેરે. આ દિવસે રવિવારે રાજ્યાભિષેક, રાજકીય કાર્ય, સરકારી કામ વગેરે માટે ખૂબ ફળદાયક માનવામાં આવે છે.

સોમવારના કાર્યો સોમવાર ચંદ્રદેવ અને ભગવાન શિવનો વાર માનવામાં આવે છે. આ દિવસને ઘરેણાં બનાવવા, લેતી-દેતીના વ્યવહારનું કામ, વૃક્ષારોપણ, પુરુષ-સ્ત્રી સંબંધો વગેરે માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મંગળવારના કાર્યો મંગળવાર શ્રી હનુમાનજીને સમર્પિત છે. આ દિવસ દુશ્મનોમાં કૂટ પાડવા માટે, જૂઠાણા, કપટ, કસરત, યુદ્ધ, શસ્ત્રોનો ઉપયોગ, સંધિ-વિચ્છેદ માટે શુભ માનવામાં આવે છે.

બુધવારના કાર્યો બુધ ગ્રહ સાથે સંબંધિત, આ દિવસ ભગવાન ગણપતિની ઉપાસના માટે જાણીતો છે. આ દિવસે વાંચન, લેખન, કળા, વ્યવસાય, હસ્તકલા વગેરે કાર્યો કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસ વિવાદોના નિરાકરણ માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગુરુવારના કાર્યો ગુરુવારે દેવગુરુ બૃહસ્પતિની પૂજા અર્ચના માટે સમર્પિત છે. આ દિવસે ધાર્મિક અને શુભ કાર્ય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે યજ્ઞ, વિદ્યા-અભ્યાસ, મુસાફરી, સવારી, ઔષધીઓ, ઝવેરાત વગેરેને લાગતાં માટે પણ ખૂબ શુભ છે.

શુક્રવારના કાર્યો શુક્ર દેવ સાથે સંબંધિત આ દિવસ દેવીની સાધના-આરાધના માટે જાણીતો છે. આ દિવસ પુરુષ-સ્ત્રી સંબંધો સ્થાપિત કરવા માટે, ગીત-સંગીત, ખેતી, નવા કપડા પહેરવા માટે, જમીન-સંપત્તિ અને પ્રેમાલાપ માટે શુભ માનવામાં આવે છે.

શનિવાર કાર્યો શનિવાર મુખ્યત્વે શનિ ગ્રહની ઉપાસના માટે જાણીતો છે. આ દિવસે ક્રૂર કાર્ય કરવાથી સફળતા મળે છે. ઉદાહરણ તરીકે, તંત્ર-મંત્ર જેવા કામ, અસ્ત્ર-શસ્ત્રનો ઉપયોગ, લોખંડ, સીસું વગેરેને લાગતાં કામ, આ દિવસે ભારે વાહનો લેવાનું શુભ માનવામાં આવે છે. આ સાથે, આ દિવસને છેતરપિંડીથી બચવા માટે પણ ફળદાયક માનવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેના કોઈ જ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. આ લેખને સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">