AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણી લો પ્રભુની પૂજાના આ નિયમ, પૂજા સમયે ભૂલથી પણ ન કરી બેસતા આ ભૂલ !

પૂજા (Worship) દરમિયાન શંખ અથવા ઘંટ જરૂરથી વગાડવા જોઈએ. કારણ કે, તેના અવાજથી નકારાત્મકતા નષ્ટ થાય છે અને સકારાત્મકતા વધે છે. પરંતુ રાત્રિના સમયે કોઇપણ દેવી દેવતાની પૂજા કરતા સમયે શંખ અથવા ઘંટ વગાડવો જોઈએ નહીં !

જાણી લો પ્રભુની પૂજાના આ નિયમ, પૂજા સમયે ભૂલથી પણ ન કરી બેસતા આ ભૂલ !
Puja (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 22, 2022 | 6:22 AM
Share

સનાતન પરંપરામાં દેવી-દેવતાઓની પૂજા  (Worship) કેવી રીતે કરવી તેમની આરાધના કેવી રીતે કરવાની તમામ પ્રકારની વિધિઓ જણાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે જોઇએ તો કોઈ દેવતા માત્ર જળથી, કોઈ માત્ર પર્ણથી, તો કોઈ માત્ર દૂર્વાથી જ પ્રસન્ન થઈ જાય છે. એ જ કારણ છે કે આપણે આરાધ્યની સાધના કે આરાધના વિધિ વિધાન સાથે કરીએ છે. હિંદુ ધર્મમાં (hindu religion) ભગવાનની પૂજા, વિધિ અને ઉપવાસનું વિશેષ અને આગવુ મહત્સ્થાવ રહેલું છે. સવારે અને સાંજે લગભગ દરેક ઘરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાનની આરતી (Aarti of God) કરવામાં આવે છે. ઘરના મંદિરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ દરેક વસ્તુને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અલબત્ આ પૂજાના કેટલાંક નિયમો પણ છે. જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે.

હિન્દુ ધર્મમાં પૂજા સંબંધી ઘણા નિયમ અને તેના લાભ જણાવવામાં આવ્યા છે. કહે છે કે તેનું પાલન કરવાથી પૂજાનું યોગ્ય ફળ મળે છે. ત્યારે આવો, આજે આપણે પણ પૂજાના આ નિયમોને જાણીએ. કે કોઇપણ દેવી-દેવતાની શાસ્ત્રોક્ત પૂજા કરતા સમયે આપણે કઇ કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

નિત્ય પૂજા-પરિક્રમા

સનાતન પરંપરાને માનતા પરિવારોમાં ઓછામાં ઓછા પાંચ દેવી-દેવતા અથવા ભગવાન ગણેશ, ભગવાન શિવ, દેવી દુર્ગા, ભગવાન સૂર્ય તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવામાં આવે છે.. તેમણે ભગવાન સૂર્યની સાત, ભગવાન વિષ્ણુની ચાર, ગણપતિની ત્રણ, માતા દુર્ગાની એક પરિક્રમા અને ભગવાન શિવની અડધી પરિક્રમા કરવી જોઇએ.

ઘરના રાખવાના મૂર્તિ અને શિવલિંગ 

ઘરમાં ક્યારેય પણ બે શિવલિંગ, ગણપતિની ત્રણ મૂર્તિ અથવા ચિત્ર, બે શંખ, સૂર્યદેવના બે ચિત્ર અથવા મૂર્તિ અને બે શાલિગ્રામ ન રાખવા જોઇએ.

કઈ મૂર્તિ ન રાખવી ?

ઘરમાં કે ઘરના મંદિરમાં ક્યારેય પણ નટરાજ, ભૈરવ, રાહુ-કેતુ અને શનિદેવની મૂર્તિ સ્થાપિત કરવી જોઇએ નહીં. આ તમામ દેવતાઓની પૂજા ઘરની બહાર તેમના મંદિરમાં થાય તે જ શુભ મનાય છે.

પ્રભુને પ્રિય વસ્તુઓ અર્પણ કરો

તમારા આરાધ્યને પ્રસન્ન કરવા માટે તેમની પ્રિય વસ્તુઓ તેમને અર્પણ કરવી જોઈએ. જેમ કે ભગવાન શિવને બીલીપત્ર, ભગવાન વિષ્ણુને તુલસીના પાન, ગણપતિજીને દૂર્વા અને ભગવાન સૂર્યને લાલ કરેણના પુષ્પ વધારે પસંદ છે.

ઘંટ-શંખનો મહિમા

પૂજા દરમિયાન શંખ અથવા ઘંટ જરૂરથી વગાડવા જોઈએ. કારણ કે, તેના અવાજથી નકારાત્મકતા નષ્ટ થાય છે અને સકારાત્મકતા વધે છે. પરંતુ રાત્રિના સમયે કોઇપણ દેવી દેવતાની પૂજા કરતા સમયે શંખ અથવા ઘંટ વગાડવો જોઈએ નહીં. માન્યતા છે કે રાતના સમયે દેવી-દેવતા શયન કરવા માટે જાય છે. એવામાં તેમને જગાડવા પર દોષ લાગે છે !

સ્નાન-તિલકની વિધિ

દેવી દેવતાઓની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવ્યા વગર ચંદન-કંકુ ક્યારેય લગાવવું જોઇએ નહીં. એ વાતનું પણ ધ્યાન રાખો કે દેવતાઓને હમેશાં અનામિકા આંગળીથી જ તિલક કરવામાં આવે છે.

દીપ પ્રાગટ્યના નિયમો 

જ્યારે પણ આપ પૂજા કરતા હોવ ત્યારે હંમેશા ઘીનો દીવો જમણી બાજુ પ્રજવલિત કરવો  અને તેલનો દીવો ડાબી બાજુ પ્રજવલિત કરીને રાખવો  જોઈએ. પૂજા સમયે  ક્યારેય પણ એક દીવાથી બીજો દીવો પ્રગટાવવો જોઇએ નહીં. તેનાથી દોષ લાગે છે.

વસ્તુની અછત

જો તમારી પૂજા ચાલી રહી છે અને તે દરમિયાન કોઇ વસ્તુની અછત થઈ જાય અથવા તો કોઇ વસ્તુ  ઉપલ્બધ ન થઇ શકે તો તેની જગ્યાએ અક્ષત અથવા ફૂલ અર્પણ કરીને તમારી પૂજાને ચાલુ કરી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">