AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rules for Fasting : શું તમે જાણો છો વ્રત અને ઉપવાસના નિયમો ? આ બાબતોનું રાખશો ધ્યાન તો મળશે પુણ્ય લાભ

શ્રદ્ધા અને માન્યતા સાથે જોડાયેલા વ્રતને દૈવી કૃપા મેળવવા, ઈચ્છાઓ પૂરી કરવા, ગ્રહ વગેરે સંબંધિત દોષ દૂર કરવા માટે રાખવામાં આવે છે. કેટલાક લોકો તેને માનસિક શાંતિ માટે પણ રાખે છે અને કેટલાક વધુ સારા સ્વાસ્થ્ય માટે.

Rules for Fasting : શું તમે જાણો છો વ્રત અને ઉપવાસના નિયમો ? આ બાબતોનું રાખશો ધ્યાન તો મળશે પુણ્ય લાભ
વ્રત અને ઉપવાસના નિયમો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 5:24 PM
Share

હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા માટે વિવિધ પદ્ધતિઓ આપવામાં આવી છે. આમાં, પૂજા સિવાય, જપ, તપ અને વ્રતના (Vrat) પણ નિયમ છે. સનાતન પરંપરામાં અલગ અલગ દેવી-દેવતાઓ માટે અલગ અલગ ઈચ્છાઓ સાથે વ્રત રાખવાનો નિયમ છે.

શ્રદ્ધા અને માન્યતા સાથે જોડાયેલા વ્રતને દૈવી કૃપા મેળવવા, ઈચ્છાઓ પૂરી કરવા, ગ્રહ વગેરે સંબંધિત દોષ દૂર કરવા માટે રાખવામાં આવે છે. કેટલાક લોકો તેને માનસિક શાંતિ માટે પણ રાખે છે અને કેટલાક વધુ સારા સ્વાસ્થ્ય માટે. આ વ્રતના કેટલાક નિયમો પણ છે જે તમારે જાણવા જરૂરી છે.

1. કોઈ પણ દેવી-દેવતા માટે વ્રત શરૂ કરવા માટે સંકલ્પ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ પણ ઉપવાસ શુભ સંકલ્પ વગર અધૂરો રહે છે, તેથી ઉપવાસ શરૂ કરતા પહેલા એક સંકલ્પ કરો કે કેટલા દિવસો માટે અને કયા નિયમોનું પાલન કરીને તમે ઉપવાસ કરી શકો છો.

2. સનાતન પરંપરામાં નિર્ધારિત પદ્ધતિ અનુસાર હંમેશા વ્રત કરો. તમારી સગવડતા માટે વ્રતના બનાવેલા નિયમોમાં ફેરફાર ન કરો. જો કે, બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે કેટલીક વસ્તુઓ માફ કરવામાં આવે છે.

3. હંમેશા વ્રતનો શુભારંભ પંચાંગથી કરો, જેથી તમારા વ્રતમાં કોઈ અવરોધ ન આવે.

4. હંમેશા શાંત, શુદ્ધ અને પવિત્ર મનથી વ્રતની શરૂઆત કરો અને ઉપવાસ દરમિયાન ક્યારેય કોઈની સાથે ઈર્ષ્યા, દ્વેષ, ગુસ્સો વગેરે ન કરો.

5. ઉપવાસ દરમિયાન બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરો. જો કોઈ સ્ત્રીને વ્રત દરમિયાન માસિક આવે છે, તો તે દિવસ માટે માત્ર વ્રતની સંખ્યા ન લો અને આગામી તારીખ અથવા દિવસે ફરી એકવાર તે વ્રત શરૂ કરો.

6. જો મૃત્યુ અથવા જન્મનું સૂતક ઉપવાસની મધ્યમાં આવે છે, તો તેને ફરીથી શરૂ કરવું જોઈએ.

7. દેવી-દેવતાઓની સાથે વ્રતના દિવસે પોતાના પિતૃઓનું પણ સ્મરણ કરવું જોઈએ.

8. જો કોઈ કારણસર તમારૂ વ્રત તૂટી જાય અથવા ચૂકી જવાય તો પછી ક્ષમા માગી ફરી વ્રત શરૂ કરો.

9. વ્રત પૂર્ણ થયા બાદ નિયમ અનુસાર ઉત્થાપન કરો. આ ઉપરાંત માતા-પિતા અથવા માતા-પિતા સમાન લોકોના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો.

આ પણ વાંચો : Bhakti : કામિકા એકાદશીએ અજમાવો આ સરળ ઉપાય, તમારી સઘળી ઈચ્છાને પૂર્ણ કરશે નારાયણ

આ પણ વાંચો : Bhakti : એકાદશીએ શા માટે ન ખાવા જોઈએ ચોખા ? જાણો રહસ્ય, નહીં તો તમે બનશો પાપના ભાગીદાર

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">