AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rules for Fasting : શું તમે જાણો છો વ્રત અને ઉપવાસના નિયમો ? આ બાબતોનું રાખશો ધ્યાન તો મળશે પુણ્ય લાભ

શ્રદ્ધા અને માન્યતા સાથે જોડાયેલા વ્રતને દૈવી કૃપા મેળવવા, ઈચ્છાઓ પૂરી કરવા, ગ્રહ વગેરે સંબંધિત દોષ દૂર કરવા માટે રાખવામાં આવે છે. કેટલાક લોકો તેને માનસિક શાંતિ માટે પણ રાખે છે અને કેટલાક વધુ સારા સ્વાસ્થ્ય માટે.

Rules for Fasting : શું તમે જાણો છો વ્રત અને ઉપવાસના નિયમો ? આ બાબતોનું રાખશો ધ્યાન તો મળશે પુણ્ય લાભ
વ્રત અને ઉપવાસના નિયમો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 5:24 PM
Share

હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા માટે વિવિધ પદ્ધતિઓ આપવામાં આવી છે. આમાં, પૂજા સિવાય, જપ, તપ અને વ્રતના (Vrat) પણ નિયમ છે. સનાતન પરંપરામાં અલગ અલગ દેવી-દેવતાઓ માટે અલગ અલગ ઈચ્છાઓ સાથે વ્રત રાખવાનો નિયમ છે.

શ્રદ્ધા અને માન્યતા સાથે જોડાયેલા વ્રતને દૈવી કૃપા મેળવવા, ઈચ્છાઓ પૂરી કરવા, ગ્રહ વગેરે સંબંધિત દોષ દૂર કરવા માટે રાખવામાં આવે છે. કેટલાક લોકો તેને માનસિક શાંતિ માટે પણ રાખે છે અને કેટલાક વધુ સારા સ્વાસ્થ્ય માટે. આ વ્રતના કેટલાક નિયમો પણ છે જે તમારે જાણવા જરૂરી છે.

1. કોઈ પણ દેવી-દેવતા માટે વ્રત શરૂ કરવા માટે સંકલ્પ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ પણ ઉપવાસ શુભ સંકલ્પ વગર અધૂરો રહે છે, તેથી ઉપવાસ શરૂ કરતા પહેલા એક સંકલ્પ કરો કે કેટલા દિવસો માટે અને કયા નિયમોનું પાલન કરીને તમે ઉપવાસ કરી શકો છો.

2. સનાતન પરંપરામાં નિર્ધારિત પદ્ધતિ અનુસાર હંમેશા વ્રત કરો. તમારી સગવડતા માટે વ્રતના બનાવેલા નિયમોમાં ફેરફાર ન કરો. જો કે, બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે કેટલીક વસ્તુઓ માફ કરવામાં આવે છે.

3. હંમેશા વ્રતનો શુભારંભ પંચાંગથી કરો, જેથી તમારા વ્રતમાં કોઈ અવરોધ ન આવે.

4. હંમેશા શાંત, શુદ્ધ અને પવિત્ર મનથી વ્રતની શરૂઆત કરો અને ઉપવાસ દરમિયાન ક્યારેય કોઈની સાથે ઈર્ષ્યા, દ્વેષ, ગુસ્સો વગેરે ન કરો.

5. ઉપવાસ દરમિયાન બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરો. જો કોઈ સ્ત્રીને વ્રત દરમિયાન માસિક આવે છે, તો તે દિવસ માટે માત્ર વ્રતની સંખ્યા ન લો અને આગામી તારીખ અથવા દિવસે ફરી એકવાર તે વ્રત શરૂ કરો.

6. જો મૃત્યુ અથવા જન્મનું સૂતક ઉપવાસની મધ્યમાં આવે છે, તો તેને ફરીથી શરૂ કરવું જોઈએ.

7. દેવી-દેવતાઓની સાથે વ્રતના દિવસે પોતાના પિતૃઓનું પણ સ્મરણ કરવું જોઈએ.

8. જો કોઈ કારણસર તમારૂ વ્રત તૂટી જાય અથવા ચૂકી જવાય તો પછી ક્ષમા માગી ફરી વ્રત શરૂ કરો.

9. વ્રત પૂર્ણ થયા બાદ નિયમ અનુસાર ઉત્થાપન કરો. આ ઉપરાંત માતા-પિતા અથવા માતા-પિતા સમાન લોકોના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો.

આ પણ વાંચો : Bhakti : કામિકા એકાદશીએ અજમાવો આ સરળ ઉપાય, તમારી સઘળી ઈચ્છાને પૂર્ણ કરશે નારાયણ

આ પણ વાંચો : Bhakti : એકાદશીએ શા માટે ન ખાવા જોઈએ ચોખા ? જાણો રહસ્ય, નહીં તો તમે બનશો પાપના ભાગીદાર

Follow Us
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
g clip-path="url(#clip0_868_265)">