Bhakti: માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવવા શુક્રવારે અચૂક અર્પણ કરો તેમના આ સૌથી પ્રિય પ્રસાદ !

શુક્રવારના દિવસે પૂજા પાઠ કરતા સમયે એ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ કે જેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય. એક માન્યતા અનુસાર શુક્રવારના રોજ માતાજીને તેમના પ્રિય ભોગ કે પ્રસાદ અર્પણ કરવામાં આવે તો દેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

Bhakti: માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવવા શુક્રવારે અચૂક અર્પણ કરો તેમના આ સૌથી પ્રિય પ્રસાદ !
Goddess Laxmi (Symbolic Image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 31, 2021 | 6:29 AM

માતા લક્ષ્મી (lakshmi) એ તો ધન પ્રદાન કરનારા દેવી મનાય છે. મા લક્ષ્મીની કૃપા હોય તો જ વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની (money) પ્રાપ્તિ થાય છે. અને એટલે જ આજના સમયમાં દરેક વ્યક્તિને મા લક્ષ્મીજીની કૃપા જોઇતી હોય છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા, પાઠ, વ્રત, મંત્રજાપ વગેરે કરતાં હોય છે. પરંતુ, સાથે જ કેટલાક ખાસ દિવસો પણ હોય છે કે જે દિવસોમાં માતાજીની પૂજા-અર્ચનાથી તેમની સવિશેષ કૃપાને પ્રાપ્ત કરી શકાય છે. તેમજ જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે.

હિંદુ ધર્મમાં દરેક દેવી દેવતાઓનો ચોક્કસ દિવસ નક્કી જ હોય છે કે આ દિવસે આ દેવી કે દેવતાની ઉપાસના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. મા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે શુક્રવારનો દિવસ શ્રેષ્ઠ મનાય છે. ત્યારે શુક્રવારના દિવસે પૂજા પાઠ કરતા સમયે એ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ કે જેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય. શુક્રવારના દિવસે તેમજ પૂનમના દિવસે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવાથી ભક્તને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

એક માન્યતા અનુસાર શુક્રવારના રોજ માતાજીને તેમના પ્રિય ભોગ કે પ્રસાદ અર્પણ કરવામાં આવે તો માતાજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. તો ચાલો, આપને જણાવીએ કે કયો પ્રસાદ કે ભોગ અર્પણ કરવાથી માતાજી પ્રસન્ન થઇને તમારા પર વિશેષ કૃપા વરસાવશે ?

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

ખીર એવી માન્યતા છે કે માતા લક્ષ્મીને સફેદ રંગની વસ્તુઓ તેમજ દૂધમાંથી બનેલી વાનગીઓ ખૂબ જ પસંદ છે. એટલે માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે દૂધ અને ચોખાથી બનેલી ખીરનો ભોગ અર્પણ કરવો જોઇએ. પછી આ પ્રસાદ ઘરના દરેક સભ્યો તેમજ કુંવારિકાઓમાં વહેંચી દેવો. માન્યતા એવી છે કે આ પ્રસાદ અર્પણ કરવાથી માતા ઝડપથી તેમના ભક્ત પર પ્રસન્ન થાય છે.

સાકર માતા લક્ષ્મીજીને સાકર પણ ખૂબ પ્રિય છે. માતાને સાકરનો પ્રસાદ અર્પણ કર્યા પછી કુંવારિકાઓને પોતાના ઘરે બોલાવીને ભોજન કરાવવું જોઇએ. શાસ્ત્રોમાં કુંવારિકાઓને માતાનું સ્વરૂપ ગણવામાં આવે છે.

મખાના માતા લક્ષ્મીને મખાનાનો ભોગ લગાવવો જોઇએ. મખાના કમળના પુષ્પના બીજમાંથી જ બને છે. એટલે તેને ફૂલ મખાના પણ કહેવાય છે. માતા લક્ષ્મીને મખાનાનો ભોગ અવશ્ય અર્પણ કરવો જોઇએ. અને મખાનામાંથી મીઠી વાનગી બનાવીને પણ અર્પણ કરી શકાય. કારણ કે તેનાથી દેવી વિશેષ પ્રસન્ન થાય છે.

પતાશા આપને આગળ જણાવ્યું તેમ દેવી લક્ષ્મીને શ્વેત રંગ અત્યંત પ્રિય છે. એટલે માતા લક્ષ્મીને ભોગમાં પતાશા અર્પણ કરવા જોઇએ. એક માન્યતા અનુસાર માતા લક્ષ્મીને પતાશા અર્પણ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શું તમે જાણો છો શ્રીકૃષ્ણનો કયો એ સરળ મંત્ર છે જેનાથી દૂર થશે તમારા આર્થિક પ્રશ્ન ? તો અત્યારે જ જાણી લો

આ પણ વાંચો : હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા-અર્ચના કેવી રીતે કરવી ? જાણો તેના ઉપાય અને ફાયદાઓ વિશે

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">