AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitri Navratri : જો આદ્યશક્તિનો આ ઉપાય કરી લેશો, તો ક્યારે નહીં થાય ઘરમાં કલેશ

જગતજનની તો ખૂબ દયાળુ છે. તેના ભક્તોની દરેક કામનાને પૂર્ણ કરનારી છે. જો ઘરમાં કલેશ છે, રોગે ઘર કરી લીધું છે કે વ્યવસાયમાં છે કોઈ અડચણ તો આદ્યશક્તિના આ ઉપાય દૂર કરશે આપની સમસ્યા.

Chaitri Navratri : જો આદ્યશક્તિનો આ ઉપાય કરી લેશો, તો ક્યારે નહીં થાય ઘરમાં કલેશ
Maa amba (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 04, 2022 | 6:33 AM
Share

આ વખતની ચૈત્રી નવરાત્રી એટલે તો પૂરા નવ નવ દિવસ માતાની આરાધના કરવાનો અવસર. આ વખતની નવરાત્રી પૂરા નવ દિવસ અને નવ રાત્રિ સાથે આવી છે. કોઈ પણ તિથીનો ક્ષય નથી. જો કે નવ દિવસો સુધી ચાલતી નવરાત્રીમાં દરેક લોકો માતાની આરાધના કરતા હોય છે. નવરાત્રીમાં સુખ સમદ્ધિ પ્રાપ્તિ અર્થે પૂજા પાઠ કરવાનું માહાત્મ્ય છે. નવરાત્રીમા માતાની આરાધના કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે. માન્યતા એવી છે કે નવરાત્રીમાં જો કોઈ સારા કાર્ય અર્થે અને સારા ઉદેશ અર્થે કોઇ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિની મનોકામના શીઘ્ર જ પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ એવા જ સરળ ઉપાયો.

ઘર પરિવારમાં કલેશ કે બિમારીની સમસ્યા અર્થે પતિ-પત્નીની વચ્ચે કે ઘર પરિવારમાં સંબંધો સુમેળભર્યા ન હોય કે ઘરમાં બિમારીની મોટી સમસ્યા હોય તો નવરાત્રીમાં એક ખાસ ઉપાય અવશ્ય કરવો. આ ઉપાય કરવા માટે સવારે બ્રહ્મમૂહુર્તમાં ઊઠીને પૂજા સમયે નીચે આપેલ મંત્રનો 21 વાર નિયમિત રૂપે જાપ કરવો. જો સંભવ હોય તો પરિવારના સદસ્યોએ પણ આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેના કારણે જીવનભર પરિવારના દરેક સભ્યો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઇ રહેશે અને દરેકનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હેવાની માન્યતા છે. . સબ નર કરહિં પરસ્પર પ્રીતી | ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ ||

વ્યવસાય અર્થે નવરાત્રીમાં બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને સફેદ રંગના ઊનનું આસન લેવું. આપનું મુખ પૂર્વ દિશા તરફ રહે તેમ તે આસન પર બેસવું. હવે આપની સામે પીળું વસ્ત્ર પાથરીને તેની પર 108ની સ્ફટિકની માળા મૂકી દો હવે તેની પર કેસર અને કેવડાનું અત્તર છાંટીને માળાની પૂજા કરો. આ માળાને ધૂપ, દીપ અને અગરબત્તી અર્પણ કરીને નીચે આપેલ મંત્રની માળા કરો. ૐ હ્રીં વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ્ટ સ્વાહા આ મંત્રનો 108 વાર જાપ કરો. આ પ્રકારે નવરાત્રીના દિવસો દરમ્યાન આ માળા કરવાથી તે સિદ્ધ થઇ જાય છે. આ પછી ક્યારેય પણ કોઇ ઇન્ટરવ્યૂ કે અન્ય કોઇ મહત્વના કાર્યે જતા હોવ ત્યારે આ માળા ધારણ કરીને જવું. આ ઉપાય કરવાથી આપને અચૂક સફળતાની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા પૂર્વે અચૂક રાખો આ સાવધાની, તો જ થશે ફળની પ્રાપ્તિ !

આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાને અર્પણ કરી દો આ ભોગ, જીવનમાં નહીં સતાવે કોઈ રોગ !

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">