Chaitri Navratri : જો આદ્યશક્તિનો આ ઉપાય કરી લેશો, તો ક્યારે નહીં થાય ઘરમાં કલેશ

જગતજનની તો ખૂબ દયાળુ છે. તેના ભક્તોની દરેક કામનાને પૂર્ણ કરનારી છે. જો ઘરમાં કલેશ છે, રોગે ઘર કરી લીધું છે કે વ્યવસાયમાં છે કોઈ અડચણ તો આદ્યશક્તિના આ ઉપાય દૂર કરશે આપની સમસ્યા.

Chaitri Navratri : જો આદ્યશક્તિનો આ ઉપાય કરી લેશો, તો ક્યારે નહીં થાય ઘરમાં કલેશ
Maa amba (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 04, 2022 | 6:33 AM

આ વખતની ચૈત્રી નવરાત્રી એટલે તો પૂરા નવ નવ દિવસ માતાની આરાધના કરવાનો અવસર. આ વખતની નવરાત્રી પૂરા નવ દિવસ અને નવ રાત્રિ સાથે આવી છે. કોઈ પણ તિથીનો ક્ષય નથી. જો કે નવ દિવસો સુધી ચાલતી નવરાત્રીમાં દરેક લોકો માતાની આરાધના કરતા હોય છે. નવરાત્રીમાં સુખ સમદ્ધિ પ્રાપ્તિ અર્થે પૂજા પાઠ કરવાનું માહાત્મ્ય છે. નવરાત્રીમા માતાની આરાધના કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે. માન્યતા એવી છે કે નવરાત્રીમાં જો કોઈ સારા કાર્ય અર્થે અને સારા ઉદેશ અર્થે કોઇ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિની મનોકામના શીઘ્ર જ પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ એવા જ સરળ ઉપાયો.

ઘર પરિવારમાં કલેશ કે બિમારીની સમસ્યા અર્થે પતિ-પત્નીની વચ્ચે કે ઘર પરિવારમાં સંબંધો સુમેળભર્યા ન હોય કે ઘરમાં બિમારીની મોટી સમસ્યા હોય તો નવરાત્રીમાં એક ખાસ ઉપાય અવશ્ય કરવો. આ ઉપાય કરવા માટે સવારે બ્રહ્મમૂહુર્તમાં ઊઠીને પૂજા સમયે નીચે આપેલ મંત્રનો 21 વાર નિયમિત રૂપે જાપ કરવો. જો સંભવ હોય તો પરિવારના સદસ્યોએ પણ આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેના કારણે જીવનભર પરિવારના દરેક સભ્યો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઇ રહેશે અને દરેકનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હેવાની માન્યતા છે. . સબ નર કરહિં પરસ્પર પ્રીતી | ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ ||

વ્યવસાય અર્થે નવરાત્રીમાં બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને સફેદ રંગના ઊનનું આસન લેવું. આપનું મુખ પૂર્વ દિશા તરફ રહે તેમ તે આસન પર બેસવું. હવે આપની સામે પીળું વસ્ત્ર પાથરીને તેની પર 108ની સ્ફટિકની માળા મૂકી દો હવે તેની પર કેસર અને કેવડાનું અત્તર છાંટીને માળાની પૂજા કરો. આ માળાને ધૂપ, દીપ અને અગરબત્તી અર્પણ કરીને નીચે આપેલ મંત્રની માળા કરો. ૐ હ્રીં વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ્ટ સ્વાહા આ મંત્રનો 108 વાર જાપ કરો. આ પ્રકારે નવરાત્રીના દિવસો દરમ્યાન આ માળા કરવાથી તે સિદ્ધ થઇ જાય છે. આ પછી ક્યારેય પણ કોઇ ઇન્ટરવ્યૂ કે અન્ય કોઇ મહત્વના કાર્યે જતા હોવ ત્યારે આ માળા ધારણ કરીને જવું. આ ઉપાય કરવાથી આપને અચૂક સફળતાની પ્રાપ્તિ થાય છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા પૂર્વે અચૂક રાખો આ સાવધાની, તો જ થશે ફળની પ્રાપ્તિ !

આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાને અર્પણ કરી દો આ ભોગ, જીવનમાં નહીં સતાવે કોઈ રોગ !

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">