Holi 2022: હોળીના દિવસે કરો વાસ્તુ સંબંધિત આ ઉપાય, ધનની કમી થશે દૂર

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે જો કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો આ પદ્ધતિથી ધનની કમી પણ દૂર થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે વાસ્તુ ઉપાય કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

Holi 2022: હોળીના દિવસે કરો વાસ્તુ સંબંધિત આ ઉપાય, ધનની કમી થશે દૂર
Vastu Tips For Holi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 5:17 PM

હોળીનો (Holi 2022) તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર આ દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ બની રહે છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે જો કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો આ પદ્ધતિથી ધનની કમી પણ દૂર થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે વાસ્તુ ઉપાય કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે વાસ્તુ દોષ પરિવારમાં ગરીબી અને દુઃખ લાવે છે અને ઘણીવાર પૈસાની કમી રહે છે. આટલું જ નહીં, વાસ્તુ દોષને કારણે તમારું નસીબ પણ પ્રભાવિત થાય છે અને સખત મહેનત કરવા છતાં લોકોને પ્રગતિ નથી મળતી. આવા દોષોને દૂર કરવા માટે તમે હોળી જેવા શુભ દિવસે કેટલાક ઉપાયો અપનાવી શકો છો.

1. હોળી રંગોનો તહેવાર છે અને આ દિવસે એવા રંગોથી રંગોળી બનાવવી શુભ છે, જે દેવતાઓને પસંદ હોય છે. ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની બહાર પીળી અને લાલ રંગોળી બનાવો. વાસ્તુમાં રંગો સંબંધિત ઉપાયો અપનાવીને અનેક પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરી શકાય છે. એવું કહેવાય છે કે આવા રંગોની રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

2. ઘર અને પરિવારમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે તમે હોળીના દિવસે ઘરમાં વૃક્ષ-છોડ વાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, છોડ લગાવવાથી પણ ઘરમાં રહેલા દોષોને દૂર કરી શકાય છે. હોળીનો દિવસ ઘર માટે સારા ગણાતા છોડ વાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા પણ જળવાઈ રહેશે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

3. એવું પણ જોવામાં આવ્યું છે કે વાસ્તુ દોષના કારણે ઘરમાં જ નહીં પરંતુ પતિ-પત્ની વચ્ચે સુમેળ હોવા છતાં ઘણીવાર વિવાદો થતા રહે છે. આ વિવાદોને દૂર કરવા માટે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ ઘરમાં સ્થાપિત કરી શકો છો.

4. ધનની કમી દૂર કરવા માટે વાસ્તુમાં ઘણા ઉપાયો છે. હોળીના દિવસે તમે તમારા કાર્યક્ષેત્રમાં સૂર્ય ભગવાનની તસવીર લગાવી શકો છો. આ ચિત્ર લગાવતી વખતે તમારે દિશાનું ખાસ ધ્યાન રાખવું પડશે. વાસ્તુ અનુસાર ઓફિસ કે દુકાનમાં ઉગતા સૂર્યની તસવીર પૂર્વ દિશામાં જ લગાવો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Vastu Tips: ઘરમાં આ ચમત્કારી છોડને લગાવવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે, બીમારીઓ પણ દૂર રહેશે

આ પણ વાંચો : જો આ સમયે કરશો ગાયત્રી મંત્રનો જાપ તો પૂર્ણ થશે સઘળી અભિલાષ!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">