AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2022: હોળીના દિવસે કરો વાસ્તુ સંબંધિત આ ઉપાય, ધનની કમી થશે દૂર

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે જો કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો આ પદ્ધતિથી ધનની કમી પણ દૂર થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે વાસ્તુ ઉપાય કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

Holi 2022: હોળીના દિવસે કરો વાસ્તુ સંબંધિત આ ઉપાય, ધનની કમી થશે દૂર
Vastu Tips For Holi
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 5:17 PM
Share

હોળીનો (Holi 2022) તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર આ દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ બની રહે છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે જો કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો આ પદ્ધતિથી ધનની કમી પણ દૂર થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે વાસ્તુ ઉપાય કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે વાસ્તુ દોષ પરિવારમાં ગરીબી અને દુઃખ લાવે છે અને ઘણીવાર પૈસાની કમી રહે છે. આટલું જ નહીં, વાસ્તુ દોષને કારણે તમારું નસીબ પણ પ્રભાવિત થાય છે અને સખત મહેનત કરવા છતાં લોકોને પ્રગતિ નથી મળતી. આવા દોષોને દૂર કરવા માટે તમે હોળી જેવા શુભ દિવસે કેટલાક ઉપાયો અપનાવી શકો છો.

1. હોળી રંગોનો તહેવાર છે અને આ દિવસે એવા રંગોથી રંગોળી બનાવવી શુભ છે, જે દેવતાઓને પસંદ હોય છે. ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની બહાર પીળી અને લાલ રંગોળી બનાવો. વાસ્તુમાં રંગો સંબંધિત ઉપાયો અપનાવીને અનેક પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરી શકાય છે. એવું કહેવાય છે કે આવા રંગોની રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

2. ઘર અને પરિવારમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે તમે હોળીના દિવસે ઘરમાં વૃક્ષ-છોડ વાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, છોડ લગાવવાથી પણ ઘરમાં રહેલા દોષોને દૂર કરી શકાય છે. હોળીનો દિવસ ઘર માટે સારા ગણાતા છોડ વાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા પણ જળવાઈ રહેશે.

3. એવું પણ જોવામાં આવ્યું છે કે વાસ્તુ દોષના કારણે ઘરમાં જ નહીં પરંતુ પતિ-પત્ની વચ્ચે સુમેળ હોવા છતાં ઘણીવાર વિવાદો થતા રહે છે. આ વિવાદોને દૂર કરવા માટે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ ઘરમાં સ્થાપિત કરી શકો છો.

4. ધનની કમી દૂર કરવા માટે વાસ્તુમાં ઘણા ઉપાયો છે. હોળીના દિવસે તમે તમારા કાર્યક્ષેત્રમાં સૂર્ય ભગવાનની તસવીર લગાવી શકો છો. આ ચિત્ર લગાવતી વખતે તમારે દિશાનું ખાસ ધ્યાન રાખવું પડશે. વાસ્તુ અનુસાર ઓફિસ કે દુકાનમાં ઉગતા સૂર્યની તસવીર પૂર્વ દિશામાં જ લગાવો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Vastu Tips: ઘરમાં આ ચમત્કારી છોડને લગાવવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે, બીમારીઓ પણ દૂર રહેશે

આ પણ વાંચો : જો આ સમયે કરશો ગાયત્રી મંત્રનો જાપ તો પૂર્ણ થશે સઘળી અભિલાષ!

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">