AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHAKTI: અહીં થાય છે શિવજીના અંગૂઠાની પૂજા, જાણો સૌથી રહસ્યમય શિવ મંદિરનો મહિમા

અહીં ગર્ભગૃહમાં જતા જાણે શિવ પાતાળમાં બિરાજ્યા હોય તેવો ભાસ થાય છે. પણ, વાસ્તવમાં તે સ્થાન પર જમણાં પગના અંગૂઠાના નિશાન ઉપસેલા જોઈ શકાય છે.

BHAKTI: અહીં થાય છે શિવજીના અંગૂઠાની પૂજા, જાણો સૌથી રહસ્યમય શિવ મંદિરનો મહિમા
ગર્ભગૃહમાં દેખાય છે શિવજીના અંગૂઠાના નિશાન !
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 3:11 PM
Share

સામાન્ય રીતે શિવાલયોમાં શિવલિંગની (SHIVLING) જ પૂજા અર્ચના થતી હોય છે. તો વળી, કોઈ શિવાલયમાં મૂર્તિ રૂપ શિવજીના અને માતા પાર્વતીના પણ દર્શન થઈ જતા હોય છે. પરંતુ, આજે અમારે વાત કરવી છે એક એવાં શિવધામની કે જ્યાં ન તો શિવલિંગની પૂજા થાય છે કે ન તો શિવ પ્રતિમાની ! અહીં તો થાય છે શિવજીના અંગૂઠાની પૂજા !

રાજસ્થાનમાં અનેક શિવ મંદિરો આવેલા છે. પણ અહીંના હિલ સ્ટેશન માઉન્ટ આબુના ખાસ આકર્ષણોમાં અચલગઢનું નામ સામેલ છે. અચલગઢનો કિલ્લો તેમજ અહીં આવેલું અચલેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ લોકપ્રિય છે. કહે છે કે અહીં શિવજીનું એવું સ્વરૂપ પૂજાય છે કે જેવું બીજે ક્યાંય જોવા નથી મળતું. અહીં ભગવાન શિવજીના જમણા પગના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે ! મંદિરમાં પ્રવેશ કરતા જ ધાતુના વિશાળકાય નંદીના અને સાથે શિવ પ્રતિમાના દર્શન થાય છે. તો, ગર્ભગૃહમાં જતા જાણે શિવ પાતાળમાં બિરાજ્યા હોય તેવો ભાસ થાય છે. પણ, વાસ્તવમાં તે સ્થાન પર જમણાં પગના અંગૂઠાના નિશાન ઉપસેલા જોઈ શકાય છે.

Here the worship of Shivaji's toe takes place, know the glory of the most mysterious Shiva temple

નંદીવર્ધનની રક્ષાર્થે અહીં આવ્યા મહાદેવ !

દંતકથા એવી છે કે પૂર્વે અહીં વિરાટ બ્રહ્મ ખાઈ હતી. વશિષ્ઠ મુનિની કામધેનુ ગાય બે વખત તેમાં પડી ગઈ. ઋષિએ તપોબળે તેને બહાર કાઢી. આખરે, ફરી આવું ન બને તે માટે તેમણે ખાઈ પૂરવા હિમાલય પાસે તેમના પુત્ર નંદીવર્ધન માંગ્યા. નંદીવર્ધને ખાઈ પર બિરાજમાન થઈ તેને પૂરવાનો પ્રયત્ન કર્યો, પણ, તે તો તેમાં સરકવા જ લાગ્યા ! કહે છે કે ત્યારે વશિષ્ઠ મુનિએ મહાદેવનું સ્મરણ કર્યુ. નંદીવર્ધનને બચાવવા શિવજીએ તેમના જમણાં પગનો અંગૂઠો ફેલાવ્યો અને નંદીવર્ધનને સ્થિર એટલે કે અચલ કરી દીધાં. જેને લીધે જ આ સ્થાન અચલગઢના નામે ખ્યાત થયું. ! માન્યતા એવી છે કે ભગવાન શિવના અંગૂઠાને લીધે જ આ સ્થાન સ્થિર છે. જે દિવસે શિવજી અંગૂઠો હટાવી લેશે તે સાથે જ અચલગઢ પણ નષ્ટ થઈ જશે.

અહીં ભગવાન શિવના અંગૂઠા નીચે એક પ્રાકૃતિક ખાડો બનેલો છે. આ ખાડામાં ગમે તેટલું પાણી નાખવામાં આવે પણ તે ક્યારેય પણ ભરાતો જ નથી ! તેમાં અર્પણ કરેલું પાણી ક્યાં જાય છે તે આજે પણ એક રહસ્ય છે. લોકો આ જ કુતૂહલતાને કારણે અહીં આવે છે. અચલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં ખૂબ જ જૂના ચંપાના ઝાડ આવેલાં છે. જે સ્થાનકની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. તો, મંદિરની શિલ્પ કળા પણ અદભૂત છે.

આ પણ વાંચોઃ BHAKTI: આ અંગારકી ચતુર્થીએ અજમાવો વિશેષ ઉપાય અને મેળવો શ્રીગણેશના અઢળક આશીર્વાદ

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">