BHAKTI: આ અંગારકી ચતુર્થીએ અજમાવો વિશેષ ઉપાય અને મેળવો શ્રીગણેશના અઢળક આશીર્વાદ

અંગારકી ચતુર્થીએ ગણેશજીની પૂજા અને વ્રત કરવાથી બીમારીઓ દૂર થાય છે. આર્થિક મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, વિવાહ આડેના અવરોધો દૂર કરવા આ વ્રત વિશેષ ફળદાયી મનાય છે.

BHAKTI: આ અંગારકી ચતુર્થીએ અજમાવો વિશેષ ઉપાય અને મેળવો શ્રીગણેશના અઢળક આશીર્વાદ
અંગારકી ચતુર્થીએ શ્રીગણેશ વરસાવશે વિશેષ કૃપા
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 26, 2021 | 10:44 AM

અંગારકી સંકષ્ટીનો (SANKASHTI) અવસર એટલે ગજાનનની કૃપાપ્રાપ્તિનો સર્વોત્તમ અવસર. મંગળવાર અને વદ પક્ષની ચોથ એટલે કે, સંકષ્ટી જ્યારે એકસાથે આવતી હોય, ત્યારે તે અંગારકી ચતુર્થી તરીકે ઓળખાય છે. આ ચોથ અંગારકી, અંગારક કે અંગારકી સંકષ્ટી જેવાં નામે પણ પ્રસિદ્ધ છે. ગજાનન શ્રીગણેશનું સંકષ્ટીનું વ્રત અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવાનું છે. એમાંય જ્યારે અંગારકી સંકષ્ટીનો સંયોગ હોય ત્યારે તેનાથી પ્રાપ્ત થનારા ફળ અનેકગણાં વધી જાય છે. અષાઢ વદ ચોથ, મંગળવાર, તારીખ 27 જુલાઈના રોજ પણ આ અદભુત સંયોગ બની રહ્યો છે, ત્યારે આવો જાણીએ કે કેવાં વિધિ-વિધાન દ્વારા આ અવસરે પ્રાપ્ત થશે ગજાનનની વિશેષ કૃપા.

ગણેશ પુરાણ પ્રમાણે આ દિવસે ગણેશજીની પૂજા અને વ્રત કરવાથી બીમારીઓ દૂર થાય છે. આર્થિક મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, વિવાહ આડેના અવરોધો દૂર કરવા આ વ્રત વિશેષ ફળદાયી મનાય છે. આ વ્રતના પ્રભાવથી દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે. વ્રતથી પ્રસન્ન થઈ શ્રીગણેશ ઋણમુક્તિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે. ત્યારે આવો જાણીએ વ્રતની વિધિ.

વ્રતની વિધિ 1. મંગળવારે સવારે વહેલા ઊઠી સ્નાન કરી ગજાનનની સન્મુખ બેસો. 2. સર્વ પ્રથમ અંગારકી સંકષ્ટી વ્રતનો સંકલ્પ લો અને તે નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે શ્લોક સાથે પ્રાર્થના કરો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ । નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ।। 3. સંકલ્પ બાદ શ્રીગણેશનું ષોડશોપચાર પૂજન કરો. 4. “ૐ ગં ગણપતયૈ નમઃ।” બોલતા ગજાનનને 21 દૂર્વા અર્પણ કરો. 5. શક્ય હોય તો આ દિવસે પ્રભુને 21 લાડુનો ભોગ લગાવો. 6. 21 લાડુમાંથી 5 ભગવાન પાસે રાખો, બીજા 5 કોઈ બ્રાહ્મણને દાનમાં આપો અને બાકીના બધાં લાડુ પ્રસાદ રૂપે વહેંચી દો. 7. આ દિવસે ગણેશ અથર્વશીર્ષ કે સંકટનાશક સ્તોત્રનું પઠન ફળદાયી બની રહેશે. 8. કોઈ સ્તોત્રનું પઠન શક્ય ન હોય તો શક્ય એટલાં ગણેશમંત્રના જાપ કરો. 9. આ દિવસે ઉપવાસ રાખવો. ઉપવાસ શક્ય ન હોય તો પણ દિવસ દરમિયાન માત્ર ફળ ગ્રહ કરવા. 10. રાત્રે ચંદ્રોદય બાદ તેના દર્શન કરી ભોજન ગ્રહણ કરી શકાય.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કહે છે કે નિયમ અનુસાર અંગારકી ચતુર્થીનું વ્રત કરવાથી ગજાનન ચોક્કસથી પ્રસન્ન થાય છે અને ભક્તના સઘળા મનોરથોની પૂર્તિ કરે છે.

આ પણ વાંચોઃ પ્રભુ સેવા પહેલાં માતા-પિતાની સેવા, પંઢરીનાથને પણ જોવી પડી ભક્ત પુંડલિકની રાહ !

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">