ગાયત્રી મંત્રથી દૂર થશે નવગ્રહના દોષ ! જાણો સરળ વિધિથી કેવી રીતે થશે નવગ્રહની શાંતિ ?

ગાયત્રી (Gayatri) પૂજા પૂર્ણ થાય એટલે એક કળશમાં જળ લઈ તે જળ સૂર્ય દેવતાને સમર્પિત કરો. આસ્થા સાથે આદિત્ય નારાયણને અર્ઘ્ય અર્પણ કરો. આ સમયે સૂર્યદેવતાના વિવિધ નામનું સ્મરણ કરો.

ગાયત્રી મંત્રથી દૂર થશે નવગ્રહના દોષ ! જાણો સરળ વિધિથી કેવી રીતે થશે નવગ્રહની શાંતિ ?
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 10, 2023 | 6:34 AM

ગાયત્રી મંત્ર એ અત્યંત સિદ્ધિદાયી મંત્ર મનાય છે. કહે છે કે, જે મનુષ્ય એકવાર આ મંત્રને સિદ્ધ કરી લે છે, તેની કોઈપણ કામના ક્યારેય અધૂરી નથી રહેતી. એટલું જ નહીં, માન્યતા તો એવી છે, કે જેણે આ મંત્રને સિદ્ધ કર્યો છે, તેના જીવનમાં એવું કશું જ બાકી નથી રહેતું, કે જેને તે મેળવી ન શકે. પણ, શું તમે એ જાણો છો, કે આ જ ગાયત્રી મંત્ર તમને નવગ્રહના દોષથી પણ મુક્તિ અપાવી શકે છે ? જો કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય તો વ્યક્તિને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એટલું જ નહીં, ખૂબ જ મહેનત કરવા છતાં, તેને વારંવાર વિવિધ કાર્યમાં નિષ્ફળતા મેળવવાનો પણ વારો આવતો હોય છે. ત્યારે ગાયત્રી મંત્રની મદદથી તમે આ નવગ્રહના દોષને દૂર કરીને સકારાત્મક પરિણામની પ્રાપ્તિ કરી શકો છો. આવો, આજે તે વિશે જ વિગતે જાણીએ.

ગાયત્રી ઉપાસનાથી નવગ્રહની શાંતિ !

⦁ સવારે વહેલા ઊઠીને નિત્યકર્મથી પરવારીને સર્વ પ્રથમ ગાયત્રી ઉપાસનાનો સંકલ્પ લો.

⦁ ઘરમાં જ્યાં તમે મંદિરની સ્થાપના કરી છે, તે જ દિશામાં ગાયત્રી માતાની તસવીર કે પ્રતિમાની સ્થાપના કરો.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

⦁ માતાની પ્રતિમા કે તસવીર એ રીતે રાખવી કે દેવીનું મુખ પશ્ચિમ દિશા તરફ રહે. અને તમે જ્યારે તેમની ઉપાસના કરો ત્યારે તમારું મુખ પૂર્વ દિશા તરફ રહે.

⦁ ગાયત્રી માતા સામે ચોખાના 9 દાણા અને 9 સોપારી મૂકો. યાદ રાખો, કે દેવીને અર્પણ કરવામાં આવેલા ચોખા એકદમ આખા હોય. ટૂકડાં ન હોય !

⦁ દેવીને પીળી હળદર, કુમકુમ, ચોખા, પુષ્પ અને અત્તર અર્પણ કરો.

⦁ માતા ગાયત્રીને ફળનો ભોગ લગાવવો અત્યંત શુભ મનાય છે. આ સાથે જ યથાશક્તિ માતાને ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરો.

⦁ સર્વ પ્રથમ દીવાથી અને ત્યારબાદ કપૂરથી આરતી ઉતારી માને સમર્પિત કરો.

⦁ આ પૂજાવિધાન બાદ ગાયત્રી મંત્રની એક માળા કરો. જો તમે 1 માળા એટલે કે 108 વખત ગાયત્રી મંત્રનો જાપ કરવા અસમર્થ હોવ તો ઓછામાં ઓછો 11 વખત ગાયત્રી મંત્રનો જાપ જરૂરથી કરો. મંત્ર છે, “ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।”

⦁ આ પૂજા પૂર્ણ થાય એટલે એક કળશમાં જળ લઈ તે જળ સૂર્ય દેવતાને સમર્પિત કરો. આસ્થા સાથે આદિત્ય નારાયણને અર્ઘ્ય અર્પણ કરો. આ સમયે સૂર્યદેવતાના વિવિધ નામનું સ્મરણ કરો. જેમ કે, “ૐ દિવાકરાય નમ:”, “ૐ સૂર્યાય નમ:”, “ૐ ભાસ્કરાય નમ:” વગેરે.

⦁ આ પૂજા પૂર્ણ થાય એટલે તમારી જગ્યા પર જ ઊભા રહીને જમણી બાજુથી 9 પરિક્રમા કરો.

⦁ માન્યતા અનુસાર આ વિધિથી ગાયત્રી ઉપાસના અને સૂર્ય ઉપાસના કરવાથી નવગ્રહના દોષમાં રાહતની પ્રાપ્તિ થાય છે. કારણ કે, સ્વયં સૂર્યદેવતા જ તમામ ગ્રહોના સ્વામી છે. એટલે કે આ ઉપાસના કરવાથી ગ્રહશાંતિની પ્રાપ્તિ થાય છે. અને મનુષ્યના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">